By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: જીવનની સફળતાનું રહસ્ય શું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જીવનની સફળતાનું રહસ્ય શું?

agragujaratnews
Last updated: 2024/09/26 at 6:47 AM
11 months ago
Share
જીવનની સફળતાનું રહસ્ય શું?
SHARE

એક ગામના પાદરે નદીતટ પર આવેલ શિવાલયની બાજુમાં એક જોગી અવધૂત વિદ્વાન સાધુ મહાત્મા કુટિરમાં રહેતા હતા. સવાર-સાંજ ભગવાન શિવની ભક્તિ કરતા અને રાત્રે ગ્રામજનોને ધર્મનો ઉપદેશ આપતા. આજુબાજુનાં ગામના કેટકેટલાય લોકો તેમનાં અમૃતવચનો સાંભળવા ને માર્ગદર્શન માટે આવતા.

બપોરની વેળા હતી. સાધુ કુટિરમાં રોટલા ઘડી રહ્યા હતા. તે જ વખતે એક નિરુત્સાહી યુવક આવી પહોંચ્યો અને યોગીનાં ચરણોમાં પડી રડવા લાગ્યો. તેની આંખોમાં વિરહની આગ હતી. મનમાં કંઈક પામવાની અતૂટ ઝંખના હતી. સાધુ એ યુવકના ચહેરાની વિચલિત રેખાઓ પરથી તેની મૂંઝવણ સમજી ગયા છતાં તેના કપાળમાં હાથ ફેરવતાં અચરજભર્યા ભાવે પૂછ્યું: `બેટા! કેમ રડી રહ્યો છે?’ પેલા યુવકે કહ્યું, `હે મહાજ્ઞાની! છેલ્લાં ચાર-ચાર વર્ષથી એક કામ કરું છું, પણ મને સફળતા મળતી નથી. હવે મને આશા રહી નથી. મને સર્વત્ર અંધકાર પથરાયેલો દેખાય છે. મને કશું સૂઝતું નથી. મારામાં કામ કરવાની શક્તિ રહી નથી. હું તમારી ચર્ચા સાંભળી અહીં આવ્યો છું. હે પથદર્શક! એવો માર્ગ બતાવો કે હું મારા કામમાં ચિત્ત એકાગ્ર કરી શકું. યુવકને શાંત પાડતાં સાધુએ કહ્યું:

`સાંભળ! તેં મહેનત કરી હશે તેમ હું માની શકું છું. તારી આંખનાં આંસુ તું કામમાં નિષ્ફળ નીવડ્યો તેના પસ્તાવા રૂપે વહી રહ્યાં છે કે કોઈના વિરહમાં? શું તું પરિણીત છે કે અપરિણીત? સાચું કહેજે.’

યુવકે કહ્યું, `હું પરિણીત નથી. હું એક છોકરીને બચપણથી પ્રેમ કરું છું, પણ તેના પિતા અમારાં લગ્ન માટે તૈયાર નથી. તે ધનવાન ખાનદાનની કન્યા છે. તેના પિતા કહે છે કે હું જો પ્રસિદ્ધ-પૈસા મેળવીશ તો જ તેની દીકરી મારી સાથે પરણાવશે. હું ભાગીને લગ્ન કરવા માંગતો નથી, કારણ કે તેમાં મારાં મા-બાપને તરછોડવાં પડે છે અને તેવું અધમ કૃત્ય કરવા માટે હું સક્ષમ નથી. હું તેને મારી પ્રસિદ્ધિ અને મહેનતથી પામવા ઈચ્છું છું. બસ, આ જ મારા હૃદયનું દર્દ છે.’

સાધુને યુવકની વાણીમાં સચ્ચાઈ દેખાઈ. તેનાં હૃદયનાં આંસુ સત્યની સાક્ષી પૂરતાં હતાં. ધર્મજ્ઞાનીએ કહ્યું, `હે શિષ્ય! તું જરૂર એક દિવ્ય મહામાનવ બનીશ. સાંભળ! પુરુષાર્થ, પ્રેમ અને પ્રતીક્ષા તથા હૈયામાં રામરટણ – આ ચારેયનો સંપૂર્ણપણે સંગમ થશે ત્યારે સફળતા તારાં કદમ ચૂમશે. મૃત્યુ બાદ પણ તને યશ-કીર્તિ અપાવશે. તેં માત્ર પુરુષાર્થ જ કર્યો છે અને તે પણ તારા પ્રેમના સ્વાર્થ ખાતર. સ્વાર્થ ખાતર કામ કરનાર મનુષ્યો કોઈ દિવસ જલદી સફળતા મેળવી શકતા નથી. તું તારા કામને તારી પ્રેમિકા બનાવી દે. તારા કામને પણ તારી પ્રેયસી જેટલો જ પ્રેમ કર અને પુરુષાર્થને છોડતો નહીં. તારું કામ તને પ્રેમ કરવા લાગશે અને જેમ તારી પ્રિયતમા તને છોડવા માગતી નથી તેમ તારું કામ તને છોડશે નહીં અને તેમ છતાં કદાચ સફળતા ના મળે તો પ્રતીક્ષા કર! કારણ કે સમયથી પહેલાં કદી કોઈને કશું મળતું નથી. મળે છે જરૂર પણ પ્રતીક્ષા તો કરવી જ પડે છે અને આ બધાં કર્તવ્યની વચ્ચે સમય મળે ત્યારે રામનું રટણ મનમાં કરજે, જે તારા આત્માને શાંતિ અર્પણ કરશે. બસ! તું તારા કામને પ્રેમનું જળ આપતો રહે, પુરુષાર્થને છોડીશ નહીં અને પ્રતીક્ષા સામે મીટ માંડી, ભગવાનમાં આસ્થા રાખી, નિ:સ્વાર્થભાવે કામ કર. કાળા માથાનો માનવી જ અશક્યને શક્ય બનાવે છે. બીજો કોઈ નહીં. તે સનાતન સત્ય છે.’ યુવક એકચિત્તે સંતને સાંભળી રહ્યો હતો. મહાત્માની અમૃતવાણીએ તેના જીવનમાં નવા પ્રાણ ફૂંક્યા. તેની ગાઢ અસર પેલા યુવક પર થઈ. યુવકે આછું સ્મિત વેરતાં કહ્યું, `હે તપસ્વી! આપશ્રીનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. તમોએ મારા જીવનનો ઉદ્વાર કર્યો છે.’ યુવક સાધુનો નતમસ્તકે આભાર માની ચાલતો થયો.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ
રાષ્ટ્રિય

Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ

By 4 days ago
Bihar પોલીસની મોટી કાર્યવાહી, 7 મહિનામાં 6,531 લીટર દારુ કર્યો જપ્ત, 45 તસ્કરોની કરી ધરપકડ
Lifestyle : રોજ એક નારિયેળનો ટુકડો ખાવાથી થાય છે અદ્દભુત ફાયદા, તમે પણ જાણી લો…..
Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા દરરોજ કરવું જોઈએ આ કામ
Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?