શિયાળામાં ઠંડીના કારણે શરીરમાં સુસ્તી લાગે છે. આપણું શરીર ઘણીવાર નબળું પડી જાય છે. ઠંડીના દિવસોમાં બીમારીથી બચવા સ્વસ્થ આહાર અપનાવે છે અને ઘરેલુ ઉપાય અજમાવે છે. આ દિવસોમાં મોટાભાગના લોકો બદામ પાક, મેથીપાક અને મૂસલી જેવા પૌષ્ટીક ખોરાક ખાય છે. જો કે કેટલાક લોકોને આવા પાક ખાવા પસંદ આવતા નથી. ત્યારે તમે નાના અંજીરને આહારમાં સામેલ કરી મોટો લાભ મેળવી શકો છો.
શિયાળામાં સ્વસ્થ રહેવા ખાવો અંજીર
શિયાળાના દિવસો ટૂંકા હોય છે. આ દરમિયાન લોકો દિવસભર કામ અને ભાગદોડમાં લોકો સ્વાસ્થ્યની કાળજી રાખતા નથી. જો તમને આદુના ઉકાળો, કે પછી મેથી પાક જેવા વસાણા ખાવાનું પસંદ ના હોય તો અંજીર જરૂર ખાવ. શિયાળાની ઋતુમાં જ કેમ નિષ્ણાતો અને ઘરના વડીલો અંજીર ખાવાની સલાહ આપે છે. અનેક લોકો અંજીરને બદામ જેવા ડ્રાયફૂટ સાથે તો અંજીરનું દૂધ સાથે સેવન કરે છે. કેમ શિયાળામાં જ અંજીર ખાવું જોઈએ તેને લઈને જો તમારા મનમાં પ્રશ્ન હોય તો આજે તેના ભરપૂર ફાયદા જણાવીશું. ઠંડીના દિવસોમાં અંજીર ખાવાથી શરીરને કેટલો ફાયદો થાય છે તે જાણી તમે પણ પોતાના ડાયેટમાં અંજીરને સામનેલ કરશે.
જાણો અંજીર ખાવાના ફાયદા
શરીરમાંથી સુસ્તી અને નબળાઈ દૂર થશે
શિયાળા દરમિયાન હવા પાતળી થતા હાર્ટ અને શ્વસન સંબંધિત જોખમ વધે છે. શરદી-ઉધરસ જેવી સામાન્ય સમસ્યા કયારેક ફેંફસા માટે જોખમી બની શકે છે. એટલે રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. અંજીર ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી તમે શરદી, ખાંસી અને અન્ય ચેપથી દૂર રહી શકો છો. ઠંડીમાં તેનું નિયમિત સેવન શરીરમાંથી સુસ્તી દૂર કરે છે અને પૂરતી ઉર્જા પૂરી પાડે છે. અંજીરનું સેવન તમને દિવસભર તાજગી અને ઉર્જાવાન રાખે છે.
સાંધા અને પીઠના દુખાવામાંથી રાહત
અંજીરમાં કેલ્શિયમ અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઠંડીમાં અનેક લોકોને હાડકાં અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી જાય છે. તેથી સવારે ખાલી પેટે અંજીર ખાવાથી આ સમસ્યામાં રાહત મળે છે. અંજીર સ્વસ્થ પાચનતંત્ર જાળવવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. નિયમિતપણે અંજીર ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને પેટની સમસ્યાઓ ઓછી થાય છે.
વજન ઘટાડવામાં શ્રેષ્ઠ છે અંજીર
અંજીર ખાવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. વધુમાં, તે શરીરને પૂરતી ઉર્જા પૂરી પાડે છે, જે તમને દિવસભર તાજગી અને ઉર્જાવાન રાખે છે. સવારે પલાળેલા 2-3 અંજીર અથવા દૂધમાં ભેળવીને અંજીર ખાવાથી શરીર ગરમ રહે છે અને શરદીથી રાહત મળે છે. બદામ, અખરોટ અને કિસમિસ સાથે અંજીર ખાવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


