- રૂપિયા 1.32 લાખના એરંડા ચોરાયા હતા
- શખ્સ 110 મણ એરંડા ચોરી કરી લઈ ગયા હતા
- આ કેસનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપીને ફરતો હતો
ધ્રાંગધ્રાના જશાપર ગામે રહેતા મહેશભાઈ ધરમશીભાઈ પટેલના ખેતરમાંથી 27 જાન્યુઆરીની રાતના 10 કલાકથી તા. 28ની સવાર સુધીમાં કોઈ શખ્સ રૂપીયા 1.32 લાખની કિંમતના 110 મણ એરંડા ચોરી કરી લઈ ગયાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપીને ફરતો હતો. ત્યારે ફરાર આરોપી લખતરના ઈંગરોળી ગામનો 31 વર્ષીય સીરાઝ રહીમખાન જતમલેક ધ્રાંગધ્રા હાઈવે પર કલ્પના ચોકડી પાસે હોવાની બાતમી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી પીએસઆઈ જે.વાય.પઠાણની સુચનાથી સ્ટાફના દશરથભાઈ, શૈલેષભાઈ સહિતનાઓએ ધ્રાંગધ્રા હાઈવે પર વોચ રાખી હતી. અને ઈંગરોળીના સીરાઝ જતમલેકને ઝડપી લીધો હતો.


