શાર્દુલ ઠાકુરે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શાનદાર બેટિંગથી તેમની પ્રતિભાને સાબિત કરી છે, અને આ જ કારણથી જો કેપ્ટન શુભમન ગિલ અન્ય કોઈ ખેલાડીનું પત્તું કાપી શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપે તો એ વાતમાં કોઈ નવાઈ નહીં.
પ્લેઇંગ ઇલેવનમાંથી કોણ બહાર જશે?
શાર્દુલ ઠાકુર હાલ તેમના સૌથી સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેમનું પ્રદર્શન દર્શકો અને પસંદગીકારો બેય માટે મનમોહક બન્યું છે. તેણે ટીમ માટે શાનદાર સદી ફટકારીને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનવાનો દાવો વધુ મજબૂત કર્યો છે. ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ હવે એવી પૂરી શક્યતા છે કે શાર્દુલ ઠાકુર તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. શાર્દુલની 122 રનની શાનદાર ઇનિંગને કારણે આ શક્ય બન્યું છે. હવે પ્રશ્ન એ છે કે જો શાર્દુલ રમે છે, તો કોણ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર જશે?
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં શાર્દુલ ઠાકુર?
ભારતીય ટીમ પાસે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા પ્લેઇંગ ઇલેવન અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કેપ્ટન શુભમન ગિલ શાર્દુલ ઠાકુરના પ્રદર્શનને જોતાં તેના પર દાવ લગાવી શકે છે. હાલ નીતિશ કુમાર રેડ્ડીના નામ પર શંકાની સોય લટકી રહી છે. શાર્દુલ ઠાકુર અને નીતિશ કુમાર રેડ્ડીમાંથી કોણ પસંદ થશે એ હાલ મોટો સવાલ છે.
આ પરિબળ શાર્દુલના રમવાના પક્ષમાં છે
શાર્દુલ ઠાકુર પાસે અન્ય એક મજબૂત પાસું છે પસંદગી પામવા માટે અને એ છે, ઇંગ્લેન્ડમાં રમવાનો અનુભવ. આ કારણ ઇંગ્લેન્ડ સામે પ્લેઇંગ ઇલેવનમાં સમાવવાની શક્યતાને મજબૂત બનાવે છે. બીજી બાજુ નીતિશ કુમાર રેડ્ડી હજુ સુધી ઇંગ્લેન્ડમાં એક પણ મેચ રમ્યો નથી. શાર્દુલને ત્યાં 3 ટેસ્ટ રમવાનો અનુભવ છે. રોહિત-વિરાટ-અશ્વિન જેવા ખેલાડીઓની વિદાય પછી, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડમાં અનુભવ ખેલાડીની ચોક્કસથી જરૂર છે.