- માફીની યોજના પહેલી જાન્યુ.થી શરૂ
- બાકી હપતા નહીં ભરે તો 31 માર્ચથી કાર્યવાહી
- 14 આવાસ યોજનામાં બાકી 19 કરોડના હપતા સામે પેનલ્ટી માફી યોજના
શહેરી વિકાસ સત્તા મંડળ ( ઔડા) દ્વારા પિૃમ વિસ્તારો નિર્ણયનગર, ઘાટલોડિયા, સરદારનગર, વેજલપુર, જોધપુર, રાણીપ, વસ્ત્રાપુરમાં EWSના 2510 યુનિટો બાકી હપ્તાની 8.95 કરોડની રકમ આગામી 31મી માર્ચ સુધીમાં નહીં ભરે તો મકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. EWS આવાસોના હપ્તાની બાકી રકમ પર 19.50 કરોડ પેનલ્ટી માફીની યોજના પહેલી જાન્યુઆરીથી શરુ થઇ રહી છે. જેથી મકાન માલિકો પાસે ત્રણ મહિનાનો સમય છે. બાકી હપ્તાની રકમ ભરનાર પ્રત્યેક લાભાર્થીને તેના મકાનનો દસ્તાવેજ કરી અપાશે. પ્રાઇપ લોકેશન પર આવેલા આવાસોના 100 ટકા દસ્તાવેજ થઇ જાય તો ભવિષ્યમાં રિડેવલપમેન્ટનો પણ મકાન માલિકોને લાભ મળી શકે છે.
ઔડા દ્વારા આવાસ યોજના હેઠળ 2011થી ત્રણ માળીયા EWS મકાનોના બનાવવામાં આવ્યા હતાં. 14 આવાસ યોજનામાં 5778 મકાનો બનાવ્યા હતાં. જેમાંથી 3268 મકાન માલિકોએ હપ્તાની રકમ ભરી દીધી છે. જ્યારે 2014થી 2510 મકાન માલિકોએ હપ્તાની રકમ ભરવાનું બંધ કરી દીધું હતું. આ સમય હપ્તાની રકમ વધુ અને પેનલ્ટીની રકમ ઓછી હતી. પરંતુ વર્ષ 2019 પછી મકાન માલિકોએ હપ્તાની રકમ ભરવાનું બંધ કરી દીધું હતું. જેના લીધે હપ્તાની રકમની સામેે પેનલ્ટીની રકમ વધતી ગઇ હતી. આજે પેનલ્ટીની રકમનો આંકડો 19.50 કરોડ પર પહોંચી ગયો છે. પેનલ્ટી વધુ હોવાથી કોઇ હપ્તો જ ભરતાં નહતાં. ઔડાના અધિકારીઓ હપ્તાની રકમ વસુલાત કરવા જતાં ત્યારે મકાન માલિકો તરફથી પેનલ્ટીની રકમ માફ કરવાની રજૂઆતો થતી હતી. જેના પગલે ઔડાની બોર્ડ બેઠકમાં પેનલ્ટી માફીનો નિર્ણય કરાયો હતો.
ઔડાની ટીમ હપતાની રકમ રિકવર કરવા આવાસ યોજનાના સ્થળે બેસશે
14 આવાસ યોજનામાં બાકી હપ્તાની રકમ ભરવા મકાન માલિકોને ઔડા સુધી લાંબા થવું પડે નહીં, તે માટે આવાસ યોજનાના સ્થળ પર ઔડાની ટીમ બેસાડાશે. ટીમના કર્મચારીઓ સ્થળ પર હપ્તાની રકમના ચેક સ્વિકારશે અને રિસિપ્ટ પણ આપશે. હપ્તાની રકમ ભરનાર લાભાર્થીને તેના મકાનના દસ્તાવેજ કરી અપાશે. એટલેકે, મકાનનો સત્તાવાર માલિક ગણાશે.


