- તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયુ
- મહિલાએ એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હતુ
- દોઢ વર્ષ બાદ તબીબની ધરપકડ કરાઈ
માનવવધનો ગુનો નોંધાયો
સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના મામલો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા એપેન્ડિક્સની સર્જરીમાં બેદરકારી દાખવનાર ડોક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ડોક્ટર નીતિન સાવલિયાની ધરપકડ કરી છે. દોઢ વર્ષ પહેલા એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી. મહિલાના ઓપરેશન સમયે વધુ લોહી વહી જતા મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે મહિલાનું ફોરેન્સિક લેબમાં PM કરાવ્યું હતું. તબીબ સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધાયો હતો.
તબીબની બેદરકારી
સુરતના સરથાણા ખાતે તબીબ સામે સાપરાધ માનવવધ ગુનો નોંધાયો હતો. દોઢ વર્ષ પૂર્વે મહિલાના એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી. સરથાણા પોલીસે ડોક્ટરની કરી ધરપકડ કરી છે. પોલીસે ડોક્ટર નીતિન સાવલિયાની ધરપકડ કરી લીધી છે. ઓપરેશન દરમ્યાન અન્ય નસમાં પંક્ચર પાડી દીધું હતું. લગભગ 1.2 લીટર જેટલું લોહી વહી જતા મહિલાનું મોત થયું હતું. સમગ્ર મામલે સરથાણા પોલીસે મહિલાનું ફોરેન્સિક PM કરાવ્યું હતું. સિવિલની એડવાઇઝરી કમિટીને પણ તપાસ આપવામાં આવી હતી. ફોરેન્સિક PM માં તબીબની બેદરકારી સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
મહિલા ભાવનગરના વતની હતા
મહિલા મૂળ ભાવનગરના પાલિતાણા તાલુકાના ઘેટી ગામના વતની હતા અને હાલ સુરતમાં રહેતાં હતા. મહિલાને એપેન્ડિક્સની તકલીફ થઈ હતી. જુલાઈ-2022માં સરથાણા જકાતનાકા ખાતે આવેલી રોયલ આર્કેડના ત્રીજા માળે આવેલી આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ તબિયત લથડી ગઈ હતી અને બાદમાં કરુણ મોત થયું હતું.
પરિવારનો આક્ષેપ
આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ઓપરેશન બાદ કલાકો સુધી મહિલા ભાનમાં આવ્યા ન હતા. તેણીના હોઠ સફેદ થઈ ગયા છતાં કોઈ દરકાર લેવામાં આવી ન હતી અને એનેસ્થેસિયાના ઓવરડોઝથી મોત થયું હોવાના આરોપ પણ પરિવારજનોએ કર્યો હતો. જે-તે સમયે પરિવારે ડેડબોડી લઈ જવાનો પણ ઈન્કાર કર્યો હતો. આખરે પોલીસે ન્યાયની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.
પોસ્ટમાર્ટમ રીપોર્ટ બાદ તબીબની ધરપકડ
ત્યારબાદ મૃતક મહિલનું પોસ્ટમોર્ટ્સ કરાયું હતું અને એફએસએલમાં ચકાસણી માટે મોકલી અપાયું હતું અને પોલીસે સિવિલના એક્સપર્ટ્સનો પણ ઓપિનિયન માંગ્યો હતો. જે કમિટીને દર્દીના મેડિકલ કેસ પેપર સહિતના ડોક્યુમેન્ટ્સ મોકલી અપાયા હતા. ભૂલથી લોહીની નસમાં કાણું પાડતા 1.2 લિટર લોહી વહ્યું હતું. તાજેતરમાં સિવિલની એડવાઇઝરી કમિટીનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં તબીબે સર્જરી દરમિયાન એપેન્ડિક્સની બાજુમાં એક લોહીની નસમાં કાણું પાડી દેતા નસમાંથી આશરે 1.2 લિટર જેટલું લોહી વહી ગયું હતું. જેથી પ્રિયંકાબેનનું મોત થયું હોવાના એક્સપર્ટ્સના રિપોર્ટના આધારે સરથાણા પોલીસે આનંદ સર્જિકલ અને ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર નિતિન સાવલિયા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો.


