- માર્કોઝ કમાન્ડોએ જહાજને કઈ રીતે ઘેર્યું
- લૂંટારુંને ચેતવણી આપી
- ચાંચિયાઓની સક્રિયતા વધી
અરબ સાગરમાં હાઇજેક થયેલા કાર્ગો શિપ એમવી લીલા નાર્ફોકને ભારતના એક વિશેષ અભિયાન હેઠળ 24 કલાકમાં જ છોડાવી લેવાયું. જહાજમાં સવાર 15 ભારતીયો સહિત બધા 21 ક્રૂ મેમ્બર્સ પણ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરવામાં આવી. આ જહાજમાં નૌસેનાની માર્કોઝ ટીમે સેનિટાઇઝેશન ઓપરેશન કર્યું હતું. જોકે, જહાજમાં સોમાલિયન આતંકવાદીઓ મળ્યા નહીં. એવું મનાય છે કે ભારતીય નૌસેના તરફથી ચેતવણી જાહેર થયા બાદ હાઇજેકર્સ જીવ બચાવીને ભાગી ગયા. આ પહેલાં, એવી માહિતી હતી કે જહાજ પર પાંચ-છ હાઇજેકર્સ છે. હાઇજેક થયેલા આ જહાજના બંધકોને છોડાવનાર માર્કોઝ કમાન્ડો કોણ છે, તે જાણવું જરૂરી છે. તેઓ સામાન્ય સૈનિકો કરતાં કઈ રીતે જુદા છે અને કયા પ્રકારનાં વિશેષ અભિયાનોમાં મોકલવામાં આવે છે તે જાણવું પણ મહત્ત્વનું છે.
અરબ સાગરમાં સોમાલિયા નજીક અપહૃત જહાજ છોડાવવા કઈ રીતે ઓપરેશન કર્યું અને કઈ રીતે ભારતીયોને બચાવ્યા?
માર્કોઝ કમાન્ડો ભરતીના પહેલા રાઉન્ડમાં 80 ટકા જેટલા અને બીજા રાઉન્ડમાં 20 ટકાથી વધારે લોકો બહાર નીકળી જાય છ
બીજા રાઉન્ડમાં કમાન્ડોને રાત્રે જાગવા, ખાધા-પીધા વગર ઘણા દિવસો સુધી અભિયાનમાં જોડાયેલા રહેવા લાયક બનવા પ્રશિક્ષિત કરાય છે
હાલો ટ્રેનિંગમાં જવાનોએ અંદાજે 11 કિલોમીટરની ઊંચાઈએથી, જ્યારે હાહો ટ્રેનિંગમાં આઠ કિમીની ઊંચાઈએથી કૂદવું પડે છે
મોટી સંખ્યામાં કમાન્ડોને જોયા તેથી અપહરણકારો ડરીને રાતના અંધારામાં જ જીવ બચાવવા ભાગી ગયા હતા
માર્કોઝ કમાન્ડોએ જહાજને કઈ રીતે ઘેર્યું
નૌસેનાના માર્કોઝ કમાન્ડોએ જણાવ્યું કે માહિતી એવી મળેલી કે જહાજ પર પાંચથી છ હથિયારબંધ ચાંચિયા છે, પણ તેમના વિશે વધારે માહિતી નથી. આ જહાજને શોધવા એક યુદ્ધજહાજ, સમુદ્રી પેટ્રોલિંગ વિમાન પી-8 આઈ અને લાંબા અંતરના પ્રીડેટર એમક્યૂલ્બી ડ્રોનને તહેનાત કરાયાં હતાં. આઇએનએસ ચેન્નઈએ શુક્રવારે બપોર પછી સોમાલિયાના તટ પાસે અપહૃત જહાજને ઘેરી લીધું હતું.
લૂંટારુંને ચેતવણી આપી
કમાન્ડોએ જણાવ્યું કે કમાન્ડોએ જહાજને ચારેબાજુથી ઘેરીને ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી હતી. ત્યાર બાદ માર્કોઝ કમાન્ડોએ જહાજની તલાસી લીધી હતી. પણ એક પણ લૂંટારું ત્યાં હતો નહીં. નૌસેનાની બહાદુરી માટે સૌ કોઈ વાતો કરી રહ્યા છે. જહાજના માલિક લીલા ગ્લોબલના સ્ટિવ કુંજરે નૌસેનાનો આભાર માન્યો હતો. તેની સાથે જ તેમણે કહ્યું કે જહાજ પર રહેલા ચાલકદળનાં વખાણ કરવા માગે છે કે તેમણે કઠિન પરિસ્થિતિમાં પણ ગભરાયા વગર પોતાની જવાબદારી સમજીને કામ કર્યું.
