અમદાવાદમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના ઉપલક્ષમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઉન્ટ ડાઉન યોગ શિબિરનું આયોજન કરાયું હતુ.
અમદાવાદમાં 10 હજારથી વધુ લોકોએ એકસાથે કર્યો યોગ
અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આજે 10 હજારથી વધુ લોકોએ એક સાથે યોગ કર્યો હતો, CM ભૂપેન્દ્ર પટેલ પણ યોગ શિબિરમાં જોડાયા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરુપે શિબિરનું આયોજન કરાયું હતુ, મેદસ્વિતા મુક્ત ગુજરાતનું સરકારનું લક્ષ્ય છે, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ, યોગથી લોકોમાં તંદુરસ્તી, સંતુલન લાવવાનો પ્રયાસ છે.
યોગ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં
અમદાવાદ ખાતેની યોગ શિબિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા શિબિરમાં અને 10 હજાર થી વધુ લોકો એક સાથે કર્યા યોદ, યોગ થકી લોકોમાં તંદુરસ્તી ,સંતુલન,અંતરીક્ષ શાંતિ લાવવાનો પ્રયાસ છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે કર્યુ યોગનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મનકી બાત’માં મેદસ્વિતા નિવારણ ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત તા. 11જૂન, બુધવારે સવારે 5-30 થી 7-30 દરમિયાન ઈવેન્ટ સેન્ટર, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા યોગ શિબિરનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનાર યોગ શિબિરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તેમજ MP દિનેશ મકવાણા, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેટલાક મંત્રી અને ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.