લગ્નજીતા ચક્રવર્તીએ આરોપ લગાવ્યો છે કે આરોપી મહેબૂબ મલિકે લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન દુર્વ્યવહાર કર્યો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગાયિકા સાથે દુર્વ્યવહાર કરાયો
પશ્ચિમ બંગાળમાં ગાયિકા લગ્નજીતા ચક્રવર્તીને એક કોન્સર્ટમાં “ધર્મનિરપેક્ષ” ગીત ન ગાવા બદલ હેરાન કરવામાં આવી હતી. આયોજક મહેબૂબ મલિકે ધાર્મિક ગીત “જાગો મા.” ગાવા બદલ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મલિકની પછીથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને પોલીસ અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે, ભાજપે તેને “હિંદુ વિરોધી” ગણાવ્યું છે.
ગાયિકાએ જણાવી આપવીતી
વરિષ્ઠ પોલીસ અધિકારી મિતુન ડેએ જણાવ્યું હતું કે મલિક આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને શાળાના માલિક હતા. બંગાળી ટ્રેક “બસંતો એશે ગેશે” થી ખ્યાતિ મેળવનાર લગ્નજીતા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે તે બંગાળી ધાર્મિક ગીત “જાગો માં” ગાઈ રહી હતી, જ્યારે મલિક “સ્ટેજ પર આવ્યા અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણીએ કહ્યું કે આ પછી તે પ્રદર્શન ચાલુ રાખી શકી નહીં. તેણીએ માઈક્રોફોન પર શ્રોતાઓને કહ્યું કે હાલના સંજોગોમાં તેના માટે પ્રદર્શન ચાલુ રાખવું અશક્ય છે. તે પ્રદર્શન ચાલુ રાખી શકશે નહીં.
ગાયિકાના આરોપો બાદ રાજકારણ ગરમાયું
ભાજપે આરોપ લગાવ્યો કે મલિક શાસક તૃણમૂલ કોંગ્રેસના સભ્ય હતા. ભાજપના શંકુદેવ પાંડાએ કહ્યું, પશ્ચિમ બંગાળ જેહાદીઓના હાથમાં છે. તેઓ ગાયિકાને કયા ગીતો ગાવા તે નક્કી કરી રહ્યા છે. આ એક હિન્દુ વિરોધી યુક્તિ છે. તેમણે આરોપ લગાવ્યો, જ્યારે તેઓ પોલીસ સ્ટેશન ગયા, ત્યારે સીએમ મમતા બેનર્જીની પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.


