વર્ષ 2024 ભારતીય ટીમ માટે ઘણી રીતે ઘણું સારું રહ્યું છે. ઘણા નવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી. ટીમે ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. જો કે ભારતીય ટીમને હોમ સિરીઝમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના મજબૂત ખેલાડી માટે આ વર્ષ ઘણું ખરાબ રહ્યું છે. આ ક્રિકેટરે વિચાર્યું પણ નહીં હોય કે મામલો આટલો બગડશે. ગત વર્ષે વર્લ્ડ કપ બાદ ઈશાન કિશને ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી રજા માંગી હતી.
BCCIએ કમબેક કરવાનો ના આપ્યો મોકો
આ પછી BCCIએ તેને ટીમમાંથી બહાર કરી દીધો અને તેને ટીમમાં પરત ફરવાની તક આપી ન હતી. ઇશાન કિશન આ વર્ષે રાહ જોતો રહ્યો અને તેને રમવાની તક મળી નહીં. આ ઉપરાંત તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. ઈશાન કિશન અને શ્રેયસ ઐયર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું પરંતુ તેને પછીથી તક મળી હતી.
કિશનને તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરાયો
ઈશાન કિશન રણજી ટ્રોફીમાં રમ્યો ન હતો કારણ કે તેણે માનસિક થાકને કારણે રજા માંગી હતી. બીસીસીઆઈએ તેને નેગેટિવ પોઈન્ટ બનાવ્યો અને તેને વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો. હવે ઈશાન કિશનના પરત ફરવાના તમામ દરવાજા બંધ થઈ ગયા છે. તે આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કિશને ઘરેલુ ક્રિકેટમાં પણ સદી ફટકારી હતી.


