By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    7 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    7 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    7 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: યોગસાધના સઘળાં ભૌતિક દુ:ખોને હરે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

યોગસાધના સઘળાં ભૌતિક દુ:ખોને હરે છે

agragujaratnews
Last updated: 2024/03/01 at 1:54 PM
1 year ago
Share
યોગસાધના સઘળાં ભૌતિક દુ:ખોને હરે છે
SHARE

યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ II

યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુ:ખહા II6/17II

અર્થ : જે મનુષ્ય ખાવાપીવામાં હરવાફરવામાં કર્મોની પ્રવૃત્તિમાં તેમજ ઊંઘવા જાગવામાં યોગ્ય પ્રમાણ જાળવે છે તેની યોગસાધના સઘળાં ભૌતિક દુ:ખોને હરે છે.

ભગવાને ભગવદ્ ગીતામાં જ આહાર અને વિહારને નિયંત્રિત કરવાની શિખામણ આપેલી છે.

  • ખાવામાં ધ્યાન રાખવું.
  • પીવામાં (નશીલા પદાર્થો નહીં) પણ શરીરને અનુરૂપ લાગે તેવાં પીણાંનું યોગ્ય માત્રામાં સેવન કરવું.
  • હરવા-ફરવામાં કાળજી રાખવી, સમય અનુસાર અને ઋતુ અનુસાર જ વિહાર કરવો, આડેધડ જ્યાંત્યાં ફર્યા કરવાનો કે રખડ્યા કરવાનો કોઈ અર્થ નથી.
  • ઊંઘ પણ માફકસરની લેવી. બિનજરૂરી જાગરણો પણ ટાળવાં.
  • પોતાના ભાગે આવતાં કાર્યો પણ સમયસર અને સમજીવિચારીને કરવાં જોઈએ.
  • માત્ર ઊંઘ્યા કરવું કે માત્ર જાગ્યા જ કરવું કે પછી સમજ્યા વગર ગધેડાની પેઠે વૈતરું કરવાનો પણ કોઈ અર્થ નથી.

ટૂંકમાં, આહારવિહાર, ખોરાક, ઊંઘવા જાગવા અને પોતાનાં કર્મોનાં યોગ્ય પ્રમાણ તેની જરૂરિયાતને ધ્યાને રાખીને જાળવીએ તો યોગસાધના અર્થાત્ ભક્તિ પણ સારી રીતે થઇ શકે છે અને સરવાળે તેનાથી આપણાં દુ:ખ દૂર થઇ શકે છે. જીવનમાં અમુક ચોક્કસ પ્રકારના નિયમો કે વ્રતો પાળવાથી આરોગ્ય સારું રહે છે અને આત્માનું કલ્યાણ સાધી શકાય છે.

યદા વિનિયતમ ચિત્માત્મન્યે વાવતિષ્ઠતે II

નિ:સ્પૃહ: સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચતે તદા II6/18II

અર્થ : જ્યારે યોગી યોગસાધના વડે મનની બધી પ્રવૃત્તિઓને નિયમમાં રાખી ભગવત તત્ત્વમાં સ્થિર થાય છે અને સઘળી કામનાઓ વિશે સ્પૃહારહિત બને છે ત્યારે તે યોગસિદ્ધ કહેવાય છે.

વ્યક્તિએ યોગસિદ્ધ બનવું હોય તો તેણે શું કરવું જોઇએ? અથવા કોઇ વ્યક્તિ યોગસિદ્ધ થયો છે એવું ક્યારે કહી શકાય? યોગ એટલે ઈશ્વર સાથેના જોડાણની પ્રક્રિયા અથવા તો ક્રિયા. ઈશ્વર સાથે જોડાવું હોય તો એના માટે ઘણી મોટી સાધના કરવી પડે. આ સાધનામાં સૌથી પ્રથમ આવે છે મનની બધી પ્રવૃત્તિઓને નિયમિત કરવી. મનના વિચારો કે તરંગોને જો નિયંત્રિત ન કરી શકો તો તમે યોગ કે યોગસાધના કશું જ કરી શકો નહીં.

જો તમે મનની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી શકો તો પછી તમારું મન ભગવદ્ તત્ત્વમાં રસ લેવાનું શરૂ કરશે અને જો તમે એમાં સતત આગળ વધતા રહેશો તો એ ભગવદ્ તત્ત્વ ઉપર સ્થિર થવા લાગશે. તમારું મન ભગવદ્ તત્ત્વ ઉપર સ્થિર થાય એટલે તમને મોટી સફળતા મળી કહેવાય. આમ, મનને અથવા મનની પ્રવૃત્તિઓને જે નિયંત્રિત કરી દે છે તેને ભગવદ્ તત્ત્વ સરળતાથી પ્રાપ્ત થઈ જ જાય છે. મન ભગવદ્ તત્ત્વ પર સ્થિર થાય પછી તમારી મનની કામનાઓને બીજા કશાયની સ્પૃહા કે ઇચ્છા રહેશે જ નહીં અને વ્યક્તિના મનની સ્પૃહારહિત (ઇચ્છારહિત) અવસ્થા એટલે જ તે વ્યક્તિએ પ્રાપ્ત કરેલો યોગ સિદ્ધ તરીકેનો તબક્કો.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત
હેલ્થ

Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત

By 3 days ago
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર
Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ
US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?