By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/08 at 4:51 PM
10 minutes ago
Share
ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
SHARE

ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ

ઝેર પીવડાવવા માટે દુનિયાએ કેટકેટલી યોજનાઓ કરવી પડે છે!

‘માનમ્ મૌન’: (મહાભારત) એટલે કે આદર સાથે મૌન રહેવું

સુરદાસનું એક પદ ‘રામચરિત માનસ’ છે

 

ઉત્તરાખંડની તીર્થ ભૂમિ હરિદ્વારના પ્રેમ આશ્રમમાં પ્રવાહિત થઈ રહેલા રામકથારૂપી પ્રેમયજ્ઞમાં ગઈકાલે કથા પૂર્વે મનોરથી પરિવારના એક નવયુગલ ‘ચિં:પ્રેમ+ચિં.વૃક્ષા’ના વ્યાસપીઠની સાક્ષીએ શુભ-મંગલ વિવાહ થયા હતા. નવયુગલે પ્રિયબાપુના અને વ્યાસપીઠના મંગલ ફેરા ફર્યા હતા. બાપુએ નવયુગલને આશિર્વાદ પાઠવી પ્રસન્ન અને પ્રયન્ન દામ્પત્યજીવની શુભકામનાઓ પાઠવી હતી. પ્રેમ અને વૃક્ષાએ એક-મેકને મોતી માળા પહેરાવી હતી અને એક-મેકને વિંટી (‘મેરેજ રીંગ’) પહેરાવી હતી.

કાઠમંડુ (નેપાળ)ના તપોવન આશ્રમના ઓશો આરાધક સ્વામી આનંદ અરૂણજી દ્વારા લખાયેલું એક અંગ્રેજી ભાષાનું પુસ્તક વ્યાસપીઠ દ્વારા બ્રહ્મર્પણ થયું હતું. ઉપરાંત જાણીતા વક્તા-લેખક ડો.ભદ્રાયુ વચ્છરાજાની સંપાદિત એક પુસ્તકનું પણ બાપુએ બ્રહ્માર્પણ કર્યું હતું જે પુસ્તકમાં ગત હનુમાન જ્યંતિને દિવસે મહુવા પાસેના જાદરા ગામે મીણબકાઈ માનો નેસડો છે તે ભૂમિ પર પ્રથમ પાટોત્સવ નિમિત્તે ‘સનાતન ધર્મ’ વિશે સંવાદ થયેલો. જેમાં પ્રિયબાપુ, સતુઆ બાબા, જય વસાવડા, રેખાબેન દેસાઈ અને ભદ્રાયુ વચ્છરાજાનીએ પ્રવચન આપેલા. એ સનાતન વાણીના પુસ્તકનું સંપાદન પણ ડો.ભદ્રાયુ વચ્છરાજાનીએ કરેલું છે.

આ અવસરે ઓશો આરાધક સ્વામી આનંદ અરૂણજીએ જણાવ્યું હતું કે, મોરારિબાપુની વિનમ્રતા અને સરળતા-સહજતાને લીધે હું બાપુ સાથે પ્રેમનો નાતો ધરાવું છું. બાપુ એક માત્ર એવા વકતા છે કે જે ઓશોની વાત-ઓશોનો પ્રેમ સંદેશ ફેલાવે છે અને એ પણ ઓશોના નામ સાથે. બાકી કેટકેટલાય વકતાઓ ઓશોની જ વાત કરે છે, ઓશો વાણી જ કહેતા રહે છે પણ ક્યારેય-કોઈ દિવસ ઓશોનું નામ નથી લેતા! અને બાપુને ભારત સરકારે ૨૦૦૨માં પદ્મશ્રી સન્માન આપવાનું નિશ્ચીત કર્યું તો બાપુએ પ્રેમપૂર્વક-વિનય સાથે એ પદ્મશ્રી સન્માનનો અ-સ્વીકાર કરેલો. બાપુએ રામકથા અને રામનામનો પરિચય સમગ્ર વિશ્વમાં પ્રસરાવ્યો છે.

કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતા બાપુએ કહ્યું હતું કે, માનસમાં આપણા ચાર દુશ્મન, આંતરિક દુશ્મનો જે સાંકેતીક છે એની વાત કરી છે. રાવણ એ મોહ છે, ઈન્દ્રજીતએ એકાંત છે, જ્યારે કુંભ કર્ણ અહંકારનું પ્રતિક છે તો આ ચાર શત્રુ ક્યા? (૧) દર્મુખ (૨) સુરરિયુ (3) ભટ-અતિકાય અને (૪) મહોદર. કોઈની નિંદા કરવી, કોઈની પ્રગતિની ઈર્ષા કરવી એ દુર્મુખ છે. દૈવી વિચારનો વિરોધ કરવો એ મનુજ આહારી એટલે કે મનુષ્યતા-સુરરિયુ છે. અતિશય જાડા હોય અને જેનું પેટ મોટું એટલે કે મહોદર છે આ બધા આપણા આંતરીક શત્રુ છે. આદિ જગદગુરુ શંકરાચાર્યજી ‘વિવેક ચુડામણી’માં એક મંત્ર આવે છે તે મંત્રમાં અમૃતની પ્રાપ્તી કઈ રીતે થાય એની ચર્ચા કરી છે.

