By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/25 at 4:01 PM
4 days ago
Share
ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
SHARE

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

ઉપનિષદ કાળમાં ‘ગુરૂ’ શબ્દ જ હતો, મથ્થકાળમાં ‘સદગુરૂ’ શબ્દ આવ્યો

આંતરિક રથયાત્રા માટે એક ‘મનોરથ’

સદગુરૂ અને સદગ્રંથ આપણી સાથે-સાથે ચાલે છે

 

કેરિચો (કેન્યા)ની લીલુડી ધરતી પર પ્રવાહિત થઇ રહેલી ‘માનસ રથયાત્રા’ રામકથા ગઇકાલે સાતમા પડાવ પર પહોંચી હતી. કથાના શુભ-મંગલ સ્નેહસંવાદને આગળ લઇ જતાં બાપુએ કહ્યું કે ગુરૂ આપણો સારથી છે માર્ગદર્શક છે. ગુરૂ સાધન નથી. આ ધર્મરથ અંતરસ્થ રથ છે. ગુરૂ અને ગ્રંથ તટસ્થ રહીને (કિનારે રહીને) આપણું માર્ગદર્શન કરે છે. કોઇ સારથી રથીને રથમાં બેસાડીને ઉતરી જાય ખરો? ભગવદગીતામાં કૃષ્ણ અર્જુનને પહેલા રથમાંથી ઉતરી જવાનું કહે છે ત્યારે અર્જુન દલીલ કરે છે કે કેમ? ભગવાન કહે છે ચર્ચા-સંવાદ ન કર, હું કહું છું ને ઉતરી જા! પછી અર્જુન આજ્ઞા માની ઉતરી જાય છે અને પછી કૃષ્ણ ઉતરે છે અને રથ ભડભડ ભડભડ! ફરી અર્જુન પ્રશ્ન કહે છે કે હે, સખા! અત્યાર સુધી રથ કેમ ન બળ્યો? ત્યારે કૃષ્ણ હસતા-હસતા કહે છે કેટકેટલા શસ્ત્રો, ભષ્મના અગ્નિબાણો વગેરે વગેરે આ રથ પર ઝીંકાયા પણ સારથિ હું હતો એટલે તારા રથને ઉની આંચ ન આવવા દીધી, ત્યારે રથની ધજા ઉપર બેઠેલા મારા હનુમાનજી કૃષ્ણને સ્પષ્ટ કહે છે કે, ભગવાન, રથની ધજા ઉપર હું બેઠો છું એટલે રથને કશું થયું નથી! હવે તમે અને અર્જુન પણ રથમાંથી ઉતરી ગયા છો તો હવે હું જ જાઉં…ને હનુમાનજી ઉડી જાય છે ને પછી રથ ભડભડ ભડભડ સળગી જાય છે.

‘ગુરૂ’ શબ્દ ઉપનિષદકાળમાં જ હતો, ‘સદગુરુ’ શબ્દ તો આપણા મઘ્યકાળમાં આવ્યો ને મઘ્યકાલીન સંતવાણી-ભજનવાણીમાં ‘સદગુરૂ’ શબ્દનું ખૂબ જ મહત્વ થયું છે. મેં કહ્યું ને કે ગુરૂ અને ગ્રંથ આપણને દૂરથી, તટસ્થ એટલે કે કિનારે રહીને માર્ગદર્શન આપે છે, જ્યારે ‘સદગુરૂ’ અને ‘સદગ્રંથ’ તો આપણી સાથે ને સાથે ચાલે છે. સદગુરૂ હંમેશા પોતાના શિષ્યની સાથે રહીને જ માર્ગદર્શન આપે છે કે બેટા, અહીં કેડ સમાન પાણી છે, આવી જા, ચિંતા ન કર, જો આ બાજુ કાદવ-કિચડ છે, ખાડા છે. આ રીતે સદગુરૂ હોય એ હંમેશા આપણી સાથે ને સાથે જ રહે છે. આ છે સદગુરૂનો મહિમા.

આપણી આંતરિક રથયાત્રાનો પણ એક મનોરથ છે એ છે મનનોરથ. મનોરથ. આ મનોરથ અંતરસ્થ છે. ઘણા લોકો આપણા મનની વાત જાણી જાય છે, ક્યારેક ક્યારેક. બાકી તમારા-મારા મનમાં શું ચાલી રહ્યું છે એ હજુ સુધી કોઈ જ જાણી શક્યું નથી. સંસારમાં દરેક વ્યક્તિના મનમાં મનોરથ નિરંતર ચાલ્યા જ કરે છે. આ આંતરીક મનોરથના બે પૈડા ક્યા? એના બે ઘોડા ક્યા?લ તો મનોરથના બે પૈડા છે ૧) પૂરુષાર્થ અને ૨) પ્રારબ્ધ. ઘણા લોકો પુરૂષર્થ ખૂબ કરે પણ એના પ્રારબ્ધ ન હોય!  અને ઘણા લોકોના પ્રારબ્ધ હોય તો એને પુરૂષર્થ વગર સફળતા મળે છે. સાધુ પાસે પ્રારબ્ધ હોય છે. મનોરથના બે ઘોડા (૧) મનોબળ અને (૨) પ્રાણબળ. હવે આ મનોરથના સારથિ કોણ? બલભદ્ર, સુભદ્રા અને જગભદ્ર સારથિ છે અને અંતે આપણા મનોરથનું લક્ષ્ય શું છે? હું વારેવારે કહેતો રહું છું એમ આ મનોરથનું લક્ષ્ય …. ૧) સત્ય ૨) પ્રેમ અને 3) કરૂણા.

