By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 માટે Rajasthan Royalsની સંપૂર્ણ ટીમ તૈયાર, આ ખેલાડીઓ માટે ટીમે તિજોરી ખોલી
    IPL 2026 માટે Rajasthan Royalsની સંપૂર્ણ ટીમ તૈયાર, આ ખેલાડીઓ માટે ટીમે તિજોરી ખોલી
    13 minutes ago
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    1 hour ago
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    2 hours ago
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    3 hours ago
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતોનું પાલન થઈ જાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતોનું પાલન થઈ જાય છે

AgraGujarat Rajkot
Last updated: 2025/11/20 at 7:58 AM
4 weeks ago
Share
ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતોનું પાલન થઈ જાય છે
SHARE

પાંડવોએ બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ પૂરો થતાં જ્યારે પ્રતિજ્ઞા મુજબ પોતાનું અડધું રાજ્ય માંગ્યું ત્યારે દુર્યોધને અડધું રાજ્ય તો શું સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનું સ્વીકાર્યું નહીં.

આથી પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરવાનું નિશ્ચિત થઇ ગયું. બંને પક્ષે યુદ્ધની તૈયારી થવા લાગી. મહર્ષિ વેદવ્યાસે ધૃતરાષ્ટ પાસે આવીને કહ્યું કે યુદ્ધ થવું અને તેમાં સંહાર થવો અનિવાર્ય છે. એને કોઇ ટાળી શકવાનું નથી. જો યુદ્ધ જોવાની તમારી ઇચ્છા હોય તો હું તમને દિવ્ય દૃષ્ટિ આપી શકું છું, જેનાથી તમે અહીં બેઠાં બેઠાં યુદ્ધને સારી રીતે જોઇ શકશો. તે સમયે ધૃતરાષ્ટે કહ્યું કે હું જન્મભર આંધળો રહ્યો. હવે મારા કુળના સંહારને હું જોવા માંગતો નથી, પરંતુ યુદ્ધ કેવી રીતે થઇ રહ્યું છે એ સમાચાર સાંભળવાની ઇચ્છા જરૂર છે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું સંજયને દિવ્યદૃષ્ટિ આપું છું. તેનાથી એ સમગ્ર યુદ્ધને, બધી જ ઘટનાઓને અને સૈનિકોના મનમાં આવેલા વિચારોને પણ જાણી લેશે અને બધી વાતો તમને સંભળાવી દેશે. આમ કહીને વ્યાસજીએ સંજયને દિવ્યદૃષ્ટિ આપી.

સંજયનો જન્મ ગવલ્ગણ નામના સૂતથી થયો હતો. તેઓ મુનિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા. તેઓ ધૃતરાષ્ટના મંત્રી હતા. નક્કી કરેલા સમય પ્રમાણે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું. દસ દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે જ રહ્યા. જ્યારે ભીષ્મ પિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા ત્યારે સંજયે હસ્તિનાપુરમાં જ્યાં ધૃતરાષ્ટ બેઠેલા હતા ત્યાં આવીને આ સમાચાર સંભળાવ્યા. આ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃત્તાંત સંભળાવવા કહ્યું.ભીષ્મ પર્વના ચોવીસમા અધ્યાય સુધી સંજયે યુદ્ધ સંબંધી વાતો ધૃતરાષ્ટને સંભળાવી. મહાભારતમાં કુલ અઢાર પર્વ છે એ પર્વોમાં કેટલાક પેટા પર્વો પણ છે. એમાંથી ભીષ્મ પર્વની અંદર આ શ્રીમદ્ ભગવદ્ગીતા પર્વ છે, જે ભીષ્મ પર્વના તેરમા અધ્યાયથી શરૂ થઇ બેતાલીસમા અધ્યાયમાં પૂર્ણ થાય છે. પચ્ચીસમા અધ્યાયના આરંભમાં ધૃતરાષ્ટ સંજયને પૂછે છે કે, ધૃતરાષ્ટ્ર ઉવાચ,

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય

હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઇચ્છુક મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્ય હોવાથી તથા કુરુરાજાની તપસ્યા ભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે. સંસારમાં મોટાભાગે ત્રણ બાબતોના કારણે લડાઇ થાય છે. જમીન-ધન અને સ્ત્રી. ગીતાનો આરંભ ધર્મ શબ્દથી થયો છે, કેમ કે ગીતા ધર્મની અંતર્ગત છે એટલે કે ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતોનું પાલન થઇ જાય છે અને ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્ય કર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઇ જાય છે. કોઇ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મની દૃષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઇએ.

ધૃતરાષ્ટને પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાનભાવ નહોતો, એમનામાં પક્ષપાત હતો. પોતાના પુત્રોમાં મોહ હતો. પાંડવોને પોતાના માનતા નહોતા, તેથી પોતાના પુત્રો માટે મામકાઃ અને પાંડુપુત્રો માટે પાંડવાઃ શબ્દ પ્રયોગ કર્યો છે. જે ભાવો હૈયામાં હોય છે તે જ ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે. આ ભેદભાવના કારણે જ ધૃતરાષ્ટને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું હતું.

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Gold Price Rate: સોના ચાંદીની કિંમતોમાં ક્યારે લાગશે લગામ? સંસદમાં ઉઠ્યો સવાલ.. જાણો સરકારે શું આપ્યો જવાબ
રાષ્ટ્રિય

Gold Price Rate: સોના ચાંદીની કિંમતોમાં ક્યારે લાગશે લગામ? સંસદમાં ઉઠ્યો સવાલ.. જાણો સરકારે શું આપ્યો જવાબ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 29 minutes ago
Bharuch : માંચ ગામમાં ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ, 22.400 કિલો ગાંજાના લીલા છોડ મળી આવ્યા
Japan: જાપાનની ધરા ફરી ધ્રૂંજી! ભૂકંપ આવતા જ આકાશમાં દેખાઇ રહસ્યમયી પ્રકાશ, જુઓ VIDEO
લો બોલો હવે આ યુદ્ધનો પણ શ્રેય લેવા ઉતાવળા થયા Donald Trump, કહ્યુઃ મારે માત્ર એક ફોન જ કરવો પડશે….
Stock Market Closing: 565 પોઇન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 84,648. અંકે બંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?