By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/20 at 4:35 PM
2 hours ago
Share
તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
SHARE

તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ

આફ્રિકા-કેન્યાના કેરિચોની પ્રાકૃતિક સૌંદર્ય અને ચાના બગીચાઓથી સમૃધ્ધ ભૂમિ પર ‘માનસ રથયાત્રા’નો શુભમંગલ પ્રારંભ

દરેક યાત્રાનો જન્મ પદયાત્રાથી થાય છે

જે યોગ્ય હોય એને જ યોગ પ્રાપ્ત થાય છે, અયોગ્યને નહીં!

 

પ્રિય બાપુની ૯૮૧મી રામકથા ‘માનસ રથયાત્રા’નો શુભમંગલ પ્રારંભ આફ્રિકાના કેન્યાના કેરિચોની ભૂમિ પરથી ગત શનિવારથી થયો હતો. આ રામકથાના કેન્દ્રીય વિષય સંદર્ભે પ્રેમસંવાદ કરતા પ્રિય બાપુએ કહ્યું હતું કે હું બે દિવસથી વિચારતો હતો કે આ કથાનો વિષય ‘માનસ ગુરૂપ્રસાદ’ રાખું કેમ કે હમણા ગુરૂપૂણિમાનો મંગલ અવસર આવી રહ્યાં છે. (તા.૨૯-૭-૨૬) તો ગુરૂ મહિમા વિશે કહું! અગાઉ ગુરૂ વિશે તો ઘણી ઘણી કથાઓમાં બોલાયું છે, પ્રવચનોમાં પણ બોલાયું છે. એક વિચાર એ પણ આવ્યો કે હમણાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ ગયો તો થયું કે માનસની રથયાત્રા વિશે સંવાદ કરીએ કેમ કે ભારતમાં જગન્નાથજીની રથયાત્રાનો મોટો મહિમા છે. જગન્નાથજી મંદિર અને અમદાવાદની રથયાત્રા વિશેષ છે. અમદાવાદની રથયાત્રા તો એકસો ઓગણ પચ્ચાસમી છે, અમારા ભાવનગરમાં પણ ઓગણ પચાસ વર્ષોથી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, હું અહીં આવ્યો એ પહેલા ભાવનગરની રથયાત્રાના દર્શન-પૂજનનો લ્હાવો લઇને આવ્યો છું. તો કેરિચોની રામકથાનો રામકથાનો મુખ્ય વિષય ‘માનસ રથયાત્રા’ રહેશે અને તુલસીદાસજીના રામચરિત માનસમાં કેટકેટલી યાત્રાઓ છે અને કઇ-કઇને કયાં-કયાં રથયાત્રાના સંદર્ભો છે એ વિશે આપણે સંવાદ કરીશું.

લંકા કાંડની આ ત્રિપદી ચોપાઇ અને કેન્દ્રમાં રાખીને માનસ (હૃદય) યાત્રા કરીશું તમે પણ આ ચોપાઇઓનું ગાન કરો.

નાથ ન રથ નહીં પદયાત્રા,

કેકિ બિધિ જિતબ બીર બલવાના

સૌરજ ધીરજ તે હિ રથ ચાકા,

સત્ય સીલ દ્રઢ ધ્વજા પતાકા

સખા ધર્મમય અસરથ જાકે,

જીતન કહું ન કતહું રિપુ તાકે.

 

તુલસીદાસજી ધર્મરથ મૌલિક છે. હું મારી જવાબદારી સાથે આ વિધાન કરૂ છું કે માનસનો ધર્મરથ મૌલિક છે. આપણે ત્યાં અનુભૂતિના ત્રણ પ્રકાર છે. (૧) લૌકિક (૨) અલૌકિક અને (3) મૌલિક.

