તેલંગાણામાં એમઆઈએમ કરતાંય એક બેઠક વધુ મેળવીને ભાજપે ત્રીજું સ્થાન મેળવ્યું છેઃ મિઝોરમમાં પણ ત્રીજે સ્થાને આવીને કોંગ્રેસને ચોથે સ્થાને ધકેલી છે
મિઝોરમમાં રવિવારે મતગણતરી થઈ નહોતી. રવિવારે ચર્ચમાં જવાનું હોય એટલે અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ રવિવારે કામ કરવા તૈયાર નહોતા. ના એવું નહીં, એ લોકો કામ કરવા કદાચ તૈયાર હતા, પણ બંને પ્રાદેશિક પક્ષો અને ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ રવિવારે મતગણતરી કેન્દ્ર નહીં, પણ ચર્ચમાં જવા માગતા હતા. આ નેતાઓની જ મૂળ તો માગણી હતી કે રવિવારે ચર્ચમાં જવાનું હોય તો મતગણતરી સોમવારે રાખો. ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી આ માગણી થઈ રહી હતી, પણ તેનો નિર્ણય લેવાયો છેક આ અઠવાડિયે. ચૂંટણી દરમિયાન તેનો નિર્ણય જાહેર થયો નહોતો. ચર્ચનું તુષ્ટિકરણ કરવામાં આવ્યું એવો આક્ષેપ વળી થાય તો!
ફાઈનલી તુષ્ટિકરણ તો કર્યું કે નહીં? પરંતુ એ બધી જગ્યાએ ચૂંટણીઓ પતી ગઈ પછી કરવામાં આવ્યું. એની વે, તુષ્ટિકરણ તો બધા પક્ષો કરવાના એટલે મૂળ પરિણામો અને તેના આંકડાંને જોઈએ. કેમ કે તે પણ રસપ્રદ છે અને બે રાષ્ટ્રીય પક્ષોમાં કેવો ફેર છે તે પણ વધુ એક વાર દેખાડે છે. તેલંગાણામાં ભલે કોંગ્રેસને સત્તા મળી, પણ ભાજપનો ત્યાં ગ્રોથ થયો છે અને ભવિષ્યનો પાયો નખાયો છે. મિઝોરમમાં ભલે ભાજપના સાથીદાર મિઝો નેશનલ ફ્રન્ટનો પરાજય થયો, પણ ભાજપનો પાયો નખાયો છે. મિઝોરમમાં એક નવા પ્રાદેશિક પક્ષનો ઉદય થયો છે એમ કહેવાન બદલે એમ કહેવું જોઈએ કે નાના નાના પક્ષો ભેગા મળીને લડે તો ભાજપ અને કોંગ્રેસ જેવા બંને રાષ્ટ્રીય પક્ષોને હરાવી શકાય તે મિઝોરમમાં દેખાયું. છ પક્ષોએ ભેગા મળીને ઝોરમ પિપલ્સ મૂવમેન્ટ નામનો પક્ષ 2019થી શરૂ કર્યો હતો, તેને સારી બહુમતી સાથે સત્તા મળી ગઈ છે.
