યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવાશની ડેટિંગની ચર્ચા વચ્ચે ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્માની પ્રતિક્રિયા ફરીવાર સામે આવી છે. તેણે પોતાના જીવન, કારકિર્દી અને નવી શરૂઆત અંગે વાતચીત કરી હતી. યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવાશના સંબંધ અંગે ચુપ્પી તોડીને તેણે પ્રેમ એક અમૂલ્ય વસ્તુ હોવાનું જણાવ્યુ હતુ. સાથે જ તે ભવિષ્યમાં કયા લક્ષ્યાંક રાખ્યા છે. તે અંગે ચર્ચા પણ કરી હતી.
ધનશ્રી વર્માની પ્રતિક્રિયા ચર્ચાનો વિષય
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ ડિસેંબર 2020માં લગ્ન કર્યા હતા. અને બાદમાં સંબંધોમાં તિરાડ પડતા તેઓએ વર્ષ 2025માં છૂટાછેડા લઇને અલગ થયા હતા. જે બાદ યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી આરજે મહવાશ સાથે ડેટિંગ કરી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. તો આ તરફ, ધનશ્રી વર્માએ ફરી પોતાના જીવનમાં નવી શરૂઆત થઇ હોવાનું જણાવ્યુ છે. ધનશ્રીએ કારકિર્દીમાં આગળ વધવા અંગે સંકેત આપ્યોહતો. ધનશ્રીએ જણાવ્યુ હતુ કે, હું હમેંશા માનુ છું કે, પ્રેમ જીવનની સૌથી અમુલ્ય વસ્તુ છે. તેના વિશે સમય સાથે તમારા વિચાર પણ વિકસે છે. તેણે વધુમાં કહ્યુ હતુ કે, હું મારા કામ અને કારકિર્દી પર ધ્યાન આપી રહી છું. અને સાથે જ જીવનને સકારાત્મક દિશામાં લઇ જવા માટે પણ પ્રયત્ન કરું છું.
પરિવાર સૌથી વધુ જરુરીઃ ધનશ્રી વર્મા
ધનશ્રી વર્માએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યુ હતુ કે, ભવિષ્યમાં જે પણ સમય સામે આવશે તેને હું સ્વીકારીશ. પરંતુ વર્તમાન સમયમાં મારોસ પરિવાર અને કારકિર્દી ખૂબ મહત્ત્વની છે. જનતા તરફથી થતી ટીકા-ટીપ્પણી વિશે ધનશ્રીએ જણાવ્યુ હતુ કે, તે આ બધી વાતો પર ધ્યાન નથી આપતી. તે પરેશાન નથી થતી. તે હાલ પોતાની જવાબદારીઓ પર ધ્યાન આપી રહી છે.
કારકિર્દીના લક્ષ્યાંક વિશે ધનશ્રીએ શું કહ્યુ ?
જાહેરમાં થતી ટીકા-ટીપ્પણીને હું અંગત જીવનમાં પ્રવેશવા નથી દેતી. તેના કારણે હું ક્યારેપણ પરેશાન થઇ નથી. અને થઇશ પણ નહી. હોબાળાની અવગણના કરવી એ સકારાત્મકતાનું પ્રથમ પાસું છે. અને પોતાના જીવનમાં સતત વિકાસ કરતા રહેવું એ મારો લક્ષ્યાંક છે.


