By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના નગરસેવકો ‘તંદુરસ્ત’ ચર્ચા કરતા ક્યારે શીખશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી ન્યૂઝ

રાજકોટના નગરસેવકો ‘તંદુરસ્ત’ ચર્ચા કરતા ક્યારે શીખશે?

agragujaratnews
Last updated: 2023/11/21 at 5:50 PM
2 years ago
Share
રાજકોટના નગરસેવકો ‘તંદુરસ્ત’ ચર્ચા કરતા ક્યારે શીખશે?
SHARE

શહેર અને જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 2300! આંગણવાડીમાં અપાતા આહાર જ ‘કુપોષિત’ હોય છે કે શું?

અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતને કુપોષિતમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે, આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન માટે સરકાર ખાસ ગ્રાન્ટ ફાળવે છે. આમછતા જોઇએ એવુ પરિણામ આવતુ નથી. અગાઉ વિપક્ષ કોંગ્રેસના એક ધારાસભ્યે વિધાનસભામાં માગેલી વિગતના જાહેર થયેલા સતાવાર આંકડા અત્યંત ચોંકાવનાર છે. એ વખતે અપાયેલી વિગતમાં સૌરાષ્ટ્રમાં ૧૮ હજારથી વધુ બાળકો કુપોષણથી પીડાતા હોવાનો સતાવાર રિપોર્ટ અપાયો હતો. રાજકોટમાં કુપોષિત બાળકોનો આંકડો પણ ચિંતાજનક રીતે સામે આવ્યો છે. શહેરમાં ૨3૦૦થી વધુ બાળકો કુપોષણનો શિકાર હોવાની વિગત જાહેર કરવામા આવી છે. જો કે મનપાના આઇસીડીએસ વિભાગના અધિકારી તૃપ્તીબેન કામલિયાએ એવો દાવો કર્યો છે કે, છેલ્લા બે વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ ૬૦૦ આસપાસ કુપોષિત બાળકો જ રહ્યા છે. જો કે શહેર અને જિલ્લાની સ્થિતિએ ૨3૦૦ જેટલા કુપોષિત બાળકો હોવાનું જાણવા મળ્યું છે. તેમાના મોટાભાગના આંગણવાડી અને સરકારી સ્કુલમાં અભ્યાસ કરતા હોય તેવા જ ભુલકાઓ છે. ગઇકાલે જનરલ બોર્ડમાં આંગણવાડીને લગતા સવાલો સાથે નગરસેવકોએ હોહા ગોકીરો કર્યો હતો. પરંતુ જે મહત્વનો મુદ્દો કુપોષિત બાળકોને લગતો હતો તેની જ ચર્ચા ન થઇ. શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા શૂન્ય પર લઇ આવવા માટે કેવા કેવા અસરકારક પગલાં લેવા જોઇએ તેવી હેલ્ધી ચર્ચા કરવાના બાદલે અનર્થક કહી શકાય તેવી જ ચર્ચા ચિગમની જેમ ખેંચીને સામાન્ય સભા પુરી કરી દેવામા આવી.
કુપોષણને નાબુદ કરવામાં સરકારની નિષ્ફળતા પાછળના કારણમાં એક મોટું પરિબળ એ છે કે, મધ્યાહન ભોજનમાં ભેળસેળના કારસ્તાન સમયાંતરે બહાર આવે છે. અગાઉ રાજકોટમાં જ્યા મધ્યાહન ભોજનની રસોઇ બને છે એ સેન્ટ્રલી રસોડામાં ખુદ મનપાના જ પદાધિકારીએ ચેકિંગ કરતા તેનો પર્દાફાશ થયો હતો. સરકારના લાખ પ્રયત્ન છતા સ્થાનિક કક્ષાએ ભેળસેળિયા ભ્રષ્ટાચારીઓના પાપે બધુ પાણી ઢોળ થઇ જાય છે.
કુપોષણને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારના સ્તરે ભલે ગમે તેવા પ્રયાસ થતા હોય પણ સ્થાનિક કક્ષાએ ભેળસેળિયા એવા ભ્રષ્ટાચારીઓના પાપે ગરીબ બાળકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. રાજકોટમાં 3૪3 આંગણવાડીના અંદાજે ૯ હજારથી વધુ ગરીબ બાળકોને મધ્યાહન ભોજન હેઠળ ખોરાક મોકલવામા આવે છે. અઠવાડિયાના વાર મુજબ નક્કી મેનુ ફિક્સ હોય છે. મેનુમાં પરભુર પોષણ મળે તેવી જ સામગ્રી ઉપયોગ કરવા સરકારે ધારાધોરણો બનાવ્યા છે. પરંતુ મધ્યાહન ભોજનમાં થતા ભ્રષ્ટાચારના પાપે બાળકોને પોષણયુક્ત ખોરાક મળતો નથી એ માનવુ જ પડે. અને તેમા કોઇને કોઇ રીતે મહાનગરપાલિકાનું જ ભ્રષ્ટ તંત્ર પાપનું ભાગીદાર છે તે વાત પણ સ્વીકારવી જ પડે.

