By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    41 minutes ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    2 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    3 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    4 hours ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ૬૦ હજાર કાશ્મીરી પંડીત પરિવાર વતન ઝૂરાપો વેઠે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

૬૦ હજાર કાશ્મીરી પંડીત પરિવાર વતન ઝૂરાપો વેઠે છે

agragujaratnews
Last updated: 2024/02/20 at 8:33 PM
1 year ago
Share
૬૦ હજાર કાશ્મીરી પંડીત પરિવાર વતન ઝૂરાપો વેઠે છે
SHARE

3૭૦ની કલમ હટી ગઇ પરંતુ વતન પરત જવા ઇચ્છતા કાશ્મીરીઓની અરજ બહેરા કાને અથડાય છે

વતન ઝૂરાપો શું છે એ તો જેમણે વતન ઝૂરાપો ભોગવ્યો હોય તેને જ ખબર પડે. વિશ્વમાં સૌથી કમનસીબ જાતી યહુદીઓ કહેવાય છે. તેમને ભાગે પેઢીઓ દર પેઢી પોતાની માતૃભૂમિની તરસ રહી છે. વિશ્વમાં આવી જ એક જાતી છે. કમનસીબે તે ભારતમાં છે. કાશ્મીરી પંડિતોની. કાશ્મીરી પંડિતોએ ૧૯૮૯ના આતંકી નૃસંશ હત્યાકાંડ બાદ વતન છોડયુ હતુ. બલકે તેમને લાચારી સાથે વતન છોડવુ પડયુ હતું.ડર અને દહેશતના માહોલમાં છોડવુ પડ્યુ હતું. આજે આ ઘટનાને 3પ વરસના વહાણા વહી ગયા છે. છતાં કાશ્મીરી હતભાગી પરિવારોને તેમનું માદરે વતન નસીબ નથી થયુ. કમનસીબીની વાત એ છે કે કાશ્મીરમાં 3૭૦ની કલમ હટયા બાદ જે આશા બંધાઇ હતી તે પંડિતો માટે ઠગારી નિવડી છે. ૬૦ હજાર કાશ્મીરી પંડિત પરિવારો તેમનું સ્વર્ગ જેવુ વતન કાશ્મીર છોડી અન્યત્ર વસે છે. તેમના માટે આંદોલન ચલાવનાર અને તેમને આશા બંધાવનાર લોકો આજે અદ્રશ્ય થઇ ગયા છે. આજે કાશ્મીરીઓ પંડિતોને કાશ્મીરમાં પુન: વસવાટ કરવો છે. ઘરવાપસી કરવી છે. પરંતુ બહેરા તંત્રને કાને આ વાત અથડાતી નથી.

કાશ્મીરી પંડીતોને વતનમાં વસવાટ કરવા માટે ચાલતું આંદોલન એક આખી પેઢી સુધી ચાલ્યુ. આ પેઢી ખતમ થઇ ગઇ છે. પરંતુ તેમનો વતન ઝૂરાપો ખતમ નથી થયો. ૬૦ હજાર પંડિત પરિવારમાંથી ૪૧૯ પરિવારો તો એવા છે કે તેમને સરકારની મદદ વગર પણ વતન જવુ છે. તેમની અરજીઓ પાંચ પાંચ વરસથી તંત્રની ફાઇલમાં ધુળ ખાય છે. પરંતુ તેનો નિકાલ આવતો નથી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાશ્મીરી પંડિતોની હાલત ખુબ ખરાબ થઇ હતી. પરંતુ કાશ્મીરી પંડીતો સહિતના મુદે કેન્દ્રમાં ભાજપની સરકાર સતા ઉપર આવ્યા બાદ ફરી એક વખત કાશ્મીરી પંડિતોના જીવનમાં આશા બંધાણી. પરંતુ બબ્બે ટર્મ સુધી સતામાં રિપિટ થયા બાદ પણ વર્તમાન સરકાર કાશ્મીરી પંડીતોનો પુન: વસવાટ કરાવી શકી નથી. મજબુત સરકારની આ નબળાઇ વિષે પણ વિચાર કરવો જોઇએ.

ર૦ર૧ની સાલના ફેબ્રુઆરી મહિનામાં કાશ્મીરી પંડિતોએ ગૃહમંત્રાલયમાં અરજી કરી હતી. તેઓ પોતાની જીમ્મેદારી ઉપર સરકારની કોઇ સહાય વગર વતનમાં જવા ઇચ્છતા હતાં. ઘરવાપસી ઇચ્છતા હતાં. ૪૧૯ પરિવારોએ મરવુ પડે તો વતનની માટીમાં મરવુ એવી તૈયારી સાથે સરકારને અરજ કરી હતી. પરંતુ સરકારના બહેરા કાને આ અરજ સંભળાઇ નથી.

ર૦૧૯થી કાશ્મીરમાં લેફટનન્ટ ગવર્નરનું શાસન છે. એટલે કે કેન્દ્ર શાસિત શાસન છે. સરકારે લાખો કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યુ છે. ત્રણ વર્ષમાં કાશ્મીર બજેટ માટે 3.3૮ લાખ કરોડની ફાળવણી થઇ છે. પુન:વસન માટે આ બજેટના અઢી ટકા વાપરવાની જોગવાઇ છે. પરંતુ આ પૈસાની ફાળવણી પંડિતોના પુન:વસન માટે થઇ છે કે કેમ? થઇ નથી તો શા માટે નથી થઇ? તેનો તંત્ર કોઇ જવાબ આપતું નથી. જો નવી સરકારના દસ વર્ષના શાસન બાદ પણ કાશ્મીરી પંડિતોને ઘરવાપસી ન મળે તો પંડિતો માટે ગત સરકારો અને આ સરકાર વચ્ચે કોઇ ઝાઝો ફરક નહિ રહે. દેશવાસીઓએ પણ કાશ્મીરી પંડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. પરંતુ આ કમનસીબ પંડિતોના જીવનમાં ઘરવાપસીની એ સવાર કદી પડતી જ નથી. વો સુબહ કભી તો આયેગી….ની સ્થીતિમાં ૬૦ હજાર પંડિત પરિવારો વતન ઝુરાપો વેઠે છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
સ્પોર્ટ્સ

BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?

By 23 hours ago
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
UTT Season 6: સ્નેહિત સુરવજ્જુલાની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીત
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?