આઈપીએલની સમાપ્તિ પછી અત્યારે સૌથી વધારે જે ખેલાડીના નામની ચર્ચા થઈ રહી છે એનું નામ છે મહેન્દ્ર સિંહ ધોની. ધોની અંગે સવાલો એ ઉઠી રહ્યા છે, કે માહી હવે આઈપીએલ રમશે કે નહીં? ધોની સિવાય પણ ઘણા એવા ખેલાડીઓ છે કે જે 2026 પહેલા નિવૃતિ જાહેર કરી શકે છે.
આર અશ્વિન બાબતે અસમંજસ
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા સ્ટાર ખેલાડી આર અશ્વિનનું પણ આવનાર વર્ષમાં આઈપીએલમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. હજી ગયા વર્ષે આર અશ્વિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માંથી નિવૃતિ જાહેર કરી હતી, અને આ વર્ષે ચેન્નઈ તરફથી રમતા આર અશ્વિને આશાઓ મુજબ પ્રદર્શન નથી કર્યું. થોડા મહિનાઓ પછી અશ્વિન 39 વર્ષના થઈ જશે, આવતી આઈપીએલ પહેલા તે નિવૃતિ જાહેર કરી શકે છે.
ગ્લેન મેક્સવેલ થયા અનફીટ
ગ્લેન મેક્સવેલએ તેમની ફિટનેસને જોતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. આ વખતે આઈપીએલ 2025 માં તેઓ પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યા હતા, પરંતુ ઇજાઓના કારણે તેમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. ઇજાના કારણે તેઓ ટુર્નામેન્ટની વચ્ચેથીજ ટીમમાંથી બહાર થઈ ગયા હતા. ક્રિકેટના જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે પંજાબ કિંગ્સ માટે ગ્લેન ગ્લેન મેક્સવેલની પસંદગી ખોટી કરવામાં આવી હતી.
ફાફ ડુપ્લેસી
દિલ્લી કેપિટલ્સ તરફથી રમતા આ સ્ફોટક ખેલાડીએ અક્ષર પટેલના ઇજાગ્રસ્ત થયા પછી ટીમની બાગડોર સંભાળી હતી. 40 વર્ષીય આ ખેલાડીનું આ વખતે આઈપીએલમાં કઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી. જાણકારોનું કહેવું છે કે આવતી આઈપીએલ પહેલા ફાફ ડુપ્લેસી નિવૃતિ જાહેર કરી શકે છે.