By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/02 at 3:50 PM
2 hours ago
Share
પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
SHARE

પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ

ગંગા H20 નથી, ગંગા જળ અમૃત છે, ગંગા મૈયા અમૃતમયી છે

પરમાત્માનો શ્રેષ્ઠ સાદ એટલે વરસાદ

મૂળથી સ્વાભાવિક નીંદક હોય એ કોઇ દી ન સુધરે!

 

ઉત્તરાખંડની નૈસર્ગિક તીર્થભૂમિ અને ગંગામૈયાના પરમપવિત્ર પ્રવાહના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ અમૃતમગમય’ ગઇકાલે બીજા દિવસના પડાવ પર પહોંચી હતી. કથાના પ્રેમમય સંવાદને આગળ વધારતા પ્રિય બાપુએ કહ્યું હતું કે કંઠોપનિષદનો એક મંત્ર છે. આપ સૌ પણ બોલજો.

યદા સર્વે પ્રમુચ્યં તે કામાયસ્ય કુદિષિતા:

અથ મૃત્યોમૃતો ભવતિ યત્ર બ્રહ્મ સમ સ્મૃતે

એટલે આ મંત્રનો સરળ અર્થ એ છે કે જયારે આપણા હૃદયમાં રહેલી બધી જ કામનાઓનો અંત આવી જાય, આપણો કામનાઓ ખતમ થઇ જાય ત્યારે મૃત્યુ અમૃતમાં પરિવર્તીત થઇ જાય છે અને માણસ બ્રહ્મની પ્રાપ્તી કરી શકે છે. વ્યકિત બ્રહ્મમય થઇ શકે છે. પણ આપણા મન-હૃદયમાં રહેલી આ સાત કામનાઓ નષ્ટ થઇ જાય તો જ મૃત્યુ અમૃતમય બની શકે. આપણી અંદર કઇ કઇ સાત કામનાઓ રહેલી છે. (૧) મનોકામના (૨) પુત્રકામના-પુત્રેષણા (3) ધન-પૈસાની કામના એટલે કે વિતેષણા (૪) પ્રસિધ્ધની કામના-લોકેષણ (૫) વિજયની કામના (૬) સ્વાતંત્ર્યની કામના અને (૭) કામના મુકત કામના. કોઇ બૃધ્ધપુરૂષ કે સાધુ આ સઘળી કામના મુકત કામના માર્ગ પર જાય તો પરિવાર કામનાઓ રાખે છે એટલે આ માર્ગે મુશ્કેલીઓ તો આવે છે.

ચૈતન્ય મહાપ્રભુજીએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણકિર્તન ભકિતમાં સમર્પિત કરી દીધું તો પણ તેને જીવનના ઉત્તરાર્ધમાં બધાથી ધીમે-ધીમે દૂર થતા ગયા. જગન્નાથજીના મંદિરના એક ખૂણામાં થાંભલો પકડીને એ ખૂબ રડતા. એમના આશ્રિતોને પણ મળવાનું બંધ કર્યુ ત્યારે સૌ ભકતો-આશ્રિતોએ ચૈતન્ય મહાપ્રભુને પૂછયું કે કેમ તમે અમારાથી દૂર થતા જાવ છો? ત્યારે ચૈતન્ય કહે છે કે હું આખુ જીવન ધૂમ્યો છું. મારૂ સમગ્ર જીવન હરિ કિર્તનના પ્રસારમાં આપી દીધું. મારી માતા અને મારી પત્ની વિષ્ણુ પ્રિયા એ મારી ખૂબ સેવા કરી છે પણ હું એવું અનુભવું છું કે આટ આટલું કરવા છતાં લોકો દ્વવેષ, નિંદા, ઇર્ષા કેમ છોડતા નથી? પરિવારોમાં અને સમાજમાં જોઉ છું તો દરેક જગ્યાએ સ્વાર્થ, સ્વાર્થ અને સ્વાર્થ જ દેખાય છે! ચૈતન્ય મહાપ્રભુ જેવાની અંતે આ સ્થિતિ હતી. એટલે જે જે મહાપુરૂષો આવ્યા છે એ પ્રત્યેકની આ અનુભૂતિ છે કે પછી એ ધીમે-ધીમે લોકોથી દૂર રહે છે!

