By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળકને મોબાઈલની ટેવથી કેમ દુર રાખીશું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

બાળકને મોબાઈલની ટેવથી કેમ દુર રાખીશું?

agragujaratnews
Last updated: 2024/01/27 at 8:28 PM
2 years ago
Share
બાળકને મોબાઈલની ટેવથી કેમ દુર રાખીશું?
SHARE

બાળક સાથે ક્વોલીટી સમય પસાર કરો,વાર્તા કરશો, ગેઈમ રમશો કે  બહાર ફરવા લઈ જશો તો બાળક મોબાઈલને યાદ પણ નહિ કરે

બાળકને મોબાઈલની ટેવ થી દુર રાખવાની પહેલ માતા પિતા અને ઘરના વડીલોએ જ કરવી પડશે.

જરૂરિયાત જ નવી શોધની જનની છે, એ વાત કેટલી સાચી છે ને! કેટલી શોધો થી આપણું જીવન સુગમ બન્યું છે અને હજી પણ કેટકેટલી શોધો થતી રહે છે જે ભવિષ્યમાં આપણને ઉપયોગી થશે. આ પૈકી એક શોધ એટલે મોબાઈલની શોધ. વર્ષો થઇ ગયા મોબાઈલની શોધને અને પહેલા તો ઈમર્જન્સી માટે મોબાઈલ ઉપયોગી હતો, જયારે હવે મોબાઈલ અનિવાર્ય બની ગયો છે. સોશીયલ મીડિયા અને તેને લગતી સગવડતાઓએ મોબાઈલને વધુ અનિવાર્ય બનાવ્યો.

દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ મોબાઈલના ઉપયોગ સાથે ફાયદા છે તો ગેરફાયદાઓ પણ ખરા. મોબાઈલ રેડીએશન વિષે મત મતાન્તારો થતા રહે છે, અત્યારના સમયની કરુણતા એ છે કે બાળકને તેના જન્મ પહેલા, ગર્ભાવસ્થાથી જ મોબાઈલની ‘ટેવ’ હોય છે. નવાઈ લાગી ને! પણ આ કટુ સત્ય છે. સગર્ભાવસ્થામાં માતાને તબિયતને કારણે આરામનું કહ્યું હોય તો અલગ વસ્તુ છે, બાકી ઘરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી, એ વર્કિંગ હોય તો ખુબ સારું છે, અને કામ દરમિયાન મોબાઈલની જરૂર પડશે. પણ કામ પત્યા પછી મોબાઈલને પોતાનાથી દુર રાખવો સારો. મોબાઈલના વેવ્ઝ ગર્ભસ્થ બાળકને પણ અસર કરી શકે. બાળકના જન્મ પછી ઘણી માતાઓ બાળકને ફીડીંગ કરાવતા કરાવતા પણ મોબાઈલ જોયા કરે છે, અને પછી મોટું થઇ બાળક જમતા જમતા મોબાઈલ માંગે એટલે કહે, ‘ખબર નહિ આને મોબાઈલની ટેવ કેમ પડી!’ બાળકને રમાડતી વખતે મોબાઈલ, બાળકને બહાર લઈને નીકળે તો બાળક આજુબાજુ જોવામાં મશગુલ હોય અને માતા મોબાઈલમાં વાત કરવામાં મશગુલ હોય. આમાં તો ધીમે ધીમે બાળક અને ઘરના સભ્યો વચ્ચે અંતર વધી જાય. પછી પેલા જોક જેવું બને કે માતા પરિવારના ગ્રુપમાં મેસેજ મુકે કે જમવાનું થઇ ગયું છે, આવી જાઓ બધા. અને બધા જમવા આવે.

બાળકને મોબાઈલની ટેવ થી દુર રાખવાની પહેલ માતા પિતા અને ઘરના વડીલોએ જ કરવી પડશે. બાળકની આ ઉમર એટલે નવું નવું જાણવા, શીખવાની ઉમર. અને હું પ્રશ્ન પૂછું કે, આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા મોબાઈલ નહોતા, તો પણ આપણા બધા કામ થઇ જ જતા ને! બાળકો પણ મોટા થતાં જ ને! તો બાળકોને ઘરમાં કે બહાર લઈને નીકળો ત્યારે આજુબાજુની જગ્યાઓ વિષે પરિચિત કરાવો, વૃક્ષો, ફૂલો, વિગેરેથી તેને માહિતગાર કરો, જરૂર છે ત્યારે તેને મોબાઈલ પણ બતાવો.

