આગામી અઠવાડિયામાં આ સંકટ વધુ ઘેરું બનશે. આ વર્ષે અત્યાર સુધીમાં 33,800થી વધુ ડેંગ્યુના કેસ નોંધાયા છે. જેમાં 132 લોકોના મૃત્યુ થયા છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જ 10 લોકોના મોત થયા હતા. અને 1500થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં છે.
રોગચાળાનું ભયંકર સ્વરૂપ
ઘણા વર્ષો પછી ચિકનગુનિયાના કેસમાં વધારો જોવા મળ્યો છે. શેખ હસીનાના બળવા પછી આ પહેલી વાર છે કે ચિકનગુનિયા ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ફક્ત ઢાકામાં ચાર લેબમાં 785 કેસ નોંધાયા હતા. ચિત્તાગોંગ શહેરમાં, 24 કલાકમાં 30 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને આ વર્ષે આંકડો લગભગ 3,000 સુધી પહોંચી ગયો છે. દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. અહીં ક્ષમતા કરતા ત્રણ ગણા વધુ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે.
સ્વચ્છતા રાખવા માટે કરાઇ અપીલ
જહાંગીરનગર યુનિવર્સિટીના મેડિકલ એન્ટોમોલોજિસ્ટ કબીરુલ બશારે જણાવ્યું હતું કે, એડીસ મચ્છર હવે શહેરોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. તેઓ છત, બાંધકામ સ્થળો અને કુંડા પર એકઠા થયેલા પાણીમાં પણ ખીલી રહ્યા છે. જો આપણે આ સ્થળોને સાફ નહીં કરીએ, તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા દર વર્ષે મોટા પાયે પાછા ફરશે. વર્ષ 2023માં બાંગ્લાદેશ માટે સૌથી ઘાતક હતું, જ્યારે 1,705 મૃત્યુ અને 3.21 લાખ ચેપ નોંધાયા હતા.
WHOએ આપી ચેતાવણી
વિશ્વ આરોગ્ય સંગઠને ડેન્ગ્યુને વિશ્વનો સૌથી ઝડપથી ફેલાતો ખતરો ગણાવ્યો છે. જે આબોહવા પરિવર્તન અને વધતી વસ્તી સાથે જોડાયેલો છે. WHOએ પેટમાં દુખાવો, ઉલટી, રક્તસ્ત્રાવ અથવા પેશાબ ઓછો થવો જેવા લક્ષણો પર તાત્કાલિક ધ્યાન આપવાની અને વાયરલ તાવ માટે ખોટી દવાઓ ટાળવાની સલાહ આપી છે. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યુ છે કે, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે બાંગ્લાદેશે તાત્કાલિક હોસ્પિટલની ક્ષમતા વધારવાની, પરીક્ષણ સુવિધાઓનો વિસ્તાર કરવાની અને વર્ષભર મચ્છર નિયંત્રણ અભિયાન શરૂ કરવાની જરૂર છે.


