- તવરા ગામ સ્થિત દૈવી મંદિરનું પણ આગવું મહત્વ
- મંદિરના પાટોત્સવ અંગે ચાલી રહેલી તડામાર તૈયારીઓ
- સમગ્ર જિલ્લાભરમાંથી આહીર સમાજ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
ભરૂચ જિલ્લામાં આવેલા મંદિરો આગવું ધાર્મિક મહત્વ ધરાવી રહ્યા છે ત્યારે ભરૂચ તાલુકાનાં તવરા ગામ સ્થિત દૈવી મંદિરનું પણ આગવું મહત્વ છે ત્યારે આ રહી છે. ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દૈવી મંદિર ના 11 માં પાટો ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે.
ભરૂચ નજીક આવેલ તવરા ગામે અલગ અલગ ગોત્ર ના આહીર પરિવારો દ્વારા તેવો ની કુળદેવી માતાજી પાંચ દૈવી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિરમાં ખોડીયાર માતાજી મહાકાળી માતાજી સિંધવાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજી આમ તવરા ગામમાં વસતા પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારો એ તેવો ની કુળદેવી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને આવનાર તારીખ 29/5/ 2024 ને બુધવારના રોજ 11 વર્ષ પૂર્ણ થતા 11માં પાટોવત્સવ ની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવનાર છે ત્યારે આવનાર તારીખ 29 /5 /2024 ના રોજ 11 માં પાટોત્સવ સાલગીરી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 9:00 કલાકે નવચંડિ યજ્ઞ સાંજે ચાર કલાકે શ્રીફ્ળ હવન સાંજે 6:00 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 07:15 કલાકેનુ આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દેવી મંદિરનો મહિમા બતાવતું ગુજરાતી ફ્લ્મિ પાંચ દૈવીના પરચા ગુજરાતી ફ્લ્મિનું વિમોચન તેમજ રાત્રે 9:00 કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકગાયક ધર્મેશ બારોટ દૈવાંગી પટેલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવા તવરા જુના તવરા સહિત આસપાસના ગામડાના માઈભક્તો અને સમગ્ર જિલ્લાભરમાંથી આહીર સમાજ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