તેલંગાણામાં ભાજપને આઠ બેઠકો મળી છે. ગયા વખતે એક હતી તેની સામે સીધી સાત થઈ છે. મહારાષ્ટ્રની સરહદે આવેલા વિસ્તારોમાં તેનો વિસ્તાર થયો છે. તે દિશામાંથી આગળ વધતા વધતા તે હૈદરાબાદ સુધી પહોંચી શકે છે. મિઝોરમના પાંચ વખતના મુખ્ય પ્રધાન હારી ગયા તેના કરતાંય તેલંગાણાની એક બેઠકનું રિઝલ્ટ સૌથી વધારે રસપ્રદ છે. આ બેઠક એટલે કામારેડ્ડી. આ બેઠક પરથી વર્તમાન સીએમ ચંદ્રશેખર અને ભાવી સીએમ રેવંત રેડ્ડી બંને હારી ગયા. બબ્બે સીએમ દાવેદારને હરાવીને જાયન્ટ કિલર બન્યા ભાજપના વેંકટ રમન રેડ્ડી. તેલંગાણામાં ભાજપના મતોની ટકાવારી 14 ટકા જેટલી થઈ ગઈ છે. ગયા વખત કરતાં બમણી. બેઠકો એમઆઈએમની સાત બેઠકો કરતાંય વધી ગઈ અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
મિઝોરમમાં પણ ભાજપને ત્રીજું સ્થાન મળ્યું છે. ભાજપને વધારે સંતોષ એટલા માટે થશે કે મુખ્ય હરિફ કોંગ્રેસને – કે જેને કદાચ મિઝોરમમાં સત્તા મળી જાય તેમ હતું તે કોંગ્રેસને ચોથા સ્થાને ધકેલી દીધી છે. ભાજપનો વોટ શેર અડધો થયો – ગયા વખતે 14.32 ટકા હતો તે ઘટીને 4.8 ટકા થયો, પણ બેઠકો બમણી થઈ. એકની જગ્યાએ બે બેઠકો થઈ છે. કોંગ્રેસના મતોની ટકાવારી 30.3 ટકા હતી, તેમાં 9.11 ટકાનો ઘટાડો થયો છે અને 21 ટકા જેટલી થઈ છે. વધારે નોંધપાત્ર બાબત એ છે કે 2013માં 44 ટકા મતો કોંગ્રેસના હતા. તેનાથી અડધા 10 વર્ષમાં થઈ ગયા. બેઠકો ગયા વખતે ચાર હતી તે ઘટીને માત્ર એક રહી ગઈ.
ભાજપની બેઠકો એક હતી તે બે થઈ. તેને બમણી જ કહેવી પડે. કોંગ્રેસની ચોથા ભાગની રહી ગઈ અને ચોથા સ્થાને જતો રહ્યો. સમય સંજોગો અનુસાર વચ્ચે વચ્ચે કોંગ્રેસને ક્યાંક સફળતા મળી જાય છે, પણ પોતાની સ્ટ્રેટેજી, નવું કશુંક કરવાની તૈયારી, વિપક્ષ તરીકેની ભૂમિકાથી મજબૂત થઈને જીતવાની તેની તૈયારી હજી ક્યાંય દેખાતી નથી એટલે ભાવી ભાજપનું જ સારું લાગે છે, જ્યારે કોંગ્રેસના ભવિષ્ય સામે પ્રશ્નનાર્થ ચિહ્ન.મિઝોરમમાં રવિવારે મતગણતરી થઈ નહોતી. રવિવારે ચર્ચમાં જવાનું હોય એટલે અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ રવિવારે કામ કરવા તૈયાર નહોતા. ના એવું નહીં, એ લોકો કામ કરવા કદાચ તૈયાર હતા, પણ બંને પ્રાદેશિક પક્ષો અને ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ રવિવારે મતગણતરી કેન્દ્ર નહીં, પણ ચર્ચમાં જવા માગતા હતા. આ નેતાઓની જ મૂળ તો માગણી હતી કે રવિવારે ચર્ચમાં જવાનું હોય તો મતગણતરી સોમવારે રાખો. ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી આ માગણી થઈ રહી હતી, પણ તેનો નિર્ણય લેવાયો છેક આ અઠવાડિયે. ચૂંટણી દરમિયાન તેનો નિર્ણય જાહેર થયો નહોતો. ચર્ચનું તુષ્ટિકરણ કરવામાં આવ્યું એવો આક્ષેપ વળી થાય તો!
ફાઈનલી તુષ્ટિકરણ તો કર્યું કે નહીં? પરંતુ એ બધી જગ્યાએ ચૂંટણીઓ પતી ગઈ પછી કરવામાં આવ્યું. એની વે, તુષ્ટિકરણ તો બધા પક્ષો કરવાના એટલે મૂળ પરિણામો અને તેના આંકડાંને જોઈએ. કેમ કે તે પણ રસપ્રદ છે અને બે રાષ્ટ્રીય પક્ષોમાં કેવો ફેર છે તે પણ વધુ એક વાર દેખાડે છે. તેલંગાણામાં ભલે કોંગ્રેસને સત્તા મળી, પણ ભાજપનો ત્યાં ગ્રોથ થયો છે અને ભવિષ્યનો પાયો નખાયો છે. મિઝોરમમાં ભલે ભાજપના સાથીદાર મિઝો નેશનલ ફ્રન્ટનો પરાજય થયો, પણ ભાજપનો પાયો નખાયો છે. મિઝોરમમાં એક નવા પ્રાદેશિક પક્ષનો ઉદય થયો છે એમ કહેવાન બદલે એમ કહેવું જોઈએ કે નાના નાના પક્ષો ભેગા મળીને લડે તો ભાજપ અને કોંગ્રેસ જેવા બંને રાષ્ટ્રીય પક્ષોને હરાવી શકાય તે મિઝોરમમાં દેખાયું. છ પક્ષોએ ભેગા મળીને ઝોરમ પિપલ્સ મૂવમેન્ટ નામનો પક્ષ 2019થી શરૂ કર્યો હતો, તેને સારી બહુમતી સાથે સત્તા મળી ગઈ છે.