કમાન્ડોની પસંદગી પ્રક્રિયા ।
ભારતીય નૌસેનામાં 1987માં એલિટ કમાન્ડો ફોર્સ માર્કોઝની રચના થઈ હતી. આ એલિટ કમાન્ડોની પસંદગી આસાન નથી. એમાં ભારતીય નૌસેનામાંના એવા યુવાઓને લેવામાં આવે છે જેઓ અતિમુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાને સાબિત કરી શકે. કહેવાય છે કે, પસંદગી વખતે પહેલા રાઉન્ડમાં જવાનોની ઓળખ મેળવવા માટે જે ટેસ્ટ લેવાય છે તેમાં જ 80 ટકાથી વધારે બહાર નીકળી જાય છે. બીજા રાઉન્ડમાં 10 અઠવાડિયાની ટેસ્ટ હોય છે. જેમાં ટ્રેનીએ રાત્રે જાગવા, ખાધા-પીધા વગર ઘણા દિવસો સુધી અભિયાનમાં જોડાયેલા રહેવાલાયક તાકાત મેળવવા માટે પ્રશિક્ષિત કરાય છે. આમાં જવાનોએ ઘણા દિવસો સુધી માત્ર બેત્રણ કલાકની જ ઊંઘ લઈને સતત કામ કરવું પડે છે. પહેલા રાઉન્ડમાં પાસ થયેલાઓમાંથી 20 ટકાથી વધારે લોકો આ ટેસ્ટમાં થાકીને બહાર નીકળી જાય છે. જે બચે છે તેમની વધારે આકરી, વધારે ખતરનાક ટ્રેનિંગ થાય છે. ત્રીજો રાઉન્ડ ત્રણ વર્ષ ચાલે છે. જેમાં જવાનોને હથિયાર અને ખાણીપીણીના સામાનના વજન સાથે પહાડ ચડવાની તથા આકાશ, જમીન, અને પાણીમાં દુશ્મનોનો સફાયો કરવાની ટ્રેનિંગ અપાય છે. કાદવકીચડના કળણમાં ટ્રેનિંગ આપાય છે. ચોથા રાઉન્ડમાં જવાનોને અત્યાધુનિક હથિયારો ચલાવવાની ટ્રેનિંગ અપાય છે.
ચાંચિયાઓની સક્રિયતા વધી
ગુરુવારે રાતા સમુદ્રમાં હૂતી વિદ્રોહીઓના માલવાહક જહાજો પરના હુમલા બાબતે વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી હતી. સુમદ્રી લૂંટારુંઓ ફરીથી સક્રિય થવા તે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, 2017માં આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં ઘણા દેશોની નૌસેનાના અભિયાને લૂંટારુંને લગભગ સાફ કરી નાખ્યા હતા.
ચાંચિયાઓની હવે ખેર નહીં
ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમારે અરબ સાગરમાં ભારતીય યુદ્ધજહાજોને સમુદ્રી લૂંટારુંઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ક્ષેત્રમાં વેપારી જહાજો પર થતા હુમલા રોકવા માટે અરબ સાગરમાં ભારતીય નૌસેનાનાં ચાર યુદ્ધ જહાજ તહેનાત કરવામાં આવ્યાં છે. ભારતીય નૌસેના સમુદ્રમાં પોતાનાં અભિયાનો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
હાલો અને હાહો ટ્રેનિંગ
માર્કોઝ કમાન્ડોને ચોથા રાઉન્ડમાં સૌથી કઠિન ટ્રેનિંગ અપાય છે, જેનું નામ હાલો અને હાહો ટ્રેનિંગ છે. હાલો ટ્રેનિંગમાં જવાનોએ અંદાજે 11 કિલોમીટરની ઊંચાઈએથી કૂદવાનું હોય છે, જ્યારે હાહોમાં આઠ કિમીની ઊંચાઈએથી કૂદે છે. કૂદ્યા બાદ માત્ર આઠ સેકન્ડ બાદ પેરાશૂટ ખોલવાનું હોય છે.
મિશનો કેવાં હોય છે?
નૌસેનાની આ સ્પેશિયલ ટુકડીનો હેતુ કાઉન્ટર ટેર્રિઝમ, કોઈ જગ્યાનું ખાસ નિરીક્ષણ, અનકન્વેશનલ વોરફોર જેવા કેમિકલ-બાયોલોજિકલ એટેક, બંધકોને છોડાવવા, જવાનોને બચાવવા અને એ પ્રકારનાં ખાસ ઓપરેશનો પૂરાં કરવાનો છે. આ એલિટ ફોર્સના નામે ઓપરેશન કેક્ટસ, લીચ, પવન, અને ચક્રવાત જેવાં જોખમોનો સામનો નોંધાયેલા છે.
કયાં ઓપરેશનો પાર પાડયા
આ ફોર્સના કમાન્ડોએ 26-11ના મુંબઈ હુમલામાં તાજ હોટેલમાંના આતંકવાદીઓનો સફાયો કરવા ઓપરેશન બ્લેક ટોરનેટો શરૂ કર્યું હતું. ઓપરેશન કેક્ટસ હેઠળ માર્કોઝે માલદીવમાં રાતોરાત તખ્તાપલટની કોશિશોને રોકી દીધી હતી. તે દરમિયાન બંધક બનાવાયેલા લોકોને છોડાવ્યા હતા.