  • અત્યારના સમયમાં પતિ પત્ની બંને વર્કિંગ હોય છે અને મોબાઈલ હવેના સમયમાં અનિવાર્ય બની ગયો છે. છતાં, બને ત્યાં સુધી ઘરમાં આવ્યા પછી મોબાઈલને બાજુ પર મૂકી ને બાળકને સમય આપીએ.
  • બાળકે આખો દિવસ શું કર્યું એ માતા પિતાને જણાવવા આતુર હોય છે, એમની સાથે ગપ્પા લડાવવા બાળક તલ પાપડ થાય છે. આવા સમયે માતા પિતાના હાથમાં મોબાઈલ તેમને દુશ્મન જેવો લાગે છે.
  • બાળક મોબાઈલ દુર કરવા અને પોતાની વાત કરવા મથે છે. પણ જો હકારાત્મક પ્રતિભાવ ન મળે તો બાળકને લાગવા લાગે છે કે મારા મમ્મી પપ્પાના જીવનમાં મારાથી પણ વધુ આ મોબાઈલ જરૂરી છે. પરિણામ સ્વરૂપે બાળક મોબાઈલ તરફ આકર્ષાય છે. અને ધીમે ધીમે મોબાઈલ ની ટેવ બાળકમાં પણ પ્રવેશે છે.
  • આવા સંજોગોમાં બને તેમ ઘરે આવ્યા પહેલા મોબાઈલને લગતું કામ પૂરું કરી લો, જેથી ઘરે આવ્યા પછી સંપૂર્ણ સમય બાળકને આપી શકાય. જમતા જમતા ઘણા લોકો મોબાઈલ જોતા હોય છે, જેનું અનુકરણ બાળક ચોક્કસ કરશે. એના કરતા જમતી વખતે પરિવાર સાથે વાતો કરો, બાળકની વાતો સાંભળો. તમને ગમશે.
  • વાહન ચલાવતા ચલાવતા લોકો મોબાઈલમાં વાતો કરે છે, જે કેટલું જોખમી છે! છતાં એ જોખમ અવગણી, ચાલુ વાહને મોબાઈલ પર વાતો ચાલુ રાખી વ્યક્તિ પોતાનું અને સાથેના લોકોનું નુકશાન કરી બેસે છે. *બાળકની હાજરીમાં પણ ચાલુ વાહને મોબાઈલમાં વાતો થતી રહે છે, જે બાળકને ખોટી આદત શીખવે છે. મોબાઈલમાં ઘણી ગેઈમ હોય છે, જે રમવામાં તમે સમય પસાર કરો, પણ બાળક માટે સમય ન હોય, તો બાળક પણ મોટું થશે ત્યારે તેની પાસે તમારા માટે સમય નહિ હોય. આ કડવું સત્ય છે.
  • વધુમાં વધુ આઠ થી દસ વર્ષની ઉમર સુધી બાળકને માત્ર અને માત્ર ઘરના લોકોનો સાથ ગમશે. પછી ઘર ઉપરાંત તેનું બહારનું મિત્ર વર્તુળ વધતું જશે. ઉંમર વધતા ભણતર પણ વધશે અને ભણતર તરફની બાળકની જવાબદારી પણ વધશે. એટલે આ જે સમય બાળક સાથે મળે છે એ સુવર્ણ સમય છે. બાળક એટલે શક્તિનો ખજાનો. બાળક સાથે રમવાથી આપણે પણ ફ્રેશ થઇ જઈએ છીએ ને!

બાળકને થોડા સાધન સગવડતા ઓછા આપશો તો ચાલશે મિત્રો, પણ બાળકને સમય પુરતો આપજો. માતા પિતા કે પરિવારજનોના બાળક સાથેના સમયના અભાવે, બાળક મોબાઈલને પોતાનો મિત્ર માની બેસે છે. અને ભવિષ્યમાં આ મિત્ર જ મોન્સ્ટર – રાક્ષસ બની બેસે છે. બાકી, બાળક સાથે ક્વોલીટી સમય પસાર કરજો, વાર્તા કરજો, ગેઈમ રમજો(મોબાઈલ કે વિડીઓ ગેઈમ નહિ હો), અલગ અલગ જગ્યાએ લઇ જજો. અને પછી જોજો, બાળક મોબાઈલને યાદ પણ નહિ કરે. આપણે જ મોબાઈલને જીવન જરૂરિયાતની વસ્તુ નહિ પણ એક સગવડતા ગણીએ અને વિવેક પૂર્વક મોબાઈલનો ઉપયોગ કરીએ. બાળક આપણી આ સારી ટેવ નું અનુકરણ કરીને મોબાઈલથી ચોક્કસ દુર રહેશે અને બાળકમાં મોબાઈલની ટેવ નહિ પડે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
ધર્મ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
Health : માત્ર ખાંડ નહીં આ વસ્તુઓ પણ ડાયાબિટીના દર્દીઓ માટે છે ઝેર સમાન
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?