પં.જગન્નાથજીએ વિધર્મી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. એ કાળમાં સમાજે લોકોએ કવિ જગન્નાથજીનો ખૂબ કરેલો થોડાંક વર્ષો બાદ જગન્નાથજીને અફસોસ થાય છે અને એ પ્રાયશ્ચિત રૂપે ગંગા ઘાટે આવે છે અને ગંગાની સાક્ષીએ ‘ગંગા લહેરી’નું સર્જન કરે છે. હમણા જગદીશ ત્રિવેદી આવેલા. એમણે એક સરસ પ્રસંગ કહ્યો જે હું આપને પ્રસાદરૂપે વહેંચુ : એક ખૂબ જ સમૃધ્ધ સમર્થ રાજા હતો. પણ એને દીકરો નથી. કોઇએ રામજીને કીધું કે તમારા નગરમાંથી કોઇ બાળકનું બલિદાન આપો તો તમારે ત્યાં દિકરો થશે. રાજાએ નગરમાં જાહેરાત કરાવી કે કોઇ બાળકનું બલિદાન કરવાનું છે. જે પરિવાર બાળક આપશે એને અડધું રાજય ભેટ આપવામાં આવશે. તો નગરમાં એક પરિવારને આઠ સંતાનો હતા અને પરિવાર ખૂબ જ ગરીબ હતો. પરિવારે વિચાર્યુ કે એક બાળક વધ માટે રાજાને આપી દઇએ તો આપણી ગરીબી દૂર થઇ જાય. એટલે એક બાળક રાજાને વધ-બલિદાન માટે આપે છે. રાજાએ બાળકને એની અંતિમ ઇચ્છા પૂછી તો બાળકે કહ્યું કે મારે માટીના ચાર ઘર બનાવવા છે. બકડીયા (પાત્ર)માં માટી લઇ અને બાળકે માટીના ચાર ઘર બનાવ્યાં અને પછી એમાંથી ત્રણ માટીના ઘર પોતાના જ પગથી તોડી નાંખ્યા! રાજાને અને સૌને આશ્ચર્ય થયું કે બાળકે આમ કેમ કર્યુ? પછી રાજાએ બાળકને પૂછયું કે તે આમ કેમ કર્યુ? બાળક જવાબ આપે છે કે પ્રથમ ઘર બનાવીને તોડયું એ મારા પરિવારનું ઘર હતું કેમ કે પોતાના સ્વાર્થ માટે એ મારૂ બલિદાન કરાવે છે એટલે મારો પરિવાર પણ મારો નથી. એટલે એ તોડી નાખ્યું., બીજું ઘર એ સમાજ છે એણે પણ મારા પરિવારને સમજાવ્યો નહી એટલે એ સમાજરૂપી ઘર મેં તોડયું, ત્રીજું માટીનું ઘર એ તમારૂ ઘર બનાવ્યું. તમે રાજા છો, તમારે પ્રજાનું પાલન કરવાનું હોય એને બદલે તમારા તમારા નીજી સ્વાર્થ માટે મારૂ બલિદાન કરાવો છો એટલે એ ત્રીજું તમારૂ ઘર મેં તોડી પાડયું છે. અને આ ચોથું ઘર પરમાત્માનું ઘર છે એ જ મારે માટે હવે તો સાચું છે એટલે એ પરમાત્માના ઘરમાં હું રહીશ. બાળકની વાત સાંભળી રાજા ધ્રુસકે-ધ્રુસકે રડયો, બાળકની ક્ષમા માંગી અને કહ્યું કે હવે તું જ મારો દીકરો અને અડધું રાજય નહી આખા રાજયનો તું જ ઉત્તરાધિકારી છો.