તેલંગાણામાં ભાજપને આઠ બેઠકો મળી છે. ગયા વખતે એક હતી તેની સામે સીધી સાત થઈ છે. મહારાષ્ટ્રની સરહદે આવેલા વિસ્તારોમાં તેનો વિસ્તાર થયો છે. તે દિશામાંથી આગળ વધતા વધતા તે હૈદરાબાદ સુધી પહોંચી શકે છે. મિઝોરમના પાંચ વખતના મુખ્ય પ્રધાન હારી ગયા તેના કરતાંય તેલંગાણાની એક બેઠકનું રિઝલ્ટ સૌથી વધારે રસપ્રદ છે. આ બેઠક એટલે કામારેડ્ડી. આ બેઠક પરથી વર્તમાન સીએમ ચંદ્રશેખર અને ભાવી સીએમ રેવંત રેડ્ડી બંને હારી ગયા. બબ્બે સીએમ દાવેદારને હરાવીને જાયન્ટ કિલર બન્યા ભાજપના વેંકટ રમન રેડ્ડી. તેલંગાણામાં ભાજપના મતોની ટકાવારી 14 ટકા જેટલી થઈ ગઈ છે. ગયા વખત કરતાં બમણી. બેઠકો એમઆઈએમની સાત બેઠકો કરતાંય વધી ગઈ અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
મિઝોરમમાં પણ ભાજપને ત્રીજું સ્થાન મળ્યું છે. ભાજપને વધારે સંતોષ એટલા માટે થશે કે મુખ્ય હરિફ કોંગ્રેસને – કે જેને કદાચ મિઝોરમમાં સત્તા મળી જાય તેમ હતું તે કોંગ્રેસને ચોથા સ્થાને ધકેલી દીધી છે. ભાજપનો વોટ શેર અડધો થયો – ગયા વખતે 14.32 ટકા હતો તે ઘટીને 4.8 ટકા થયો, પણ બેઠકો બમણી થઈ. એકની જગ્યાએ બે બેઠકો થઈ છે. કોંગ્રેસના મતોની ટકાવારી 30.3 ટકા હતી, તેમાં 9.11 ટકાનો ઘટાડો થયો છે અને 21 ટકા જેટલી થઈ છે. વધારે નોંધપાત્ર બાબત એ છે કે 2013માં 44 ટકા મતો કોંગ્રેસના હતા. તેનાથી અડધા 10 વર્ષમાં થઈ ગયા. બેઠકો ગયા વખતે ચાર હતી તે ઘટીને માત્ર એક રહી ગઈ.
ભાજપની બેઠકો એક હતી તે બે થઈ. તેને બમણી જ કહેવી પડે. કોંગ્રેસની ચોથા ભાગની રહી ગઈ અને ચોથા સ્થાને જતો રહ્યો. સમય સંજોગો અનુસાર વચ્ચે વચ્ચે કોંગ્રેસને ક્યાંક સફળતા મળી જાય છે, પણ પોતાની સ્ટ્રેટેજી, નવું કશુંક કરવાની તૈયારી, વિપક્ષ તરીકેની ભૂમિકાથી મજબૂત થઈને જીતવાની તેની તૈયારી હજી ક્યાંય દેખાતી નથી એટલે ભાવી ભાજપનું જ સારું લાગે છે, જ્યારે કોંગ્રેસના ભવિષ્ય સામે પ્રશ્નનાર્થ ચિહ્ન.