ઝેર પીવડાવવા માટે કેટકેટલી યોજનાઓ કરવી પડે છે પણ અમૃત મેળવવું સહજ છે એને માટે સાધકે સાધના કરવાની રહે છે. તો ‘વિવેક ચુડામણી’નો આ મંત્ર….

મોક્ષસ્ય કાંક્ષા યદીવૈ તવાસ્તિ તત્જાતિ

વિષયાન વિષમયથા પિયુષવત, તોષ, દયા

ક્ષમા, આર્જધમ્, પ્રશાંતિ, દાન્તીર ભીજ નિત્યમ્ આદરાત્ અર્થાત કે, સાધક જો અમૃત પ્રાપ્ત કરવું હોય તો સંસારના વિષયોથી જેટલું જલ્દી દૂર થઈ, વિષયોની આશા છોડીને ભુતકાળ કે ભવિષ્યકાળ નહીં પણ વર્તમાનમાં, આ જ ક્ષણ (લીવ એટ મોમેન્ટ)માં જીવો. વર્તમાન આપણા હાથમાં છે. ભુતકાળ કે ભવિષ્યકાળ આપણા હાથમાં નથી. ભુતકાળ વીતી ગયો છે અને ભવિષ્યકાળની ખબર નથી માટે અમૃતની પ્રાપ્તી માટે દયા, ક્ષમા, વિનંતી (આર્જવમ્), પ્રશાંત ચિતે અને નિત્ય એટલે કે રોજ આદર સાથે… મહાભારતકાર પણ કહે છે કે માનમ્ મૌન, માનમ્ સ્વાઘ્યાય અને માનમ્ યજ્ઞમ્ સ્વાહા… એટલે કે આદર સાથે મૌન રહેવું-ખીજ કે ગુસ્સામાં નહીં! તો જગદગુરૂએ આપણને અમૃત પ્રાપ્તી માટેનો સહજ-સરળ માર્ગો બતાવ્યાં છે. આપણે સૌ પણ એ કરી શકીએ તો અમૃતતત્વની પ્રાપ્તી થશે.

 

કથારત્નો

૧) આગે ભી જાને ના તું (ભવિષ્ય)

પીછે ભી જાને ના તું (ભુતકાળ)

જોભી હૈ બસ ઈક પલ હૈ (વર્તમાન)

૨) એટલો રહેજે દૂર સાંવરિયા!

સાંભળી શકું તારો સૂર…… -નિરંજન ભગત

3) ગીત મારૂતિ સંગીત મારૂતિ

રાગ મારૂતિ માલકોશ મારૂતિ

દરબારી મારૂતિ, ભૂપાલી મારૂતિ

ત્રિતાલ મારૂતિ, ભૈરવી મારૂતિ….

 

કથાનો મનોરથ….

મને આજે વ્યાસપીઠ પર તમારા બધાના પત્રો વાંચતો હતો ત્યારે જ એક વિચાર આવ્યો છે કે મને એક એવી કથાનો મનોરથ છે… ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન અને તત્વચિંતક જે.કૃષ્ણમૂર્તિ (જદુકૃષ્ણમુર્તિ)ને કેન્દ્રમાં રાખીને ‘માનસ રાધાકૃષ્ણમુર્તિ’ વિષય પર રામકથાનું ગાન કરવાનો મનોરથ છે. જોઈએ ક્યારે થાય છે. આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જે.કૃષ્ણમૂર્તિને યાદ કરવા છે. જોકે જે.કૃષ્ણમૂર્તિને સમજવા જરા કઠીન છે. પણ આ બન્ને મહાપુરૂષાને કેન્દ્રમાં રાખીને ‘માનસ રાધાકૃષ્ણ મુર્તિ’ રામકથાનું ગાન કરીશું.

You Might Also Like

વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ

મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ

મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ

રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ

પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂત આંદોલન તોડવા નિલેશ એરવાડીયાએ સરકાર પાસે ૨૫ કરોડ માંગ્યા હતા : હકાભા ગઢવી
મોરબી

ખેડૂત આંદોલન તોડવા નિલેશ એરવાડીયાએ સરકાર પાસે ૨૫ કરોડ માંગ્યા હતા : હકાભા ગઢવી

Editor By Editor 4 days ago
યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ
WOW Awards Asia માં ગોલ્ડ જીતનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા રાજકોટના શિવરામસિંહ ચૂડાસમા
પોરબંદરમાં અરબી સમુદ્રના કિનારે સમુહમાં વિહાર કરતું ડોલ્ફિનોનું ઝૂંડ
ડિફેન્સ થશે મજબૂત! ભારત રૂ.૫૨,૦૦૦ કરોડના શાસ્ત્રો ખરીદશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?