શાસ્ત્રોમાં કોણ-કોણ મરેલા છે અને કોણ-કોણ અમર છે? ની વાત સમજાવી છે. આ ચૌદ લોકોને એ જીવતા હોય તો પણ મરેલા જાણવા અને સાથે સાથે એથી ઉલ્ટું હોય તો એ અમર છે. (૧) વામમાર્ગી-એટલે કે આખી દુનિયાથી વિપરીત જ હોય ઉલ્ટો જ હોય એ મરેલો છે. જયારે મધ્યમ માર્ગી અમર છે (૨) અત્યંત કામી માણસ મરેલો છે. કામવશ હોય એ મરેલો છે. પણ રામવશ હોય એ અમર છે (3) કૃપણ-લોભી હોય એ મરેલો છે પણ જેની દ્રષ્ટિ ઉદાર હોય, સંકિર્ણ ન હોય એ અમર છે (૪) મૂઢ-મૂર્ખ હોય એ મરેલો જાણવો પણ પરમાત્માના ગુઢ રહસ્યો ને જે જાણે તે અમર છે (૫) અતિ ગરીબ મૃતક છે પણ અત્યંત ઉદાર હોય એ અમર છે (૬) બદનામી હોય એ મરેલો છે પણ સુપશ હોય તે અમર છે (૭) અત્યંત વૃધ્ધ હોય એ મરેલો છે પણ વૃધ્ધત્વમાં ભીતરી સાધનામાં કાયમ યુવાન હોય એ અમર છે (૮) નિરંતર રોગી-રોગગ્રસ્ત એ મરેલો જાણ્યો પણ જેને પ્રભુપ્રેમના પરમ રોગ લાગ્યો હોય એ અમર છે (૯) નિરંતર ક્રોધી હોય એ મરેલો છે પણ જે સતત બોઘી હોય એ અમર છે. અખંડ બોધ જેને થયો હોય એ અમર છે (૧૦) વિષ્ણુ વિરોધી હોય એ મરેલો છે પણ વિષ્ણુ ઉપાસક અમર છે (૧૧) વેદ-સાધુનો વિરોધી હોય એ મરેલો છે પણ વેદ-સાધુનો આદર કરે અમર છે. શ્રૃતિનો આદર કરે તે અમર છે (૧૨) તન પોષક એટલે કે માત્ર શરીર કેન્દ્રી હોય એ મૃતક છે પણ સર્વનો વિચાર કરે તે અમર છે, અમૃત લોકમાં બધાનો સર્વ હિતનું જે વિચારે છે તે અમર છે (૧3) નિંદક મૃતક છે. પણ જે નીંદા કરે એને પણ વંદન કરે છે તે અમર છે. મૂળમાંથી જે સ્વાભાવિક નીંદક હોય જે કદી સુધરે નહીં તે મૃતક છે. ખરાબ સંગતને કારણે જે નિંદક હોય એ સુધરી શકે છે. (૧૪) પાપની ખાણ હોય એ મૃતક છે પણ જે પુણ્યશ્લોક છે એ અમર છે. તો શાસ્ત્રો એ ચીંધેલા આ ચૌદ લોકો જીવતા હોય તોય એને મરેલા જાણવા.

 

કથારત્નો

(૧) એક છોકરો એની માને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો જે મા છોકરાને અનાથશ્રમમાંથી લઇ આવી હતી!! – માયાભાઇ આહિર

(૨) ગુરૂવર!- તમને મારાવંદન હું આરસીઓ પથ્થર તમે ઘસાતુ ચંદન – કિશોર બારોટ

(3) સ્વતંત્રતા એ મારો જન્મસિધ્ધ અધિકારી હક્ક છે – લોકમાન્ય તિલક

(૪) તીર્થોમાં આપણે યાત્રિક બનીને આવીએ, વેપારી બનીને નહીં

(૫) એક બાળકને તેના પપ્પાએ પૂછયું કે કેમ આજે સ્કૂલે નથી ગયો? બાળક : કાલે સ્કૂલમાં મારૂ વજન કરેલું , પિતા: તો એમાં શું કાલે વજન કર્યુ એટલે સ્કૂલે નહી જવાનું? બાળક બોલ્યો : આજે મને વેંચી નાંખે છે તો?!!!

(૬) એક જલેબીનો વેપારી, બટેટાનું શાક લઇ જાવ, શાક લઇ જાવ એવી જાહેરાત કરતો હતો, એક ભાઇએ પૂછયું કે એલા, તું જલેબીનો વેપારી છો અને બટેટાનું શાક લઇ જાવ એવી જાહેરાત કેમ કરે છે? ત્યારે વેપારી બોલ્યો : માખી ન આવે ને એટલે!!!

You Might Also Like

કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ

 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ

 સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ

હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ

વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરીનું તાલુકાકક્ષાએ વિકેન્દ્રીકરણ : ૧૬ વડા નિયત કરાયા
આંતરરાષ્ટ્રીય

 રાજકોટ જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરીનું તાલુકાકક્ષાએ વિકેન્દ્રીકરણ : ૧૬ વડા નિયત કરાયા

Editor By Editor 1 hour ago
બામણબોર ચેકપોસ્ટ પાસે એમડી ડ્રગ્સ સાથે 4 કુખ્યાત પેડલરોને ફિલ્મી ઢબે ઝડપી લેતુ SOG
જામનગરમાં કરોડોના બોગસ બિલીંગ કૌભાંડમાં ૨૦ સ્થળોએ GST ત્રાટકયું
દ્વારકા-અમદાવાદ વંદે ભારતના સમય-રૂટમાં ફેરફાર
 મનપાનો સપાટો, એક સાથે છ રેસ્ટોરન્ટને માર્યા તાળા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?