By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    45 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: જે અવિનાશી પદને ભક્તો પ્રાપ્ત કરે છે તે અવિનાશી પદ કેવું છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જે અવિનાશી પદને ભક્તો પ્રાપ્ત કરે છે તે અવિનાશી પદ કેવું છે?

Last updated: 2025/03/27 at 11:29 AM
3 months ago
Share
જે અવિનાશી પદને ભક્તો પ્રાપ્ત કરે છે તે અવિનાશી પદ કેવું છે?
SHARE

ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ।

યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ॥ (15/6)॥

તે પરમ પદને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, તે જ મારું પરમધામ છે. જીવ પણ મારો અંશ હોવાથી મારાથી અભિન્ન છે તે મારા ધામને નિત્ય પ્રાપ્ત છે. પરમાત્મા તત્ત્વ ચેતન છે અને સૂર્ય-ચંદ્ર અને અગ્નિ જડ-પ્રાકૃત છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ નેત્ર, મન અને વાણીને પ્રકાશિત કરે છે. એ ત્રણે પણ જડ છે એટલા માટે નેત્રોથી એ પરમાત્મા તત્ત્વને જોઇ શકાતું નથી, મનથી તેનું ચિંતન થઇ શકતું નથી અને વાણીથી તેનું વર્ણન કરી શકાતું નથી. ચેતન જીવાત્મા પણ પરમાત્માનો અંશ હોવાથી સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, તેથી મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરે જડ પદાર્થો તેને પ્રકાશિત કરી શકતા નથી. તે જ્યાં સુધી પોતાના અંશી પરમાત્માને ક્ષેત્રિય બ્રહ્મનિષ્ઠ તત્ત્વદર્શી સંતના શરણમાં જઇ પ્રાપ્ત કરી લેતો નથી ત્યાં સુધી તેનું આવાગમન ચાલુ રહે છે.

મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન ।

મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ॥ (15/7) ॥

આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે, પોતાની માની લે છે. જેમની સાથે જીવની તાત્ત્વિક અથવા સ્વરૂપની એકતા નથી એવી પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યમાત્રનું નામ લોક છે. આત્મા પરમાત્માનો અંશ છે, પરંતુ પ્રકૃતિનાં કાર્ય શરીર ઇન્દ્રિયો, પ્રાણ, મન વગેરે સાથે પોતાની એકતા માનીને તે જીવ થઇ ગયો છે.

શરીર વગેરે પદાર્થોને આપણે પોતાની સાથે લાવ્યા નથી, ઇચ્છાનુસાર તેમાં પરિવર્તન કરી શકતા નથી, પોતાની પાસે સ્થિર રાખી શકતા નથી, તેઓની સાથે હંમેશાં રહી શકતા નથી, તેઓને પોતાની સાથે લઇ જઇ શકતા નથી છતાં, પણ તેઓને પોતાના માનીએ છીએ આ આપણી કેટલી મોટી ભૂલ છે! ભગવાનમાં ફક્ત મન-બુદ્ધિ જોડવાની અપેક્ષાએ પોતાની જાતને ભગવાનમાં જોડવી એ શ્રેષ્ઠ છે. આમ કરવાથી મન-બુદ્ધિ આપોઆપ સુગમતાપૂર્વક ભગવાનમાં જોડાઇ જાય છે.

જીવ ઈશ્વરનો અંશ છે. અંશનો અર્થ કપાયેલો ટુકડો નહિ જેમ કે સમુદ્રનો અંશ તેનું બિંદુ નહિ. આવો અંશ-અંશીભાવ સમજવાનો નહિ. સમુદ્રમાંથી બિંદુ અલગ કરી શકાય છે, કારણ કે સમુદ્ર સાવયવ છે. બ્રહ્મમાંથી જીવને અલગ ન કરી શકાય, કારણ કે બંને નિરવયવ છે. બ્રહ્મ વ્યાપક છે. વ્યાપકનો ટુકડો ન કરી શકાય, કારણ કે જ્યાં બ્રહ્મ ન હોય ત્યાં ટુકડો મૂકી શકાય તેવું તો છે નહિ, તેથી અંશનો અર્થ સામર્થ્યઅંશ સમજવાનો છે. જીવ અને ઈશ્વર બંને સચ્ચિદાનંદ છે એટલે કે બંને સત્, ચિત્ અને આનંદરૂપ છે. બંનેની સનાતન સત્તા હોવાથી સત છે. બંને જ્ઞાનરૂપ હોવાથી ચિત્ છે. બંને આનંદરૂપ હોવાથી આનંદ છે. આ રીતે બંને સચ્ચિદાનંદરૂપ છે, પણ બંનેમાં સામર્થ્યભેદ છે. જીવ સચ્ચિદાનંદ છે. જ્યારે ઈશ્વર સચ્ચિદાનંદ આનંદઘન છે. આ ઘન શબ્દને સમજવા જેવો છે. જળનું બિંદુ પણ જળ છે અને સમુદ્ર પણ જળ છે, પણ બિંદુ ઘન નથી. તેની ક્ષમતા ઓછી છે. સમુદ્રમાં સ્ટીમરો તરી શકે છે બિંદુમાં નહિ. સમુદ્રમાં હજારો મગરમચ્છો ફરી શકે છે, બિંદુમાં નહિ. આવી રીતે જીવનું સામર્થ્ય અલ્પ હોવાથી તે અલ્પ શક્તિમાન છે. ઈશ્વરનું સામર્થ્ય અમાપ હોવાથી તે સર્વશક્તિમાન છે, પણ છે બંને સચ્ચિદાનંદ, તેથી અંશ-અંશીભાવ બતાવ્યો છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
સ્પોર્ટ્સ

Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ

By 1 day ago
world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ
Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ
Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?