ગઇકાલ-રવિવાર-બીજા દિવસની રામકથાનો પ્રેમાળ સંવાદમાં આગળ વધતા પ્રિય બાપુએ કહ્યું કે હું ભાગવદનો વકતા નથી. છાત્ર પણ નથી, પણ ભાગવદનો શ્રોતા છું. ભાગવદમાં પણ કોઇ સ્કંધ ના કોઇ શ્લોકમાં લૌકિક, અલૌકિક અને મૌલિકનો સંદર્ભ આવે છે અને મને બે ચાર ભાગવદના વકતાઓએ એ લખીને મોકલ્યું છે. એના આધારે હું કહેવા માંગું કે તુલસીજીનો ધર્મરથ મૌલિક છે. હું ચાર બાબતો કહું તો (૧) માનસ મારો શ્વાસ છે, રામચરિત માનસ ન હોત તો હું કયારનોય મૃત્યુ પામ્યો હોત, આ મેં ઘણી વખત આપને કહ્યું છે કે માનસ મારો શ્વાસ છે. પ્રાણ છે, માનસ ન હોત તો હું પણ ન હોત! (૧) ભગવદગીતા મારો વિશ્વાસ છે એક વાત યાદ રાખજો કે ભરોસો જ ભરોસાને જન્મ આપે છે. ભરોસામાંથી ભરોસાનો જન્મ થાય છે. આ કોઇ પ્રાસાનું પ્રાસ નથી પણ આ વ્યાસાનુવ્યાસ છે. આ કોઇ ગ્રામર (વ્યાકરણ) નથી, ગીરા છે (3) ભાગવદમારી તલાસ (ખોજ-શોધ) છે. અને આપ સૌના આર્શિવાદ હોય તો મારે એક મનોરથ છે કે માનસ ભાગવદ યાત્રા વિષયને લઇને એક રામકથા ગાન કરવું છે. (૪) ઉપનિષદ મારો પ્રકાશ છે.

દરેક યાત્રાનો જન્મ પદયાત્રાથી જ થાય છે. રામની પદયાત્રા એક યજ્ઞયાત્રા છે. તમે જૂઓ ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન કેટકેટલી પદયાત્રા રામે કરી છે. રથયાત્રાની જનની પદયાત્રા છે. આદિ જગદગુરૂ શંકરાચાર્યજીની પદયાત્રા-કાલડી કેદારનાથ સુધી અને દ્વારિકાથી જગન્નાથજી સુધી. કૃષ્ણની પદયાત્રા એ રણછોડ બનીને ડાકોર ગયા હશે ત્યારે પદયાત્રા જ કરી હશે! તુલસીદાસજીની પદયાત્રા, શંકર મહાદેવની પદયાત્રા અને હમણાની જ વાત, જેના હું અને તમે સાક્ષી છીએ એ વિનો બાજીની પદયાત્રા (ભૂદાન યાત્રા નિમિતે)

આપણી ગુજરાતની દિકરી સુનિતા વિલિયમ્સની અંતિરક્ષ યાત્રા એમણે પોતે કહ્યું કે હું નાનપણમાં ભણતી હતી ત્યારે ખૂબ પદયાત્રા કરતી. આમ પદયાત્રાથી અંતરિક્ષ યાત્રા સુધીના સફર છે. હનુમાનજીની પદયાત્રા. મને કાલે રાત્રે વિચારતો હતો કે કેટકેટલી યાત્રાઓ હોય છે. એની યાદી મેં લખી લીધી છે. પહાલ તો આ પોથીયાત્રા-કોઇપણ ભગવદ કથા હોય એની પોથીયાત્રા, શોભાયાત્રા, રથયાત્રા, વરયાત્રા જો કે વર તો ઘોડા ઉપર નીકળે! કળશયાત્રા, કાવડ યાત્રા-હમણા ઉત્તરાખંડમાં કાવડ યાત્રા હતી. તીર્થયાત્રા, વનયાત્રા, હનુમાનજીની પાતાળ યાત્રા, બૃધ્ધ ભગવાનની ધર્મચક્ર યાત્રા, ગંગા સાગર યાત્રા, જીવન યાત્રા, માનસમાં અંતરિક્ષ યાત્રા, વિદેશ યાત્રા, પ્લેન યાત્રા, જળયાત્રા, ટ્રેન યાત્રા અને સ્ટીમર યાત્રા, ટ્રેઇન યાત્રાઓની કથાઓ કરી છે ત્યારે ખૂબ આલોચનાઓ પણ થઇ છે. ખૂબ સહન કર્યુ છે. ખેર….એક અત્યંત મહત્વની છેલ્લી યાત્રા છે એ સ્મશાન યાત્રા.

