By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    10 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ

Editor
Last updated: 2026/03/30 at 2:57 PM
2 months ago
Share
અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
SHARE

કરા સાથે ખાબકેલા માવઠાથી રસ્તાઓ પર પાણી ભરાયા, અચાનક આવેલા પલટાથી વીજળીના કડાકા અને ભારે પવનથી વાવાઝોડાથી અસર : ખેડૂતોની ચિંતામાં વધારો

અગ્ર ગુજરાત, અમરેલી

હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા, અમરેલી શહેર, ખાંભાના ગામડાઓમાં તેમજ આજે સવારે બોટાદના બરવાળા પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો. કરા સાથે પડેલા માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બોટાદ જિલ્લાના બરવાળામાં બપોર બાદ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બરવાળા શહેર ઉપરાંત તાલુકાના અન્ય ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતી ક્ષેત્રે આ આફત સાબિત થઈ રહ્યો છે.

હાલમાં ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી અને મગફળી તૈયાર થવાના આરે છે, ત્યારે આ કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કે જો વરસાદનું જોર વધશે તો તૈયાર થયેલો પાક નિષ્ફળ જઈ શકે છે. વારંવાર બદલાતા હવામાનને કારણે બોટાદ જિલ્લાના ખેડૂતો હવે કુદરત પાસે સહાયની આશા રાખી રહ્યા છે.

સાવરકુંડલા તાલુકાના બાઢડા અને તેની આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. અને વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી. ખેતી પાકો પર સંકટ ભર ઉનાળે થયેલા આ કમોસમી વરસાદે ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ત્યારે વરસાદ પડતા ઘંઉ, તલ, જીરૂ, ચણા, કેરી સહિતના આ રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત ગીર પંથકની શાન ગણાતી કેસરી કેરીના પાકને પણ આ માવઠાથી મોટું નુકસાન થવાની શક્યતાથી ખેડૂતો ઉપર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ તો એક સપ્તાહ પહેલા જ કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ત્યારે ફરી કમોસમી વરસાદ પડતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

ખાંભા ગીરના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખાંભાના જીક્યાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતાં. ભર ઉનાળે કમોસમી વરસાદથી કેરી તલ, બાજરી સહિત પાકને નુકસાનની ભીતિથી ધરતી પુત્રોમાં ફરીવાર ચિંતા ફેલાય છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. મોટા ભાગના શહેરમાં તાપમાન 41 ડીગ્રીએ પહોંચ્યું ગયું હતું. જો કે તે બાદ અચાનક જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અસહ્ય ગરમીની શરૂઆત વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસ સુધી અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ અને તેજ પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના પાકને પણ નુકશાન ગયું હતું. જો કે તે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા ફરી ગરમીની શરૂઆત થઈ ગઈ હતી.

જો કે ફરી એક વખત રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ હવે ફરી એક વખત ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર હવામાન પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓ માટે આગાહી જાહેર કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 30 તારીખે રાજ્યના કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ 2 અને 3 તારીખે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેનાથી ગરમીમાં રાહત મળશે.

તાપમાનની વાત કરીએ તો આગામી ચાર દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને તાપમાન આશરે 37 ડિગ્રી સુધી રહેશે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ગરમીથી ત્રસ્ત લોકોને આગામી દિવસોમાં રાહત મળવાની આશા છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાઈ ગયા છે.

You Might Also Like

રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો

અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર

લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત

અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો

જાફરાબાદના બાબરકોટ ગામે દરીયા કિનારે મહાકાય વ્હેલ માછલી મૃત હાલતમા મળી આવી….

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધારીમાં જીવનમુક્તેશ્વર મંદિરે સામૂહિક ૫૪ પોથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન
રાજકોટ

ધારીમાં જીવનમુક્તેશ્વર મંદિરે સામૂહિક ૫૪ પોથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન

Editor By Editor 10 hours ago
સૂર મહિમા ગ્રુપ દ્વારા શનિવારે યોજાશે સૂરો કી સાધના નાઇટ શો
જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર
બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી
જિલ્લા પંચાયતમાં આપના કાર્યકરો સાયકલ પર પહોંચ્યા, ભાજપના તાયફાઓનો વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?