- ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી કરી જાહેર
- લોકસભા ચૂંટણી માટે BJPએ 159 ઉમેદવારો ઉતાર્યા મેદાનમાં
- મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં રાજકીય અટકળો બની તેજ
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 159 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને વિદિશા લોકસભા સીટથી ટિકિટ મળી છે. પરંતુ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને છત્તીસગઢના પૂર્વ CM રમણ સિંહને ટિકિટ આપવાની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બમ્પર જીત નોંધાવ્યા બાદ ભાજપે શિવરાજ સિંહ, રમણ સિંહ અને વસુંધરા રાજેને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા નથી. તેમની જગ્યાએ નવો ચહેરો લાવવામાં આવ્યો હતો. તે સમયે ચર્ચા હતી કે મોદી સરકાર ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓને કેન્દ્રમાં લાવશે. આ દરમિયાન પ્રથમ યાદીમાં શિવરાજ સિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ વસુંધરા રાજે અને રમણ સિંહને હજુ સુધી ટિકિટ મળી નથી.
શું હાઈકમાન્ડ વસુંધરા રાજે અને રમણ સિંહથી નારાજ હોય તે શક્ય છે? રાજ્યમાં ન તો મોટી જવાબદારી આપી અને ન તો લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી. શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે અને રમણ સિંહના બળ પર ભાજપને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જોરદાર જીત મળી છે. પરંતુ પાર્ટી નેતૃત્વએ તેમને સાઇડલાઇન કરી દીધા છે.


