અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશીએ દાદાની આરતી અને સંકલ્પ વિધિનો લ્હાવો લેતા
10 દિવસ દરમિયાન ગણેશભક્તિ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હારમાળા
શંકર પાર્વતીનાં પૂત્ર ગણેશની ભકિત શ્રધ્ધાભેર શેરીએને ગલીએ થઈ રહી છે. તેમજ ભવ્ય ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં નાનામોટા અનેક ગણપતિ પંડાલનું આયોજન કરાયું છે, ત્યારે શહેરમાં આવેલ કરણપરા વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં અનેક સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, લોક જાગૃતિના કાર્યક્રમો તેમજ પાણીપુરી સ્પર્ધા તેમજ ગરબા રાસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આયોજિત કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવના ત્રીજા દિવસે અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી અને સિનિયર રિપોર્ટર રાજુ મહેતાને દાદાના દર્શન, આરતી અને સંકલ્પ વિધિનો લ્હાવો મળ્યો હતો.
વિલ્સન સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ)ના પ્રમુખ રણજીત ચાવડીયા અને તેમની ટીમ દ્વારા રાજકોટમાં સૌથી જૂનું અને જાણીતા કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ મહોત્સવ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદ દ્વારકાધીશ નગરીની પ્રતિકૃતિ બનવવામાં આવી છે તેમજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાથે આવી શકે તેમજ આરતીનો લાભ લઇ શકે તેની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવે છે. વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ દ્વારા તા. 7ને શનિવારના રોજ ગણપતિદાદાનું વિધિવિધાન સાથે સ્થાપના કરાયું છે. 17 તારીખ એટલે 10 દિવસ ચાલનારા આ ગણેશોત્સવમાં દરરોજ સાંજે 8 કલાકે મહાઆરતીનું તેમજ રાત્રે 9:30 કલાકે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. બાદમાં 10 માં દિવસે વિધિ વિધાનથી દુંદાળા દેવ ગણપતિ બાપાને વાજતે ગાજતે વિદાઈ આપવામાં આવશે. ત્યારે આ ગણપતિ મહોત્સવના 10 દિવસ દરમિયાન ગણેશભક્તિ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હારમાળા યોજાશે.
રાજકોટમાં સૌથી જૂનું અને જાણીતા સિધ્ધી વિનાયક ધામ કરણપરા કા દાદાની ત્રીજા દિવસની સાંધ્ય આરતી અને દર્શનાનો લ્હાવો સાંધ્ય દૈનિક અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી અને સિનિયર રિપોર્ટર રાજુ મહેતાને મળ્યો હતો. ગઈકાલે કારણપરા કા રાજાની સંધ્યા આરતીમાં અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી સિનિયર રિપોર્ટર રાજુ મેહતા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેમને આયોજકો દ્વારા સંકલ્પ વિધિનો પણ લાભ આપવામાં આવ્યો હતો. આયોજનને સફળ બનવવા માટે રણજીત ચાવડીયા, વિશાલ માંડલીયા, દિપક ભટ્ટ, જયેશ ગોંડલીયા, નિલેશ ભગત, મહીપતસિંહ ચુડાસમા વર્ષીત મોરઝરીયા, હાર્દિક ચાવડીયા, તેજસ બોરીચા, જ્યંતી બોરીચા, નિલેશ ચાવડીયા, સિદ્ધાર્થ ચાવડીયા સહીતના કાર્યકરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.