અમારા અનુબાપુએ (અનુભાઈ હરિયાણી) એક સરસ રચના લખી મોકલી છે, ગાય શકાય એવી રચના છે…

સાંભળ મારા મીત, મૌન મારું ગીત,

આંસુ મારી રીત, તું ક્યાંથી જાણે પ્રીત?

આંસુએ અંઘોળ કરી, મેં આંખે આંજી પ્રીત,

હરિએ ત્રોફ્યું ત્રાજવું, મેં તારું નામ કર્યું અંકિત!

આપણા હરિશભાઈ (હરિશચંન્દ્ર જોશી)નો પણ આ સંદર્ભનો એક સરસ શેર છે

આંખમાં આંસુ નથી છીદ્ર છે!

તું ગમે તે હો ‘હરિશ’ દરીદ્ર છે!

કવિ ગાયક: હરિશચન્દ્ર જોશી (ભાવનગર)

કથાસાર કહેતાં બાપુએ અહલ્યાનો પ્રસંગ ખુબ વિસ્તારથી સજળ આંખે વર્ણવ્યો હતો… વિશ્વામિત્રજી રામ-લક્ષ્મણને અહલ્યાની શીલા તરફ લઈ જાય છે, અને આશ્રમ પાસે વિશ્વામિત્ર ઉભા રહી જાય છે ત્યારે રામજી પૂછે છે કે ગુરૂદેવ! આ કોનો આશ્રમ છે? અને આશ્રમ કેમ વેરવિખેર છે? ઈન્દ્ર એ છળકપટ કરીને અહલ્યાને છેતરી છે એ બધી વાત વિશ્વામિત્ર કહે છે અને પછી પથ્થર બની (વાયુભક્ષા) ગયેલી અહલ્યાને ચરણસ્પર્શ કરવાનું કહે છે અને અહલ્યા પ્રગટ થયા છે, સજીવ થયા છે, પણ રામજીને મનમાં ગ્લાનિ થાય છે કે મેં એક સ્ત્રીને પગ અડાડ્યો?! રામજી ગુરૂ વિશ્વામિત્રને પોતાની પીડા કહે છે કે-ગુરૂ, આ પીડાનો ઉપાય, પ્રાયશ્ચિત શું? તો વિશ્વામિત્રજી કહે છે કે, ગંગાસ્નાન કરો એટલે તમારી પીડા-પ્રાયશ્ચિત રૂપે દૂર થઈ જાય. રામજી કહે છે કે ગંગા ક્યાં? તરત વિશ્વામિત્રજી ગંગા કિનારે લઈ જાય છે. અહીં સતયુગનું સ્મરણ રામજી ને થયું છે. સતયુગમાં એક ભક્તે મને પથ્થરમાંથી પ્રગટાવ્યો હતો. એ ભક્ત શિરોમણી પ્રહલાદજી અને અહીં મેં પથ્થરમાંથી અહલ્યાને સજીવ કર્યા.

કથામાં ગઈકાલે ભોજન પ્રસાદનું મેનૂ આ મુજબ હતું: ગંગાજળમાં બનેલી રસોઈના પ્રસાદમાં (૧)ખીર (૨) પુરી (3)ચણાનું શાક (૪) વાલોર-તુવેરનું શાક (૫)ગોટા ભજીયા (૬) દાળ (૭)ભાત (૮) સલાડ (૯)પાપડ (૧૦) છાશ. પંદરસો જેટલા કથા ભક્તોએ પ્રેમપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

કથારત્નો

૧) વેદ માટે વિદ્યાલયો છે, પણ આંસુ માટે કોઈ પાઠશાળા નથી!

૨) પવિત્રને પણ પવિત્ર કરે એ છે ‘પાવન’ શબ્દ

3) બુંદનો સમૂહ જ સમુદ્ર છે: ઓશો

૪) ‘‘તટસ્થિતા બોધયન્તી ગુરવહ શ્રુતયો યથા પ્રજ્ઞેવ તરેન વિદ્વાન ઈશ્વરાનુ ગુહયાતમ્…’’

૫) ઓકરે તાલ મિલે નદી કે જલ મેં

નદી મિલે સાગર મેં, સાગર મિલે કૌને જલ મેં કોઈ જાને ના…

-મારી દ્રષ્ટિએ આ આઘ્યાત્મિક ગીત છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ રેલવે સ્ટેશન પર કેટરિંગ સેવાઓનું સિનિયર DCM સુનીલ કુમાર મીનાએ કર્યું નિરીક્ષણ
ગુજરાતરાજકોટ

રાજકોટ રેલવે સ્ટેશન પર કેટરિંગ સેવાઓનું સિનિયર DCM સુનીલ કુમાર મીનાએ કર્યું નિરીક્ષણ

Editor By Editor 4 days ago
ભૌતિક શાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની બંસી સાગરની IPR ખાતે Ph.D. માટે પસંદગી
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોની જીતને સમર્પિત વિજય માર્ચ યોજાઇ (પેટા) નીટ પેપર લીક પરીક્ષામાં જીવ ગુમાવનાર છાત્રોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ
લાઠીની જમકુડી નદી વરસાદના પ્રથમ ચરણમાં જ છલકાઈ
 લોકતંત્ર અને વિદ્યાર્થી યુવાનોની જીત બદલ કેન્ડલ માર્ચ અને મીઠાઈ વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?