રાજસ્થાનના જોધપુરમાં આવેલા આયુર્વેદ વિભાગે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે તૈયારીઓ શરુ કરી છે. અહીંના યોગ દિવસમાં અન્ય બાબત ખાસ છે. 21 જૂન 2025ના રોજ 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જેને લઇને એક થીમ પર હાલ કામ ચાલી રહ્યુ છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ નક્કી કરવામાં આવી છે. ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’નો સંકલ્પ સાથે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આયોજનની તૈયારીઓ કરાઇ શરુ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ભવ્ય તૈયારીઓ ચાલુ છે. અને શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમ સંપન્ન થાય તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આયુર્વેદ વિભાગના નોડલ અધિકારીએ જણાવ્યુ હતુ કે, યોગ દિવસની ઉજવણીએ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ લાવવા માટે થઇ રહી છે. આને દૈનિક જીવનનો ભાગ બનાવવો જોઇએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન રાજકીય સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યુ છે.
યુવાઓ સમજે યોગનું મહત્ત્વ
રોજ આયોજિત થનાર યોગ અભ્યાસ માટે આયુર્વેદ ચિકિત્સક અધિકારી ડૉ.ગોપાલ નારાયણ શર્મા અને તબીબ રામલાલ જાટની નિયુક્તિ કરવામાં આવી છે. જે યુવાઓને યોગનું મહત્ત્વ સમજાવે છે. આ અભ્યાસમાં પ્રિયદર્શિની કલ્લા, ભોમારામ ચૌધરી, મહેન્દ્ર ડૂડી, પ્રીતી ખોખોરા વિશિષ્ટરૂપે ભાગ લઇ રહ્યા છે. આ વખતે વિશાખાપટ્ટનમમાં પીએમ મોદી યોગ દિવસની ઉજવણી કરશે. અને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે.