- વર્લ્ડકપ બાદ ભારત T20 સિરીઝ રમશે
- આ સિરીઝ 23 નવેમ્બરથી શરૂ થશે
- સિરીઝના કેપ્ટન હાર્દિક પંડ્યા છે
વર્લ્ડ કપ રોમાંચક બન્યો છે. 12 નવેમ્બરે ભારત સેમિફાઇનલ રમશે. તેમજ 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલ રમાશે, તો હવે એ જોવું રહ્યું કે આ વર્ષે 11 વર્ષ બાદ શું ભારત ફરી વર્લ્ડ કપનું ટાઈટલ જતીને આ દુકાળ ખત્મ કરે છે કે નહીં. વર્લ્ડ કપ 2023ના પૂરા થયાના ગણતરીના દિવસો બાદ જ ભારત એક મહત્વની T20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમશે. આ સિરીઝમાં હાર્દિકની વાપસી ઘણી મહત્વની છે. જાણો શું છે કારણો….
હાર્દિકની ઈજા બગાડશે…
ODI વર્લ્ડ કપ 2023 પછી, ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમશે. આ સિરીઝ 23 નવેમ્બરથી શરૂ થશે. 2023માં T20 ઈન્ટરનેશનલમાં ભારતની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા તેના પગની ઘૂંટીની ઈજાથી સંઘર્ષ કરી રહ્યા છે અને તેમના માટે ઓસ્ટ્રેલિયા સામે સાજા થવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, હાર્દિકની ઈજા T20ના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અથવા એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતનાર રુતુરાજ ગાયકવાડનું ભાગ્ય બદલી શકે છે.
હાર્દિકના સ્થાને આ ખેલાડીઓને મળી શકે છે તક
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે હાર્દિક માટે તે વધુ સારું રહેશે કે તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય અને ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ દ્વારા વાપસી કરે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હાર્દિકની ગેરહાજરીમાં, સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ માટે પ્રથમ પસંદગી હશે.
સૂત્રએ જણાવ્યું હતું કે, “હાર્દિકને ફિટ જાહેર કરવા અને પસંદગી માટે હાજર થવામાં થોડો સમય છે. તેના માટે વધુ સારું રહેશે કે તે પોતાનું પુનર્વસન પૂર્ણ કરવાનો પ્રયાસ કરે અને દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ દ્વારા પુનરાગમન કરે. “જો કે, આ NCA સ્પોર્ટ્સ સાયન્સ ટીમનો કોલ હશે.”
ટીમના કેપ્ટન તરીકે મળશે આ ખેલાડીને સ્થાન
આગળ, ટીમના કેપ્ટન વિશે વાત કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સૂર્યા પ્રથમ પસંદગી હશે અને રુતુરાજ ગાયકવાડ ટીમની કમાન સંભાળવા માટે બીજી પસંદગી હશે. જો કે, આ દિવસોમાં સૂર્ય ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનો ભાગ છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પછી સૂર્યા પણ તમામ સિનિયર ખેલાડીઓની જેમ આરામ લઈ શકે છે.
સૂત્રએ જણાવ્યું હતું કે, “તે એક સ્વીકૃત નિયમ છે કે ભારતીય વ્હાઈચ બોલ સ્પેશિયાલીસ્ટ ખેલાડીઓ (ખાસ કરીને બેટ્સમેન) IPL સિવાય બંને ફોર્મેટમાં એક વર્ષમાં 25 થી 30 મેચ રમી શકે છે. તેથી, જો સૂર્યા આરામ માટે ન કહે, તો તે કેપ્ટનશિપ માટે પ્રથમ પસંદગી છે. જો તે આરામ કરે તો રુતુરાજ બીજી પસંદગી છે.


