પાકિસ્તાનના માજી વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાંથી બહાર આવી શકે છે. 11 મી જુને તેમને જામીન મળવાની સંભાવના છે. તેમના પક્ષના એક હોદ્દેદારે આ વિગતો જાહેર કરી હતી.
અલ કદિર ટ્રસ્ટના કેસમાં ઈમરાન ખાન જેલમાં છે. 190 મિલિયન પાઉન્ડના પ્રકરણમાં ઈમરાન અને તેની પત્ની બુશરાબીબીને સજા દૂર કરવા ઇસ્લામાબાદ વડી અદાલતમાં સુનાવણી થવાની છે. ઈમરાન ઓગસ્ટ 2023 થી આદિયલા જેલમાં બંધ છે.
11 મી મેનો દિવસ મહત્ત્વપૂર્ણ
પાકિસ્તાની તહરિક એ ઇન્સાફ (પીટીઆઇ)ના પ્રમુખ ગૌહર અલી ખાને ભરોસા સાથે કહ્યું હતું કે, ઇમરાનને જમાનત મળી જશે. 11 મી મેનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થશે.
ઈમરાનની પાર્ટી આંદોલન કરશે
પ્રમુખ ગૌહર અલી ખાને કહ્યું કે, પીટીઆઇ વિપક્ષી દળો સાથે મળીને આંદોલન શરૂ કરશે. જેનું નેતૃત્વ પાર્ટીના મુખ્ય સંરક્ષક રહેશે. વિપક્ષો દળોને દેશના અસ્તિત્વ અને સુરક્ષા માટે પીટીઆઇ સાથે જોડાવવા કહ્યું છે. આ મુદ્દે પક્ષ માધ્યમો સાથે પણ વાત કરશે.