કેનેડામાં 15 થી 17 જૂન સુધી શિખર સંમેલનની બેઠક આયોજીત થવાની છે. આ બેઠકમાં પીએમ મોદી પણ શામેલ થશે. બેઠકને લઈને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કોર્નીએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. માર્ક કાર્નીએ પીએમ મોદીને ફોન કરીને સમિટમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે અને બીજી બાજુ પીએમએ કોર્નીનો આભાર વ્યક્ત કરતા તેમની ચૂંટણીની જીત પર અભિનંદન પાઠવ્યા છે. આ સમિટમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, બ્રિટન, અને જાપાનનો સમાવેશ થાય છે. ભારત G-7નું મેમ્બર નથી થતા તેને આમંત્રણ આપવામાં આવ્યું છે. જાણો G-7 શા માટે બનાવવામાં આવ્યું છે?
ભારત છેલ્લા 6-7 વર્ષથી G-7માં હાજરી આપી રહ્યું છે. જો કે મેજબાની કરનાર દેશ જ ભારતને દર વર્ષે આમંત્રણ આપે છે. G-7 દુનિયાના 7 વિકસિત દેશોનું ગૃપ છે. દર વર્ષે વારાફરતી એક એક દેશ તેની અધ્યક્ષતા કરે છે. આ વખતે કેનેડાનો વારો છે. પહેલા આ ગૃપમાં રશિયા પણ શામેલ હતું. પરંતું રશિયાએ 2014માં જ્યારે ક્રીમિયા પર હુમલો કર્યો ત્યારબાદ રશિયાને ગૃપમાંથી હાંકી કઢાયું હતું.
જણાવી દઈએ કે G-7 સમિટમાં ભારતના પ્રધાનમંત્રી પહેલા પણ ભાગ લઈ ચુક્યા છે. 2004થી 2014 વચ્ચે પીએમ મનમોહન સિંહે લગભગ 5 વખત સમિટમાં ભાગ લીધો હતો. 2019માં પહેલી વખત પીએમ મોદીને આ સમિટમાં આવવા માટેનું આમંત્રણ મળ્યું હતું. ત્યારબાદ તેઓ જર્મની, જાપાન, ઈટલીમાં આયોજીત બેઠકમાં શામિલ થયા હતા.
G-7 ગૃપની શરુઆત 1975માં થઈ હતી. તેના કારણે ઓઈલ ઉત્પાદક દેશો દ્વારા કરવામાં આવી રહેલી મનમાનીઓથી ઉત્પન્ન થનારી મુશ્કેલીઓ સામે લડવાનું હતું. આ ગૃપનું કોઈ હેડ ક્વાટર નથી કે તેનું કોઈ કાયદાકીય અસ્તિત્વ પણ નથી. ભારત તેનું સદસ્ય એટલા માટે નથી બન્યુ કારણકે જ્યારે આ ગૃપ બન્યુ ત્યારે ભારત વિકસિત દેશોમાંથી હતું. હજી સુધી કોઈ નવો દેશ તેમાં ઉમેરાયો નથી.