ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી અને કપ્તાન માઇકલ કલાર્કે વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટ નિવૃતિ અંગે એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી ભારતીય ક્રિકેટ રસિકોમાં એક આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું છે.
વિરાટ ટેસ્ટમાં પાછા ફરશે?
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી અનુભવી અને મહાન ખેલાડી એવા વિરાટ કોહલીએ હમણાં થોડા સમય પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વિરાટ કોહલીએ અચાનક લીધેલા નિવૃત્તિના આ નિર્ણયથી તેમના ચાહકોને તેમને ચોંકાવી દીધા હતા. જો કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માઈકલ ક્લાર્ક નું માનવું છે કે વિરાટ કોહલી તેમના આ નિર્ણય ઉપરથી પાછા ફરી શકે એમ છે, પરંતુ આ બસ એક જ પરિસ્થિતિમાં થઈ શકે એમ છે.
માઈકલનું મોટું નિવેદન
માઈકલ ક્લાર્કનું માનવું છે કે જો ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડની સામે 5-0થી ટેસ્ટ સીરીઝ હારી જાય છે, તો વિરાટ કોહલી જેમને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, અને તે તેમના નિર્ણય પરથી પાછા ફરી શકે એમ છે. માઈકલ ક્લાર્કે ત્યાં સુધી કીધું કે વિરાટ કોહલી હજી પણ ટેસ્ટ ક્રિકેટથી ખૂબજ પ્રેમ કરે છે, અને ટેસ્ટ ક્રિકેટમાં તેમનો અનુભવ ખૂબ જ સારો છે. જોકે આ વાત કર્યા પછી માઈકલ ક્લાર્કે એવું પણ કહ્યું કે ભારતીય ટીમમાં બીજા પણ ખૂબજ સારા ખેલાડીઓ છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડની સામે જીતી શકે એમ છે.
રોહિત અને કોહલી ટેસ્ટના દિગ્ગજ
વિરાટ કોહલી એ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી જ્યારે સંન્યાસ લીધો તેના થોડા સમય પહેલાજ ભારતીય ક્રિકેટ જગતના સૌથી સ્ફોટક ખેલાડી રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ ને અલવિદા કહ્યું હતું. આ બંને મહાન ખેલાડીઓએ પોતાની આગવી રમતથી ભારતીય ટેસ્ટ ક્રિકેટને એક ઊંચા સ્થાન સુધી પહોંચવામાં મદદ કરી હતી. આ બંનેની ગેરહાજરી વિરોધી ટીમના બોલરો ઉપર એક માનસિક દબાવ વધારવામાં સફળ રહેતી હતી.