By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ

Editor
Last updated: 2026/03/25 at 2:50 PM
3 months ago
Share
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
SHARE

નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ

વેલ્યુઅરની મિલીભગતથી 143.7 ગ્રામ ખોટા દાગીના ગીરો રાખી બે તબક્કે લોન લીધી; ત્રિમાસિક ઓડિટમાં ભાંડો ફૂટતા ગુનો નોંધાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગરપીપળીયા ગામમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ગોલ્ડ લોનના નામે મોટી ઠગાઈનો પર્દાફાશ થયો છે. અરજદારે નકલી સોનાના દાગીના ગીરો રાખી બે અલગ અલગ તબક્કામાં કુલ રૂ. 7.50 લાખની લોન મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર કૌભાંડમાં બેંકના વેલ્યુઅરની પણ સંડોવણી બહાર આવતા બેંકિંગ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે.
બેંક મેનેજર દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે મેટોડા પોલીસે આરોપી લોન ધારક દિલીપસિંહ હરિસિંહ પરમાર તથા બેંકના વેલ્યુઅર નિલેશ લખમણ મારવીયા સામે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, નગરપીપળીયા સ્થિત યુનિયન બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ ગઢીયાએ પોલીસને જણાવ્યું હતું કે, 2 સપ્ટેમ્બર 2025ના રોજ દિલીપસિંહ પરમાર ગોલ્ડ લોન લેવા માટે બેંકમાં આવ્યો હતો. બેંકની નિયમિત પ્રક્રિયા મુજબ ગોલ્ડ લોન માટે સોનાના દાગીનાની ચકાસણી જરૂરી હોય છે. તેથી બેંકના માન્ય વેલ્યુઅર નિલેશ મારવીયાને બોલાવવામાં આવ્યા હતા. દિલીપસિંહે પ્રથમ તબક્કામાં બે વીંટી, બે ચેઈન અને એક લક્કી સહિત કુલ 91.89 ગ્રામ દાગીના રજૂ કર્યા હતા. વેલ્યુઅરે દાગીનાની તપાસ કરી અને તેમાં 22 કેરેટ (916 હોલમાર્ક) હોવાનું દર્શાવી સાચા સોનાના દાગીના હોવાનો રિપોર્ટ આપ્યો હતો. તેના આધારે બેંક દ્વારા રૂ. 4.50 લાખની ગોલ્ડ લોન મંજૂર કરી અરજદારના ખાતામાં જમા કરવામાં આવી હતી.
આ ઘટનાના માત્ર 20 દિવસ બાદ, 22 સપ્ટેમ્બર 2025ના રોજ દિલીપસિંહ ફરી બેંકમાં આવ્યો અને વધુ નાણાંની જરૂરિયાત હોવાનું કહી એક સોનાની ચેઈન ગીરો રાખી બીજી ગોલ્ડ લોન માંગણી કરી. ફરીવાર વેલ્યુઅર નિલેશ મારવીયાને બોલાવવામાં આવ્યા હતા. તેમણે આ ચેઈનનું વજન 51.81 ગ્રામ બતાવી અને તેને પણ ખરા સોનાનો હોવાનું પ્રમાણિત કર્યું હતું. આ રિપોર્ટના આધારે બેંકે રૂ. 3 લાખની વધુ લોન આપી હતી. આ રીતે કુલ 143.7 ગ્રામ દાગીના ગીરો રાખી દિલીપસિંહે બે તબક્કે રૂ. 7.50 લાખની લોન મેળવી લીધી હતી. શરૂઆતમાં બધું નિયમિત લાગતું હોવાથી બેંકને કોઈ શંકા ઊભી થઈ ન હતી.
પરંતુ 10 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ રીજનલ ઓફિસ તરફથી ત્રિમાસિક ઓડિટ હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓડિટ દરમિયાન તમામ ગોલ્ડ લોન એકાઉન્ટની તપાસ સાથે ગીરો રાખવામાં આવેલા દાગીનાની ફરીથી ચકાસણી કરવામાં આવી હતી. ઓડિટ અધિકારી આશિતભાઈ બારભાયાએ દાગીનાની વિગતવાર તપાસ કરતા દિલીપસિંહ પરમાર દ્વારા ગીરો રાખવામાં આવેલા તમામ દાગીના નકલી હોવાનું બહાર આવ્યું હતું.
આ ચોંકાવનારા ખુલાસા બાદ બેંક મેનેજમેન્ટ હરકતમાં આવ્યું હતું. દિલીપસિંહને બેંકમાં બોલાવી આ મુદ્દે સ્પષ્ટતા માંગવામાં આવી, પરંતુ તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બીજી તરફ, વેલ્યુઅર નિલેશ મારવીયાને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા.
બેંક દ્વારા બંનેને લોનની રકમ પરત ભરવા માટે સમજાવવામાં આવ્યું હતું, છતાં બંનેએ સહકાર આપ્યો ન હોવાથી અંતે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે મેટોડા પોલીસે આરોપી દિલીપસિંહ પરમાર અને વેલ્યુઅર નિલેશ મારવીયા વિરુદ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાત અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ બંને આરોપીઓની ભૂમિકા અને આ કૌભાંડ પાછળ કોઈ મોટું રેકેટ તો નથી ને તે દિશામાં તપાસ કરી રહી છે.
સ્થાનિક લોકોમાં પણ આ બનાવને લઈ ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો માને છે કે જો સમયસર ઓડિટ ન થયું હોત તો આ ઠગાઈ વધુ સમય સુધી બહાર આવી શકી ન હોત અને બેંકને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડત.
બેંકિંગ નિષ્ણાતોનું માનવું છે કે આવી ઘટનાઓ અટકાવવા માટે વેલ્યુએશન પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાની અને ડિજિટલ વેરિફિકેશન જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જરૂર છે. ઉપરાંત, સમયાંતરે કડક ઓડિટ અને ક્રોસ-ચેકિંગ મિકેનિઝમ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ ઉભી થઈ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ તથા અન્ય સંડોવાયેલા લોકો અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જો તપાસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવશે તો આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

You Might Also Like

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રામપરા(નવાગામ)માં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન
રાજકોટ

રામપરા(નવાગામ)માં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન

Editor By Editor 3 days ago
જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો
હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય
સિક્કા અને નાની નોટોની અછતથી દુકાનદારો-ગ્રાહકો વચ્ચે થતી રકઝક
ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?