By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    4 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    4 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાનને થાળ શા માટે ધરાવવામાં આવે છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાનને થાળ શા માટે ધરાવવામાં આવે છે?

Last updated: 2025/02/27 at 5:22 PM
5 months ago
Share
ભગવાનને થાળ શા માટે ધરાવવામાં આવે છે?
SHARE

સદીઓથી ચાલી આવતી આપણી ધાર્મિક પરંપરાઓ પાછળ તાર્કિક તથ્યો જોડાયેલાં હોય છે. ભારતીય પરંપરા મુજબ પહેલાં આપણે ભગવાનને ભોજન ધરાવીએ છીએ અને પછી જ ભોજનને પ્રસાદરૂપે આરોગીએ છીએ. ઈશ્વરની આભાર માનવાની પ્રાર્થના કર્યા પછી ભોજન ધરાવવામાં અને કરવામાં આવે છે. ભગવાનનાં મંદિરોમાં અને અસંખ્ય ઘરોમાં દરરોજ પહેલાં ભોજન પ્રભુને ધરાવાય છે.

ધરાવેલું ભોજન બાકીના ભોજનમાં મેળવી દઈને તે પ્રસાદ તરીકે પીરસાય છે. આપણી દૈનિક પૂજામાં પણ આપણે ભગવાનને નૈવેદ્ય ધરાવીએ છીએ તે વિશે થોડું જાણીએ.

આપણે નૈવેદ્ય શા માટે ધરાવીએ છીએ?

પરમેશ્વર સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. મનુષ્ય અંશમાત્ર છે જ્યારે પરમેશ્વર સર્વ અથવા પૂર્ણ છે. આપણે જે કંઈ કરીએ છીએ તે બધું માત્ર તેની શક્તિ અને જ્ઞાન થકી જ થાય છે, તેથી આપણે કર્મ કરીને જીવનમાં જે કંઈ મેળવીએ છીએ તે ખરેખર તો માત્ર તેનું જ છે. ભગવાનને નૈવેદ્ય ધરાવવાની ક્રિયા દ્વારા આપણે આ સત્યને શિરોધાર્ય કરીએ છીએ. `જય જગદીશ હરે’ની આરતીમાં તેરા તુજકો અર્પણ એટલે `તારું જે છે તે તને અર્પણ છે’ આ વાતને સુંદર રીતે સમજાવવામાં આવી છે. ભગવાનને ધરાવીએ પછી એ અન્ન એમના દિવ્ય સ્પર્શથી પ્રસાદ બને છે, જેથી તે આરોગવાથી મન-તન સ્વસ્થ રહે છે. આ સમજીએ ત્યારે અન્ન અને જમવાની ક્રિયા પ્રત્યેનો આપણો સમગ્ર દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. ભગવાનને ધરાવેલું અન્ન સ્વાભાવિક રીતે જ શુદ્ધ અને ઉત્તમ હોય, તેથી પ્રસાદનું સંપૂર્ણ માન જાળવવા માટે આપણે તેનો અનાદર નહીં કરીએ, તેની ટીકા-ટિપ્પણી નહીં કરીએ એટલે અનાજનો બગાડ થતો પણ અટકે છે. આપણે તેને પ્રસાદીરૂપે સ્વીકારીએ છીએ તેથી પ્રભુની આશિષ પણ અન્ન સાથે મેળવીએ છીએ. આપણે આ વલણને બરાબર અપનાવી લઈએ છીએ ત્યારે તે ભોજનની ક્રિયાથી આગળ વધીને આપણા સમગ્ર જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. પછી જીવનમાં જે કંઈ મળે, સારું કે નરસું

તે તેમના પ્રસાદ તરીકે આપણે સહર્ષ સ્વીકારીએ છીએ.

આપણે રોજ જમતા પહેલાં થાળી ફરતે પાણીનો છંટકાવ કરી ભોજનશુદ્ધિ કરીએ છીએ. થાળી પાસે પાંચ કોળિયા મૂકીએ છીએ. આમ કરીને આપણા પર રહેલાં પાંચ તત્ત્વોના ઋણનો આપણે સ્વીકાર કરીએ છીએ. આ પાંચ ઋણ છે:

દેવઋણ- દૈવિક તત્ત્વો જેમ કે, સૂર્ય, ચંદ્ર વગેરે આપણા પર કૃપા વરસાવીને આપણું રક્ષણ કરે છે.

પિતૃઋણ- પૂર્વજોનો વારસો અને કુટુંબના સંસ્કાર બદલ આપણે પિતૃઓના ઋણી છીએ.

ઋષિઋણ- જે સમાજના સહકાર વિના આપણું જીવન ટકી શક્યું ન હોત તે સમાજના સાથી બાંધવો પ્રત્યેનું ઋણ.

ભૂતઋણ- મનુષ્ય સિવાય અન્ય કોઈ જીવ જેઓ આપણી સતત સેવા કરે છે તેમના પ્રત્યેનું ઋણ.

આ પાંચ તત્ત્વોનાં ઋણને સ્વીકાર્યા બાદ આપણા દેહમાં જીવનશક્તિ રૂપે તથા જીવનપોષક પાંચ ક્રિયાઓ રૂપે રહેલા ભગવાનને ભોજન ધરાવાય છે. આ વખતે પાંચ દૈહિક ક્રિયાઓને અનુલક્ષીને `પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, બ્રહ્મણે સ્વાહા’ એ મંત્ર બોલવામાં આવે છે. આ રીતે ભોજન ધરાવવાની આપણી પરંપરા પાછળ ભગવાન પ્રત્યેની ભાવના સાથે તેનો આભાર વ્યક્ત કરવાની પણ ભાવના છુપાયેલી છે અને તેમની અમીદૃષ્ટિ પડવાથી આ સમગ્ર ભોજન પ્રસાદી બની જવાથી અન્નનો પણ ખોટો બગાડ થતો નથી. આ રીતે આપણી પરંપરા પાછળ શ્રદ્ધાની સાથે એક આગવી સમજ પણ જોડાયેલી છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
ધર્મ

ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?