By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    41 minutes ago
    Akash Deep birthday : 6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન,ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે આકાશ દીપનો પરિવાર
    Akash Deep birthday : 6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન,ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે આકાશ દીપનો પરિવાર
    7 hours ago
    પ્રથમ 32 T20 મેચ પછી ભારતના સ્ટાર બોલર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનો રેકોર્ડ જાણો?
    પ્રથમ 32 T20 મેચ પછી ભારતના સ્ટાર બોલર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનો રેકોર્ડ જાણો?
    8 hours ago
    2026 U19 World Cup : 3 ભાઈઓએ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, U19 વર્લ્ડ કપ ટીમમાં મળ્યું સ્થાન
    2026 U19 World Cup : 3 ભાઈઓએ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, U19 વર્લ્ડ કપ ટીમમાં મળ્યું સ્થાન
    9 hours ago
    Big Bash League : શાબિન આફ્રીદી માટે એક શરમજનક પળ, એમ્પાયરે ચાલુ ઓવરે છીનવી લીધો દડો..
    Big Bash League : શાબિન આફ્રીદી માટે એક શરમજનક પળ, એમ્પાયરે ચાલુ ઓવરે છીનવી લીધો દડો..
    10 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

AgraGujarat Rajkot
Last updated: 2025/07/31 at 1:36 PM
5 months ago
Share
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
SHARE

તુલસીદાસજીનો જન્મ વિક્રમ સંવત 1532 માં શ્રાવણ સુદ સાતમના દિવસે ઉત્તરપ્રદેશના રાજાપુર ગામમાં થયો હતો. તુલસીદાસના પિતાનું નામ આત્મારામ અને માતાનું નામ હુલસીદેવી હતું. તુલસીદાસ વિશે કહેવાય છે કે તેઓ જન્મ બાદ રામનામ બોલ્યા હતા. આવા નવજાત શિશુના મુખે રામનામ સાંભળીને બધા જ વિસ્મય પામી ગયા હતા. આ ઘટના પરથી બાળપણમાં તુલસીદાસનું નામ રામબોલા પાડવામાં આવ્યું હતું.

તુલસીદાસનો જીવનસંઘર્ષ તેમના જન્મથી શરૂ થઈ ગયો હતો. તેમના જન્મના બે દિવસ બાદ તેમની માતાનું મૃત્યુ થયું. આ ઘટના બાદ તુલસીદાસજીના પિતા તેમને અપશુકનિયાળ માનવા લાગ્યા અને તેમણે તુલસીદાસને એક ચુનિયા નામની દાસીને ઉછેર કરવા સોંપી દીધા, પણ કુદરતને જાણે એ પણ મંજૂર ન હોય એમ તુલસીદાસ પાંચ વર્ષના થયા કે ચુનિયા નામની દાસી પણ મૃત્યુ પામી. પછી તો આ રામબોલા બાળકના રખેવાળ રામ જ હતા.

રામમંદિરમાં સેવા-પૂજા કરતા અને પોતાની જાતને સંભાળતા રખડતા, ભટકતા તેમણે કિશોરાવસ્થા સુધીની સફર ખેડી. આવા કપરા સમયમાં પણ તુલસીદાસની રામ પ્રત્યેની શ્રદ્ધા ઓછી નહોતી થઈ. તેઓ સતત શ્રીરામના સ્મરણમાં મગ્ન રહેતા. બાળપણથી યુવાની સુધી પહાડો જેવાં દુ:ખો પડ્યાં, પણ તેઓ ભક્તિના માર્ગેથી વિચલિત નહોતા થયા. તેમની રામભક્તિની ચર્ચા આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ હતી. બસ આ જ ઘટનાએ તેમની જિંદગીની દિશા બદલી નાખી. શ્રીરામશૈલમાં રહેનાર અનંતાનંદજીના પરમ શિષ્ય નરહરિબાબાજીએ પણ રામબોલા વિશે બહુ સાંભળ્યું હતું. તે આ ઓજસ્વી કિશોરથી પ્રભાવિત થઈ ગયા અને તેમણે વિધિવત્ શિક્ષા, દીક્ષા આપી અને રામબોલાને તુલસીદાસ નામ આપ્યું, જે સાહિત્ય અને આધ્યાત્મિક ક્ષેત્રે અમર થઈ ગયું.

