By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    6 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભક્તિ એટલે શું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભક્તિ એટલે શું?

agragujaratnews
Last updated: 2024/02/06 at 4:48 PM
1 year ago
Share
ભક્તિ એટલે શું?
SHARE

  • જ્યારે કોઈ જીવને કોઈ જીવ પ્રત્યે આસક્તિ હોય ત્યારે તે જીવો માટે તેનું સ્મરણ કરવું સરળ પડે છે

એક વાર દેવર્ષિ નારદે પ્રભુને પૂછ્યું કે, `પ્રભુના પરમ ભક્તોમાં સૌથી પહેલું નામ કોનું આવે?’ ત્યારે પ્રભુએ કહ્યું કે, `જે ભક્ત મારું સદૈવ નામ લે છે તે મારો પરમ ભક્ત છે.’

પ્રભુની વાત સાંભળીને નારદજી વિચારવા લાગ્યા તો તો પ્રભુનો પરમ ભક્ત હું જ છું. બસ, આટલા જ વિચારે નારદજીમાં અભિમાન આવી ગયું. નારદજીમાં અહંકારનો સ્પર્શ જોઈને પ્રભુએ કહ્યું, `નારદ, આ દૂધના ઘડામાંથી એક પણ ટીપું ન છલકાય તેવું ધ્યાન રાખી આપ આખી પૃથ્વીની કેવળ એક પરિક્રમા કરી આવો.’

નારદજી પ્રભુની આજ્ઞા સાંભળી દૂધનો ઘડો માથે લઈ નીકળી પડ્યા. આખી પૃથ્વી પર ફરીને નારદજીએ ભગવાન વિષ્ણુ પાસે આવી ગર્વથી કહ્યું, `પ્રભુ, આપે આપેલું કાર્ય મેં પૂર્ણ કર્યું છે. એક પણ ટપકું મેં ઘડામાંથી નીચે પડવા નથી દીધું.’

નારદજીની વાત સાંભળીને પ્રભુએ કહ્યું, `નારદજી, આ પરિક્રમા દરમિયાન આપે મારા નામનું કેટલી વાર સંસ્મરણ કર્યું?’ ત્યારે નારદજી બોલ્યા, `પ્રભુ, મારું પૂર્ણ ધ્યાન દૂધના ઘડા પર હતું તેથી હું આપનું સ્મરણ કરી શક્યો નથી.’

ત્યારે પ્રભુએ કહ્યું, `હે નારદ! જે જીવ પોતાનું લૌકિક અને અલૌકિક કર્તવ્ય પૂરું કરતાં કરતાં એક પણ ક્ષણ મારું નામ ભૂલતો નથી અને સ્નેહપૂર્વક મારું નામ જપતો રહે છે તે જ મારો ખરો ભક્ત છે.’

ભગવાન વિષ્ણુ જેને નામસ્મરણ કહે છે કે તે સ્મરણભક્તિ એ નવધા ભક્તિનો જ એક ભાગ છે. શ્રીમદ ભગવદજીમાં કહ્યું છે કે, `શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એમાંથી નવધા ભક્તિમાં પ્રથમ 6 પ્રકારો (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન અને વંદન) તનની બાહ્ય ક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે અને બાકીની ત્રણ દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન તે અંત:કરણ સાથે સંબંધ ધરાવે છે. ભક્ત જ્યારે નિર્મળ હૃદયથી ભક્તિ કરે છે ત્યારે ભગવાન એ ભક્તિનો સ્વીકાર પ્રસન્નતાથી કરી પોતાના આનંદમય સ્વરૂપનું દાન ભક્તોને કરે છે.’

ધર્મશાસ્ત્રએ જે નામસ્મરણ ઉપર ભાર મૂકેલો છે તે સ્મરણ ક્યારે થાય? સ્મરણ અર્થાત્ કોઈને પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક યાદ કરવું, પરંતુ આપણે કોઈને ક્યારે યાદ કરીએ છીએ? સામાન્ય રીતે એમ કહેવાય જેને આપણે પ્રેમ કરતાં હોઈએ, જેનું મૂલ્ય આપણા માટે હોય, જેની સાથે સુખે-દુ:ખે બંધાયેલા હોઈએ તેવા લોકોનું સ્મરણ સહજ રીતે થઈ જાય છે.

