By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    5 days ago
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    5 days ago
    સોબતની અસર તો થાય જ
    સોબતની અસર તો થાય જ
    5 days ago
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    5 days ago
    દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ
    દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    4 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    4 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    4 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાન ક્યાં વસે છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાન ક્યાં વસે છે?

AgraGujarat Rajkot
Last updated: 2025/09/25 at 2:25 PM
4 days ago
Share
ભગવાન ક્યાં વસે છે?
SHARE

મોટાભાગે આપણે ઈશ્વરને મંદિર, મસ્જિદ, દેવળ, ગુરુદ્વારા તથા જંગલો, ગુફાઓ, હિમાચ્છાદિત પર્વતમાળાઓ વગેરે બાહ્ય જગતમાં શોધતા ફરીએ છીએ. તેમ છતાં તે શોધ્યા જડતા નથી, કારણ કે તેનું અસલ નિવાસસ્થાન તો ક્યાંક બીજે છે. ઈશ્વરનું અસલ મંદિર તો માનવીનું પોતાનું હૃદયસ્થળ છે.

ભગવાનને પામવા માટે અનેક અનુષ્ઠાન અને આકરાં જપ તપ કરવામાં આવે છે. પ્રભુનાં દર્શન માટે યાત્રા કરવામાં આવે છે. ગિરિ પર્વત ચડવામાં આવે છે, પણ શું આ બધું જ કરીને આપણે ખરા અર્થમાં ભગવાનને પામી શકીએ છીએ? તો તેનો જવાબ ના જ હશે. ભગવાન તો ખરા અર્થમાં એ મનમંદિરમાં બિરાજે છે અને આ મનમંદિર કોઈ મનુષ્યે નહીં, પણ ભગવાને જ બનાવ્યું છે, જે પ્રકૃતિ દ્વારા બનાવવામાં આવેલું છે અને અત્યંત શ્રેષ્ઠ સુંદર છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતે જ કહ્યું છે કે, `હું બધાં પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત સૌનો આત્મા છું. તેઓ કહે છે કે સૌની અંદર છુપાયેલું અંત:કરણ છું, જે ઊંડું કેન્દ્ર છે તે જ હું છું. બ્રહ્માથી લઈને આજ સુધીનાં જેટલાં પ્રાણીઓ છે તે બધામાં આત્મારૂપે હું સ્થિત છું.’ મહર્ષિ અરવિંદ પણ કહે છે કે, `ઈશ્વર સમસ્ત પ્રાણીઓમાં આત્મારૂપે નિવાસ કરે છે. હૃદયને આત્માનું અધિષ્ઠાન માનવામાં આવ્યું છે. આશય એટલે કે આશ્રયસ્થાન. મનમાં તો સારા-ખોટા દરેક જાતના વિચારો આવતા રહે છે, પરંતુ હૃદય તો સદ્ભાવનાનું આશ્રયસ્થાન છે. તેનું નિર્માણ દિવ્ય તત્ત્વોથી થયેલું છે, તેથી તેમાં ભગવાનનું નિવાસસ્થાન છે.’

પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના બે પરાક્રમી રાક્ષસોને અજેય માનવામાં આવતા હતા. દેવાસુર સંગ્રામમાં હિરણ્યાક્ષનું મૃત્યુ થઈ ગયું, તેથી પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા હિરણ્યકશિપુ ભગવાન સાથે લડવા માટે ગદા લઈને નીકળી પડ્યો. જેવું યુદ્ધ શરૂ થયું કે તરત ભગવાન અંતર્ધાન થઈ ગયા. તેમને શોધતાં શોધતાં હિરણ્યકશિપુની મુલાકાત દેવર્ષિ નારદ સાથે થઈ ગઈ. નારદજીએ પૂછ્યું કે યુદ્ધમાં કોનો વિજય થયો? હિરણ્યકશિપુ બોલ્યો, `લડતાં લડતાં કોણ જાણે તેઓ ક્યાં છુપાઈ ગયા કે હું તેમને જોઈ જ ન શક્યો.’ નારદજીએ જઈને ભગવાનને પૂછ્યું, `તમે ક્યાં સંતાઈ ગયા હતા, જેથી હિરણ્યકશિપુ તમને જોઈ જ ન શક્યો?’ ભગવાને કહ્યું, `હું તો બધાં જ પ્રાણીઓમાં મારા રહેવાના સ્થાન એવા તેના હૃદયમાં જ બેઠો હતો.’

