By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: પારસીઓનું નવું વર્ષ : નવરોજ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પારસીઓનું નવું વર્ષ : નવરોજ

agragujaratnews
Last updated: 2024/03/14 at 6:36 AM
1 year ago
Share
પારસીઓનું નવું વર્ષ : નવરોજ
SHARE

વિવિધ ઉત્સવો, પર્વો અને મેળાઓના દેશ ભારતમાં પારસી સમુદાયના લોકો માટે નવ વર્ષ `નવરોજ’ આસ્થા અને ઉત્સાહનો સંગમ હોય છે. અહીં નવનો અર્થ છે નવો અને રોજ એટલે દિવસ. આ રીતે નવરોજ શબ્દ બન્યો છે.

પારસીઓ આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક ઊજવે છે. તેઓનો ઉત્સાહ એટલો બધો હોય છે કે તેઓ આખું વર્ષ આ તહેવાર આવવાની રાહ જોતા હોય છે. નવરોજ વસંત ઋતુની શરૂઆતમાં આવે છે અને દર વર્ષે 21 માર્ચે આ તહેવાર ઊજવાયછે. પારસીઓ ઉમળકાભેર આ ઉત્સવની ઉજવણી કરે છે. તેઓ માત્ર નવાં કપડાં પહેરીને કે ઘર સજાવીને જ આ તહેવારની ઉજવણી કરતા નથી, પરંતુ આ દિવસે ધાર્મિક બાબતોને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. તેઓ એકબીજાને શુભકામનાઓ આપે છે અને તેમના પવિત્ર સ્થળ અગિયારીમાં જઈને પૂજન-અર્ચન કરે છે. સામાન્ય રીતે 21 માર્ચ એ વસંતનો પહેલો દિવસ હોય છે. તે દિવસે પ્રકાશ અને અંધકાર બંને સરખાં હોય છે. જ્યારે સૂર્ય વિષુવવૃત્ત રેખા પર પહોંચી જાય છે અને દિવસ-રાત સરખાં થઈ જાય છે તે ચોક્કસ સમયને જમશેદી નવરોજ કહે છે. આ દિવસોમાં અશોક વૃક્ષ ફૂલેફાલે છે અને આંબા પર મોર આવવા લાગે છે. પાનખરમાં જે વૃક્ષનાં પાન ખરી પડ્યાં હોય છે તેના પર નવાં પાન ફૂટે છે. ચારે બાજુ નવી હરિયાળી છવાઈ જાય છે. ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું લાગે છે, તેથી નવરોજ ખરા અર્થમાં મોસમના ઉલ્લાસનું પર્વ છે.

ઉજવણી પાછળની કથા

 પારસી લોકો નવરોજ ફારસના રાજા જમશેદજીની યાદમાં આ દિવસ મનાવે છે, જેમણે પારસી કેલેન્ડરની રચના કરી હતી. પારસી લોકો એવું માને છે કે આ દિવસે આખી કાયનાત (દુનિયા) બનાવવામાં આવી હતી. નવરોજને ઈરાનમાં એદે-નવરોજ કહેવામાં આવે છે. પારસી લોકો આ ઉત્સવને હંમેશાં `જમશેદી નવરોજ’ કહે છે. આ દિવસનો એક અનોખો રિવાજ એ હતો કે રાજાને સોના-ચાંદી સાથે તોલવામાં આવતા. ત્યારબાદ તેનું ગરીબ લોકોને દાન કરી દેવામાં આવતું.

પરંપરા

પારસી પરંપરા અનુસાર આ દિવસે લોકો મેજ પર પવિત્ર વસ્તુઓ રાખે છે. તેમાં જરથ્રુષ્ટ્રની તસવીર, મીણબત્તી, અગરબત્તી, ફળ, ફૂલ, ખાંડ, સિક્કા વગેરેનો સમાવેશ થાય છે. એવી માન્યતા છે કે તેનાથી પરિવારના લોકોનું આયુષ્ય અને સમૃદ્ધિ વધે છે. નવરોજના દિવસે પારસી પરિવાર પોતાના ઉપાસના સ્થળે જાય છે. આ દિવસે ઉપાસના સ્થળોએ આભાર વ્યક્ત કરતી પ્રાર્થનાઓ કરવામાં આવે છે. જેને જશ્ન કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર અગ્નિને લોકો ચંદનનાં લાકડાં ચઢાવે છે. પ્રાર્થના થઈ ગયા પછી પારસી લોકો એકબીજાને સાલમુબારક કહે છે.

ઉજવણી

નૂતન વર્ષના આ દિવસે પારસી લોકો પોતાનાં ઘરોને સજાવે છે. વહેલી સવારે ઊઠીને દૈનિક કાર્યોમાંથી નિવૃત્ત થઈને નવાંનવાં કપડાં પહેરે છે. ત્યારબાદ સુગંધિત અગરબત્તી સળગાવીને વાતાવરણને શુદ્ધ કરવામાં આવે છે. પારસી લોકો નવા વર્ષના આ દિવસે વિશેષ વાનગીઓ બનાવે છે. તેમાં સેવૈયા (મીઠી સેવ), મીઠો ભાત, મીઠો રવો અને પુલાવ મુખ્ય હોય છે. આ દિવસે ઘરે આવનારા મહેમાનોનું સ્વાગત ગુલાબજળ છાંટીને કરવામાં આવે છે. નવરોજના આ અવસરે કેટલાક લોકો દાન-પુણ્ય કરવા માટે ગરીબોને ભોજન પણ કરાવે છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી
રાષ્ટ્રિય

Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી

By 1 day ago
Rakshabandhan Special : રક્ષાબંધન તહેવાર પહેલા જાણી લો મહત્વની વાત, ભૂલથી પણ આ લોકોને ના બાંધવી રાખડી
Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન
Health Tips : તહેવાર ખવાતી મીઠાઈ બની દાંતની દુશ્મન, દાંતના ભયંકર દુખાવામાં ઝડપી રાહત મેળવવા કરો આ ઉપચાર
Health Tips : વરસાદી સિઝનમાં બાળકોમાં ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય ફરિયાદ ના કરો નજરઅંદાજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?