નરહરિબાબાના સાંનિધ્યમાં આવ્યા બાદ તેમની આધ્યાત્મિક અને સાંસારિક એમ બંને ક્ષેત્રે પ્રગતિ થઈ. તુલસીદાસની વય વિવાહયોગ્ય થતાં તેમના વિવાહ યમુના નદી પારના ગામમાં રહેતી ભારદ્વાજ ગોત્રની સુંદર કન્યા રત્નાવલી સાથે થયા. બાળપણથી સ્વજનોના પ્રેમથી વંચિત રહેલ તુલસીદાસને રત્નાવલીનો પ્રેમ મળતાં તુલસીદાસ રત્નાવલીમાં આસક્ત બની ગયા હતા. વિવાહ બાદ ગૌના નહોતા થયા. એટલે તુલસીદાસજી કાશીમાં જઈને વેદ વેદાંગના અભ્યાસમાં લાગી ગયાં, પણ એક દિવસ તેમને રત્નાવલીની ખૂબ જ યાદ આવવા લાગી અને તેઓ ગુરુજીની આજ્ઞા લઈને યમુના નદીના કાંઠે પહોંચી ગયા, પણ વરસાદ ખૂબ હોવાથી યમુના નદી બંને કાંઠે ભરપૂર વહેતી હતી. રત્નાવલી પ્રત્યેની આસક્તિએ તુલસીદાસને નદી પાર કરવા મજબૂર કરી દીધા. તેઓ રત્નાવલીના ઘર સુધી તો પહોંચી ગયા, પણ રાત હોવાથી લોકલજ્જાને ધ્યાનમાં રાખીને તેઓ ચોરીછૂપી દોરડાની મદદથી રત્નાવલી પાસે પહોંચ્યા. રત્નાવલીએ જોયું કે પોતાના પતિ જેને દોરડું માનીને તેમના કક્ષમાં ઊતર્યા તે દોરડું નહીં પણ સાપ હતો. આ વાતનું ભાન કરાવતા રત્નાવલી પોતાના પતિને એક દુહો કહે છે. બસ, આ દુહાની તુલસીદાસ પર એવી અસર થઈ કે તે દુહાએ તુલસીદાસને મહાન કવિ અને સંત બનાવી દીધા.

અસ્થિ ચર્મ મયી દેહ યહ, તો સો ઐસી પ્રીતિ।

નેકુ જો હોતી રામ સે, તો કાહે ભવ પ્રીતિ?॥

અર્થાત્ જેટલો પ્રેમ મારા હાડમાંસના બનેલા શરીરને કરો છો એટલો સ્નેહ જો પ્રભુ રામને કર્યો હોત તો તમને ભવ ભવના ફેરામાંથી મુક્તિ મળી જાત.

બસ, રત્નાવલીનું આ વાક્ય સાંભળતાં જ જાણે તુલસીદાસની સૂતેલી ચેતના જાગી ઊઠી. બસ આ જ ક્ષણથી તે પ્રભુ રામની ભક્તિમાં લીન થઈ ગયા. વેદ-વેદાંગનો અભ્યાસ કરી તુલસીદાસ જ્યારે તેમના ગામ રાજાપુર પહોંચે છે ત્યારે તેમના પિતાનું પણ અવસાન થઈ ગયું હોય છે. પિતાજીના શ્રાદ્ધની વિધિ કરીને તેમણે રાજાપુરમાં જ લોકોને કથા સંભળાવવાનું કાર્ય શરૂ કર્યું. થોડો સમય રાજાપુરમાં રહ્યા બાદ તેઓ ફરી કાશી જતા રહ્યા અને ત્યાં પણ કથાકાર તરીકે જ કાર્ય કર્યું. અહીં કથા દરમિયાન જ તેમની અલૌકિક વ્યક્તિ સાથે મુલાકાત થઈ, જેને લીધે તેમને સાક્ષાત્ રામનાં દર્શન થયાં. ત્યારબાદ તેમણે હિન્દી સાહિત્યને તેમની કવિત્વ શક્તિથી સમૃદ્ધ બનાવ્યું. વિક્રમ સંવત 16ર3માં શ્રાવણ વદ તૃતીયા શનિવારના દિવસે રામનામ સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા. દેવનાગરી લિપિને તેમના સાહિત્ય સર્જને જ સમૃદ્ધ બનાવી છે, એવું કહીએ તો જરાય અતિશયોક્તિભર્યું નથી.

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
U19 Asia Cupમાં વૈભવ સૂર્યવંશી ફરી ચમક્યો, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ
સ્પોર્ટ્સ

U19 Asia Cupમાં વૈભવ સૂર્યવંશી ફરી ચમક્યો, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
MNREGA: મનરેગા યોજનાનું બદલાઇ શકે છે નામ, મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય
Dahod : રંગલીઘાટી વિસ્તારમાં સળગેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, મૃતકના હાથમાં એક સ્માર્ટ ઘડીયાળ મળી
Palanpur: શંકાસ્પદ ઘીનું રેકેટ, ચંડીસર GIDCની ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા
Dahegam: 30 કરોડ રૂ.ના ખર્ચે બનેલો દહેગામનો ઔડા ઓડિટોરિયમ હોલ શોભાનો ગાંઠિયા સમાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?