Contents
શહેર અને જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 2300! આંગણવાડીમાં અપાતા આહાર જ ‘કુપોષિત’ હોય છે કે શું?જનરલ બોર્ડમાં આંગણવાડીને લગતી ચર્ચા અવળા પાટે ચડી ગઇ, શહેરની આંગણવાડીમાં આવતા 16 હજાર બાળકોનું આરોગ્ય ભગવાન ભરોસો!સમગ્ર રાજ્યમાં 1.42 લાખ કુપોષિત બાળકો

જનરલ બોર્ડમાં આંગણવાડીને લગતી ચર્ચા અવળા પાટે ચડી ગઇ, શહેરની આંગણવાડીમાં આવતા 16 હજાર બાળકોનું આરોગ્ય ભગવાન
ભરોસો!

કસ્તુરબા પોષણ સહાય યોજના બિનઅસરકાર કે પછી તેમા’ય ભ્રષ્ટાચાર?

ગર્ભસ્થ માતાને પુરતુ પોષણ મળે એ માટે સરકારની કસ્તુરબા પોષણ સહાય યોજના અને સાથે આંગણવાડી કેન્દ્રમાં પણ યોજના ચાલે છે. કસ્તુરબા પોષણ સહાય યોજનામાં ગર્ભસ્થ માતા નામ નોંધાવે એટલે તેને રૂ.૨૦૦૦ની રોકડ સહાય આપવામા આવે છે અને જો સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવી હોય તો ત્યાંરે વધારાના રૂ.૨૦૦૦ આપવામા આવે છે. તેના માટે રાજકોટ જિલ્લામાં 3૪૪ પેટા આરોગ્ય કેન્દ્ર ચાલે છે. તેમા દર બુધવારે ખાસ મમતા દિવસ રાખવામા આવે છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં ગર્ભવતી માતાને સુખડી સહિતનો પોષણક્ષમ આહાર પણ સરકાર તરફથી આપવામા આવે છે. અહીં ગર્ભમાં જ શિશુના મોતનો જે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે એ જોતા સવાલ એ ઉઠે છે કે સરકારની કસ્તુરબા પોષણ સહાય યોજના અને આંગણવાડીની યોજના બીનઅસરકાર છે કે પછી તેમા’ય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે?

સમગ્ર રાજ્યમાં 1.42 લાખ કુપોષિત બાળકો

અગાઉ વિધાનસભામાં જ જાહેર કરાયેલો સતાવાર રિપોર્ટ

વિધાનસભામાં પુછાયેલા સવાલના સતાવાર જવાબમાં સમગ્ર રાજ્યની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યભરમાં કુલ ૧ લાખ ૪૨ હજાર ૧૪૨ બાળકો કુપોષણનો શિકાર હોવાનો આંકડો હજુ થોડા સમય પહેલા જ સામે આવ્યો હતો. તેમાથી અતિકુપોષિત કહી શકાય તેવા ગંભીર કેસના બાળકોની સંખ્યા ૨૪,૧૦૧ હોવાનો રિપોર્ટ હતો.

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાડીનો અર્થ, મર્મ અને…
ધર્મ

નાડીનો અર્થ, મર્મ અને…

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?