- છેલ્લા 10 વર્ષમાં 3 ગણી થઈ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યા
- આવાસ સંકટ, સંસ્થાગત ‘ખરાબ તત્વો’ને ટાર્ગેટ કરવા માટે નિર્ણય
- સમયમર્યાદાને કારણે 3,64,000 નવા રજિસ્ટર્ડ પરમિટ થવાની આશા
કેનેડામાં સ્ટડી કરવાનું સપનું જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. કેનેડાની સરકાર બહારથી અભ્યાસ કરવા માટે આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વિઝાને 2 વર્ષની સમયમર્યાદામાં બાંધવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયની અસર કેનેડામાં સ્ટડી કરવાનું સપનું જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર પણ થઈ શકે છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટરે કહ્યું છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાને 2 વર્ષની મર્યાદામાં 2024માં નવા સ્ટડી વિઝામાં 35 ટકાનો ઘટાડો થશે. આ સમયમર્યાદાને કારણે 2024માં 3,64,000 નવા રજિસ્ટર્ડ પરમિટ થવાની આશા છે. જે ગત વર્ષે લગભગ 5,60,000 હતા. તેમણે કહ્યું કે 2025માં જાહેર કરવામાં આવનાર પરમિટની સંખ્યાનું આ વર્ષના અંતમાં પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાને સમયમર્યાદામાં કેમ બાંધી રહ્યું છે કેનેડા?
કેનેડીયન સરકારના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય આવાસ સંકટ અને સંસ્થાગત ‘ખરાબ તત્વો’ને ટાર્ગેટ કરવા માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર તત્કાલ બે વર્ષની મર્યાદા લગાવવામાં આવી રહી છે, આ એક એવું પગલું છે જેનાથી દેશમાં સ્ટડી કરવાનું પ્લાનિંગ કરી રહેલ ભારતીય વિદ્યાર્થીઓ પર અસર થશે. એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં અસ્થાયી નિવાસના એક સ્થાયી સ્તરને જાળવી રાખવા માટે, સાથે સાથે આ સુનિશ્ચિત કરવા માટે 2024 સુધી કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં વધુ વધારો ન થાય, અમે 2024માં બે વર્ષ માટે એક નેશનલ એપ્લિકેશન એન્ટ્રી મર્યાદા નિર્ધારિત કરી રહ્યા છીએ. મીડિયા અહેવાલ મુજબ આ પગલું કેનેડામાં પ્રવેશ કરનારા બિન-સ્થાયી નિવાસીઓની વધતી સંખ્યાને લઈને પ્રાંતો તરફથી સંઘીય સરકાર પર દબાણ વચ્ચે લેવામાં આવ્યું છે, જ્યારે દેશ આવાસ સંકટ સામે લડી રહ્યો છે.
છેલ્લા 10 વર્ષમાં 3 ગણી થઈ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યા
મિલરે જાન્યુઆરીના પ્રારંભમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર મર્યાદા લાદવી એ સમગ્ર કેનેડામાં રહેઠાણની અછત માટે “એક માપ બધા માટે બંધબેસતો ઉકેલ” નહિ હોય. 2022 માં, 800,000 થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસ્થાયી સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. મિલરે છેલ્લે કહ્યું હતું કે 2023નો આંકડો 10 વર્ષ પહેલાં જે સ્વીકારવામાં આવ્યો હતો તે ત્રણ ગણા કરતાં પણ વધુ છે. આ પગલાથી ભારતના તે વિદ્યાર્થીઓને અસર થવાની ધારણા છે જેઓ હાયર સ્ટડી માટે કેનેડા પસંદ કરે છે.
ટોપ 10 દેશોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારતીય
2022 માં કેનેડામાં અભ્યાસ પરમિટ ધારકોના ટોચના 10 મૂળ દેશોમાં કુલ 3,19,000 વિદ્યાર્થીઓ સાથે ભારત પ્રથમ ક્રમે છે. મિલરે કહ્યું કે મર્યાદા લાદીને ફેડરલ સરકાર કેટલીક નાની ખાનગી કોલેજો સામે પગલાં લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પગલાથી સરકારને સંસ્થાકીય “ખરાબ તત્વો”ને ટાર્ગેટ કરવામાં મદદ મળશે. મિલરે જણાવ્યું હતું કે, “તે અસ્વીકાર્ય છે કે કેટલીક ખાનગી સંસ્થાઓએ ઓછા રિસોર્સવાળા કેમ્પસ ચલાવીને, વિદ્યાર્થીઓ માટે સમર્થનનો અભાવ અને ઊંચી ટ્યુશન ફી વસૂલ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો લાભ લીધો છે. જ્યારે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.”
ઈમિગ્રેશન મિનિસ્ટર મિલરે કહ્યું હતું કે, કેટલાક પ્રાંતોમાં પરમિટમાં કુલ ઘટાડો લગભગ 50 ટકા હશે. પ્રાંતો અને પ્રદેશો તેમના અધિકારક્ષેત્ર હેઠળની યુનિવર્સિટીઓ અને કોલેજો વચ્ચે કેવી રીતે પરમિટનું વિતરણ કરવામાં આવશે તે નક્કી કરવા માટે સ્વતંત્ર હશે. આ મર્યાદા બે વર્ષ સુધી અમલમાં રહેશે; 2025માં જાહેર કરવામાં આવનાર પરમિટની સંખ્યાનું આ વર્ષના અંતમાં પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે.
કેનેડામાં બોગસ ડિગ્રી આપતી સંસ્થાઓની સંખ્યામાં વધારો
સોમવારે એક ઇન્ટરવ્યૂમાં, મિલરે કેનેડામાં રહેવાની આશા રાખતા વિદ્યાર્થીઓને “ડિગ્રી સંસ્થાઓ કે જે નકલી બિઝનેસ ડિગ્રી ઓફર કરે છે” તે અંગે વાત કરી. મંત્રીએ કહ્યું કે કેનેડામાં આવી “સેંકડો” શાળાઓ કાર્યરત હોઈ શકે છે અને તે સંખ્યા “છેલ્લા કેટલાંક વર્ષોથી વધી છે.”


