- સોમવારે પીએમ માઈન અબ્દુલ મલિક સઈદને બર્ખાસ્ત કરાયા
- તેઓ 2018થી યમનના પીએમ રહ્યા હતા
- વિદેશમંત્રી અહમદ અવદ બિન મુબારકને નવા પીએમ બનાવાયા
યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રપતિ પરિષદે સોમવારે એક પગલું લીધું અને તેમાં પીએમ માઈન અબ્દુલ મલિક સઈદને બર્ખાસ્ત કરી દીધા છે. તેઓ 2018થી યમનના પીએમ રહ્યા હતા. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધન યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. યમન રાષ્ટ્રપતિ પરિષદે હાલમાં વિદેશમંત્રી અહમદ અવદ બિન મુબારકને દેશના પીએમ નિયુક્ત કર્યા છે. બિન મુબારક સઉદી અરબની ઘણી નજીક છે.
ફેરબદલનું કારણ સામે આવ્યું નથી
રાષ્ટ્રપતિ પરિષદે આ ફેરબદલનું કારણ જણાવ્યું નથી. ઉલ્લેખનીય છે કે યમન 2014થી જ ગૃહયુદ્ધમાં ફસાયું છે જ્યારે ઈરાન સમર્થિત વિદ્રોહીઓ જેને હૂતી નામથી ઓળખવામાં આવે છે તેણે રાજધાની સના અને ઉત્તરના મોટાભાગ પર કબ્જો કરી લીધો હતો. ત્યારે સઉદી અરબના નેતૃત્વના સૈન્ય ગઠબંધને યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો અને 2015થી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને સત્તામાં લાવવાની કોશિશ કરવા માટે વિદ્રોહી જૂથ હૂતી સાથે લડી રહ્યું છે.
એક દશકાથી ગૃહ યુદ્ધમાં ફસાયું છે યમન
લગભગ એક દશકથી ચાલી રહેલા આ ગૃહ યુદ્ધે પહેલાથી જ સૌથી ગરીબ અરબ દેશ યમનને વધારે તબાહ કરી દીધું છે. હૂતી હુમલાવરો અને નાગરિકો સહિત 150000થી વધુ લોકોના મોત થયા છે. હાલમાં હૂતી અને સઉદી અરબની વચ્ચે વાતચીત થઈ છે. તેનો હેતુ યમનમાં ગૃહ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. બંને પક્ષોએ કહ્યું કે તેઓએ સંઘર્ષ વિરામને માટે સકારાત્મક ચર્ચા કરી છે. હૂતી- સઉદી વાર્તા યમનમાં ચાલી રહેલા સંઘર્ષનું રાજકીય સમાધાન શોધવાના વ્યાપક પ્રયાસોનો ભાગ રહી છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા પછીથી શાંતિ પ્રયાસોમાં બાધા આવી છે. હૂતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં શિપિંગ માર્ગમાં હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે લાલ સાગરમાં તેમની કાર્યવાહી ફિલિસ્તીન અને હમાસની સામે ઈઝરાયેલના સૈન્ય અભિયાનની પ્રતિક્રિયા છે. ઉલ્લેખનીય છે કે હૂતીની જેમ હમાસ પણ ઈરાન સમર્થિત સશસ્ત્ર સંગઠન છે. લાલ સાગરમાં વ્યાપારિક જહાજ પર હૂતીના હુમલાને અમેરિકા અને બ્રિટનના યમનમાં વિદ્રોહીઓના કબ્જા વાળા વિસ્તારો પર એરસ્ટ્રાઈક શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે.