મહાભારતના શાંતિપર્વ અધ્યાય 224માં પણ એક પ્રસંગ આવે છે કે ભગવાન વામન અવતાર દ્વારા ત્રણે લોકોને માપી લીધા. પછી દેવરાજ ઈન્દ્રે ભ્રમણ કરતાં કરતાં એક ગુફામાં બેઠેલા દૈત્યરાજ બલિને જોયા. તેની મશ્કરી કરતાં ઈન્દ્ર પોતાની શક્તિ-સામર્થ્યનાં વખાણ કરવા લાગ્યો. બલિએ ખૂબ જ નિર્ભયતાથી કહ્યું, `અંતર્યામી પ્રભુ હૃદયમાં બેસીને પ્રાણીઓનાં કર્મો અનુસાર તેમને સંસારક્રમમાં ફેરવતા રહે છે. જેણે આજે તેને રાજાના પદે પહોંચાડ્યો છે, એવી જ રીતે કર્માનુસાર ક્યારેક મને પણ પહોંચાડશે.’ શ્રુતિઓ દ્વારા પણ સાબિત થાય છે કે ઈશ્વર સૌનો અંતર્યામી છે.

પુરાણશાસ્ત્રનાં તમામ પ્રમાણ એક જ વાતને દર્શાવે છે કે ભગવાન હૃદયમાં વાસ કરે છે અને એટલે કુકર્મ કરવા જઈ રહેલી વ્યક્તિને સૌ પ્રથમ તેના અંતરાત્માનો પોકાર જ આવું કરતાં રોકે છે.

આ પોકાર બીજા કોઈનો નહીં, પણ સ્વયં ભગવાનનો હોય છે. ભગવાન જ તેના સંતાનને ખોટા માર્ગે જતાં રોકવા માટે પ્રયાસ કરે છે. આ રીતે આપણે મનમંદિરમાં બિરાજતા એ આરાધ્યનું સમર્પણભાવથી સન્માન કરવું જોઈએ અને ભગવાનના નિવાસસ્થાનને કામ, ક્રોધ, લોભ, મોહથી દૂર રાખવું જોઈએ, જેથી હૃદયમાં બિરાજતા ભગવાન હંમેશાં આપણા જીવનને યથાર્થ માર્ગ પર ચલાવતા રહે.

You Might Also Like

રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ

હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું

સોબતની અસર તો થાય જ

મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર

દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Rajasthan ના જેસલમેરમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, પૈસાની લાલચમાં ISI ને પહોંચાડતો હતો સેનાની ગુપ્ત માહિતી
રાષ્ટ્રિય

Rajasthan ના જેસલમેરમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, પૈસાની લાલચમાં ISI ને પહોંચાડતો હતો સેનાની ગુપ્ત માહિતી

By 4 days ago
Health News : વારંવાર પેટમાં દુખાવો, ઉલટી થવી અને અપચાની ફરિયાદને અવગણવાથી મોતનું જોખમ, ડોક્ટરે આપી ચેતવણી
દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ
Cheapest HIV Medicine: HIV સારવાર હવે થશે સસ્તી, ભારતે લીધું ઐતિહાસિક પગલું, જાણો
Liver Cancer : શરીરમાં આ સામાન્ય લક્ષણોને અવગણવાથી લીવર કેન્સરનું જોખમ, પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ લખી ભાવુક પોસ્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?