અમારે કૈલાસ ગુરૂકૂળનો જયદેવ (માંકડ) એના માતા જયોત્સનાબહેને મને હમણાં એક સરસ વાત કરી કે બાપુ, વર્ષો પહેલા અમારા ઘરમાં પીતળના વાસણો હતાં. પછી સ્ટીલના વાસણો આવ્યાં. ત્યારે જયદેવના પપ્પા (શિરિપભાઇ માંકડ)એ ડૉ.કાકા (ડોલરાય માંકડ)ને કહ્યું કે બાપુજી, અત્યારે સ્ટીલના વાસણોનો જમાનો આવી ગયો છે. તો આપણે પણ સ્ટીલના વાસણો વસાવીએ? અને પછી ડૉ.કાકાએ જે જવાબ આપ્યો છે એ સાધુ બ્રાહ્મણનો જવાબ છે. ડૉ.કાકાએ કહ્યું કે ભલે સ્ટીલના વાસણો આવ્યા પણ જયાં સુધી આપણી આજુબાજુ રહેતા લોકોના ઘરમાં સ્ટીલના વાસણો ન આવે ત્યાં સુધી આપણે સ્ટીલના વાસણો ન લેવાય! સાહેબ, આ છે સાધુતા…

 

કથારત્નો

(૧) રથયાત્રાની જનની પદયાત્રા છે

(૨) ભરોસો જ ભરોસાને જન્મ આપે છે

(3) માનસ મારો શ્વાસ છે, ભગવદ ગીતા મારો વિશ્વાસ છે, ભાગવદત મારી તલાસ છે અને ઉપનિષદ મારો પ્રકાશ છે

(૪) ઘણા લોકોનું જીવન ગધેડા જેવું હોય અને નિંદા નંદિની કરતા હોય!!!

(૫) જે જયાં ખોવાયું હોય ત્યાંથી જ મળે છે

 

એક આવી રામકથાનો મનોરથ….

રથયાત્રા વિષયક રામકથાનો પ્રેમસંવાદમાં પ્રિય બાપુએ એક વિશેષ રામકથાના મનોરથ વિશે કહ્યું હતું કે મને ‘માનસ ભાગવદ યાત્રા’ વિષયને કેન્દ્રમાં રાખીને એક રામકથા ગાવાનો મનોરથ જાગ્યો છે. જોઇએ કયારે થાય? આ જન્મ ન થાય તો આગલા જન્મે પણ જયાં-જયાં ભાગવદ શ્રવણ થયાં છે એ સ્થાનો પર જઇ જઇને ભાગવદની ખોજ-તલાસ કરવી છે. હું ભાગવદનો વકતા નથી, છાત્ર પણ નથી, હા હું ભાગવદનો શ્રોતા છું. તો આવી રામકથા ગાવી છે, આપ સૌ સંતો-ભકતો, ભાગવદ કથાકારો અને તમે સૌ મારા શ્રોતા ફલાવર્સ આર્શિવાદ આપજો કે ‘માનસ ભાગવદયાત્રા’ રામકથા થાય અને થશે જ, અને તમે પણ સૌ આવજો.

You Might Also Like

ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ

ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ

વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ

મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ

મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો
આંતરરાષ્ટ્રીય

મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો

Editor By Editor 3 days ago
માલધારી–કોઠારીયા ફાટક વચ્ચે ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત
રાજકોટ પોસ્ટ વિભાગ દ્વારા બે દિવસીય ફિલાટેલ પ્રદર્શન યોજાયું
જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું
સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં તેજી; રૂપિયો દબાણમાં, શેરબજારે દેખાડી મજબૂતી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?