By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    6 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઢોલના ધબકારે અને શરણાઈના સૂર સાથે થનગનાટ ગરબે ઘૂમવાનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઢોલના ધબકારે અને શરણાઈના સૂર સાથે થનગનાટ ગરબે ઘૂમવાનો

agragujaratnews
Last updated: 2023/10/13 at 9:37 PM
2 years ago
Share
ઢોલના ધબકારે અને શરણાઈના સૂર સાથે થનગનાટ ગરબે ઘૂમવાનો
SHARE

  • સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રિ પર્વને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ
  • આવતીકાલથી નવ દિવસ માતાજીની આરાધના માટે માઈ ભક્તો આતુર
  • નવરાત્રિ શરૂ થવાને જિલ્લા મથકના મુખ્ય બજારમાં ખરીદી ખુલી

સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે રવિવારથી માં આદ્યશકિતની આરાધના કરવાના ૫ર્વ સમાન નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીના આયોજનમાં આ વર્ષે પણ શહેરી વિસ્તારોમાં પાર્ટી પ્લોટ થતા ખાસ કરીને યુવા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના દિવસો નજીક આવતા શહેરની બજારોમાં નવરાત્રીની ખરીદી ખુલી છે. જયારે ગરબા મંડળના આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી તરફ લોકો માતાજીની ચૂંદડી, શણગાર, દીવા, ધુપ, અગરબત્તી, પ્રસાદ સહિતની ખરીદી કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે તા. 15મી ઓકટોબરને રવિવારથી નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે પણ શહેરમાં વીવીધ પાર્ટી પ્લોટનું આયોજન થતા ખાસ કરીને યુવાધનમાં ગરબે ઘુમવા થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર અને દુધરેજ શહેરમાં ગરબીના આયોજકો ગરબીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે. સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 200થી વધુ પ્રાચીન શેરી ગરબીઓ યોજાય છે. આયોજકો દ્વારા મંડપ, શણગાર, માઈક, ઢોલ, બેન્જો સહિતના સાધનો તૈયાર કરી તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ નવરાત્રી શરૂ થવાની હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો જ બાકી હોય સુરેન્દ્રનગર શહેરની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો માતાજીની ચુંદડી, હાર, ધુપ, અગરબત્તી સહીતની ખરીદી કરતા હતા. નવરાત્રીની ખરીદી ખુલતા નાના ધંધાર્થીઓને પણ રાહત થઈ હતી. જયારે નવરાત્રી પર્વે પોલીસ તંત્ર પણ સાબદુ થયુ છે. નવરાત્રી સમયે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પાર્ટી પ્લોટથી લઈ તમામ શહેરના પ્રાચીન ગરબાના સ્થળે પોલીસ તૈનાત કરી દેવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.

સુરેન્દ્રનગર શહેરની પ્રખ્યાત પ્રાચીન ગરબીઓ

સુરેન્દ્રનગર શહેરમાં આમ તો અનેક સ્થળે પ્રાચીન ગરબીઓ યોજાય છે. પરંતુ વર્ષોથી પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબી, અલકા ચોકની પંચવટીની ગરબી, રતનપર દેવ સોસાયટની ગરબી, વાઘેશ્વરી સોસાયટીની ગરબી, વઢવાણના સતવારા પરાની ગરબી, હાડીમાના ચોકની ગરબી, જોરાવરનગરના નીલકંઠ મહાદેવ મંદીરની ગરબી, રામજી મંદીરની ગરબી, માઈ મંદીરની ગરબી, જેલ ચોકની ગરબી, ક્ષત્રીય સમાજની વાડીમાં યોજાતી ગરબી, સોની સમાજની ગરબી એ મુખ્ય ગરબીઓ છે. આ ઉપરાંત શહેરના પતરાવાળી ચોકમાં યોજાતી ગરબીમાં માત્ર પુરૂષો જ ગરબે ઘુમે છે અને માઈક વગર ગરબા ગાય છે.

ચોટીલા ડુંગરે મંદિરમાં નવરાત્રિ પર્વને લઈ સવારની આરતીનો સમય વહેલો કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં માં ચામુંડાના બેસણા છે. શકતીપીઠ એવા ચોટીલા ડુંગરે દર વર્ષે માતાજીની અનોખી ભકતી અને આરાધના કરવામાં આવે છે. ચોટીલા ડુંગર મહંત પરીવાર દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીને વીવીધ શણગાર કરવામાં આવશે. નવરાત્રી પર્વને લઈને ચોટીલા ડુંગરે સવારની આરતીનો સમય પણ વહેલો કરી દેવાયો છે. જયારે હવનાષ્ટમીએ યોજાતા ભવ્ય હવનની પણ તૈયારીઓ ડુંગરે શરૂ કરી દેવાઈ છે.

સુરેન્દ્રનગર શહેરમાં પાર્ટી પ્લોટનું આયોજન થતા યુવાધનમાં પણ અનેરો ઉત્સાહ

આ વર્ષે નવરાત્રીમાં પાર્ટી પ્લોટના આયોજનથી ખાસ કરીને યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની દુધરેજ કેનાલ પાસે કલ્હાર નવરાત્રી મહોત્સવ 2023નું આયોજન કરાયુ છે. જયારે જીન કમ્પાઉન્ડમાં ઝમાવટ 2023 નવરાત્રી મહોત્સવ યોજાશે. આ ઉપરાંત પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ઝુમે ઝાલાવાડ, રોટરી કલબ ઓફ વઢવાણ સિટી દ્વારા કેમ્બ્રીજ સ્કુલ ખાતે અને રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગર ખાતે ભાગ્યોદય પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાનાર છે.

નવરાત્રિ પર્વે 108નો 100થી વધુનો સ્ટાફ 20 વાન સાથે ખડેપગે રહેશે

હાલ હૃદયરોગના હુમલાના બનાવો વધતા હોવાથી નવરાત્રી પર્વે આવો બનાવ બને તો તુરંત સારવાર મળે તે માટે કલેકટરે ખાસ તાકીદ કરી છે. ત્યારે સુરેન્દ્રનગર 108 ઈમરજન્સી સેવાનો 100થી વધુનો સ્ટાફ અને 20 વાન એમ્બ્યુલન્સ વાન સાથે ખડેપગે રહેનાર છે. આ અંગે 108ના જિલ્લાના અધિકારી આમીરહુસેન મન્સુરી તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે અમારો કોઈ કર્મી રજા રાખતો જ નથી. ત્યારે નવરાત્રી પર્વે પણ ખાસ કરીને રાતના સમયે તમામ 20 વાનના પાયલોટ અને ઈએમટી એલર્ટ રહેશે. કોલ મળ્યાના ગણતરીના કલાકોમાં પહોંચી જશે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
રાષ્ટ્રિય

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

By 3 days ago
Health News : ભારતની મહિલામાં જોવા મળ્યું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ CRIB, જાણો કેવી રીતે સામે આવી હકીકત
Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?