જ્યારે અલૌકિકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે કોઈ જીવને કોઈ જીવ પ્રત્યે આસક્તિ હોય ત્યારે તે જીવો માટે તેનું સ્મરણ કરવું સરળ પડે છે.

ક્યારેક એવો પણ સવાલ થાય છે કે આપણે પ્રભુનું સ્મરણ ક્યારે કરી શકીએ? શ્રીવલ્લભ ચરણ કહે છે કે, `વૈષ્ણવો જ્યારે પોતાની વાસના, અહંકાર અને હું કર્તાને મૂકી દૈન્યતાપૂર્વક પ્રભુના શરણે જાય છે ત્યારે જ પ્રભુનું નામ હૃદયપૂર્વક લઈ શકે છે.’

બીજો પ્રશ્ન એ છે કે પ્રભુનું નામસ્મરણ કરવા માટે કેવું વાતાવરણ હોવું જોઈએ? શ્રી પ્રભુએ ઉદ્ધવજીને સ્વયં કહ્યું છે, `એકાંતમાં જઈ ચિત્તને મારામાં જોડીને મારું સ્મરણ કર, તને મારા કોઈ પણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે.’

નારદસૂત્રમાં નારદજીએ કહ્યું કે, `જ્યાં સુધી ભક્તોનાં હૃદય, મન અને આત્મામાં રહેલી દેહબુદ્ધિ દૂર થતી નથી ત્યાં સુધી તે ભક્ત પૂર્ણ શરણાગતિ સાથે, સાચા મનથી પ્રભુનું નામસ્મરણ કરી શકતો નથી.’

એક વાર શુકદેવજીએ મહર્ષિ દ્વૈપાયનને પૂછ્યું કે, `હે પિતૃચરણ, કહો શું પ્રભુના નામસ્મરણ અને સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ રહેલો છે?’ મહર્ષિ વેદવ્યાસજી ઉત્તરમાં કહે છે કે, `હે પુત્ર! વનમાં રહેલા ગોપીજનોને યશોદાના પુત્ર બાળકૃષ્ણ સાથે અત્યંત આસક્તિ છે તેથી તેઓ જાગતાં, ઊઠતાં, ખાતાં-પિતાં, પોતાનાં સર્વ લૌકિક-અલૌકિક કાર્યો કરતાં કરતાં કેવળ અને કેવળ બાળકૃષ્ણનું જ સ્મરણ કરે છે. ત્યારે શુકદેવજીએ કહ્યું, `હે પિતૃચરણ! આપના કહેવાનું તાત્પર્ય હું સમજ્યો નથી.’ ત્યારે વેદવ્યાસજીએ કહ્યું,`બાલકૃષ્ણના ગુણ અનેક છે, પરંતુ ગોપીજનો જેમનું સ્મરણ કરે છે તે સ્વરૂપનું એક નામ છે તેથી ગોપીજનોએ પ્રથમ સ્નેહ નામ સાથે કર્યો ત્યારબાદ બીજો સ્નેહ તેમના સ્વરૂપ સાથે કર્યો છે જેથી કરીને જ્યારે જ્યારે ગોપીજનો તે નામસ્વરૂપનું ધ્યાન ધરે છે ત્યારે ત્યારે તેઓ સહજ રીતે તેમનું સ્મરણ કરી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે નામ અને રૂપ એ બંને જુદાં નથી, પણ રૂપની પહેલાં પણ નામ આવે છે અને પછી પણ તે જ ચાલુ રહે છે. હે પુત્ર! નામ લેતી વખતે રૂપનું ધ્યાન સૂક્ષ્મ રૂપે અંદર જ રહેતું હોવાથી પ્રત્યેક ભક્તોએ પોતાના આરાધ્યનું નામસ્મરણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.’

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
હેલ્થ

Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન

By 2 days ago
Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?