21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગાભ્યાસનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. તેની કહાનીઓ વર્ષો જુના ગ્રંથોમાં પણ લખાયેલી છે. શરીરની તંદુરસ્તી જાળવવા માટે યોગાસન કરવા ખૂબ જરુરી છે. યોગાભ્યાસ દ્વારા એકાગ્રતા વધે છે. અને શારિરીક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. વધતી ઉંમરમાં યોગાભ્યાસ રોગોના ઇલાજ માટે રામબાણ સમાન ગણાવામાં આવે છે.
30 વર્ષની ઉંમર બાદ પણ રહો ફિટ
30 વર્ષની ઉંમર થયા બાદ મહિલા અને પુરુષોએ યોગાભ્યાસ શરુ કરી દેવો જોઇએ. કારણ કે 30 વર્ષની ઉંમર બાદ શારિરીક ફેરફારો વધુ જોવા મળે છે. આવા સમયે દવાઓના સ્થાને યોગાસનોની શરૂઆત વધુ ફાયદાકારક નિવડશે. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવે છે. પીએમ મોદીએ યોગનું મહત્ત્વ સમજાવતા આ યોગા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે.
કેમ જરુરી છે યોગા કરવું ?
વધતી ઉંમરની સાથે શરીરમાં જોવા મળતા ફેરફાર ગંભીર રૂપના લે તે માટે યોગાભ્યાસ જરુરી છે. શારિરીક ફેરફારમાં પાંચન શક્તિ નબળી થવી, હાડકાંઓમાં દુઃખાવો થવો, હોર્મોન્સમાં બદલાવ થયો. માનસિક તાણ અને વજન વધવુ વગેરે જેવી સ્થિતિઓ જોવા મળે છે. ત્યારે આ ફેરફારને સ્થિર કરવા અથવા બદલવા તબીબી તપાસ કરવામાં આવે છે. અને દવાઓ પીવી પડે છે. ત્યારે રોજ માત્ર 30 મિનિટ યોગા કરીને ફીટ રહી શકાય છે. તાડાસન, ભુજંગાસન, વજ્રાસન, સેતુબંધાસન 30 વર્ષની ઉંમરને પાર કરી ચુકેલા સ્ત્રી-પુરુષે કરવા જોઇએ. જેના કારણે શારિરીક તંદુરસ્તી જળવાઇ રહે છે.