સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
ખૂણો અને ધૂણો બન્ને ફળે છે
મૃત્યુલોકમાં મૃત્યુ ધન્ય થાય એના રસ્તા માનસમાં, તુલસીદાસ દેખાડે છે
શરણાગતની નિષ્ઠામાં કયારેય અહંકાર ન આવવો જોઇએ
પ્રાકૃતિક સૌંદર્યથી સભર કેરળ રાજયની કોચીની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી ‘માનસ મૃત્યુલોક’ રામકથાના છઠ્ઠા દિવસે ગઇકાલે કથાનો પ્રેમમય સંવાદ આગળ વધારતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, ચોપાઇઓનો ઇતિહાસ શું છે? જવાબ: માનસમાં ચોપાઇઓ છંદ-સોરઠા વગેરે છે. એનું વ્યાકરણ પણ હશે જ. તુલસીજી એ જે ચોપાઇઓ આપી છે તેની વિશેષતાએ છે કે માનસની દરેક ચોપાઇઓ દરેક રાગમાં ગાઇ શકાય છે. આપણા શાસ્ત્રીય સંગીતના ગાયકો પં.ભીમસને જશી, પં.જશરાજ, પં.અજય ચક્રવર્તી અને બીજા ઘણા બધાં સૂરસાધકો-ગાયકોએ માનસની ચોપાઇઓનું ગાન કર્યુ છે. લત્તાજીએ પણ ચોપાઇઓ ઓછી ગાઇ છે. લતાજીએ તુલસીદાસજીના પદો ગાયા છે. ચોપાઇના છંદની અસર ત્રિભુવનીય છે એ મલબાર-જગદગુરૂ શંકરાચાર્યજી સુધી પહોંચી છે. શંકરાચાર્ય મલબારથી કેદારનાથ સુધી ફર્યા છે અને માનસની ચોપાઇઓનો છંદ પોતાના સ્ત્રોતોમાં ગાયા છે. ભજગોવિન્દમ, ભજગોવિન્દમ, ભજગોવિન્દમ મૂઢમતે.
શંકરાચાર્યજી ભજગોવિન્દમ મંત્રને કેન્દ્રમાં રાખીને પ્રિય બાપુએ પછી તો જુદા-જુદા રાગમાં માનસની ચોપાઇઓ, ભગવદગીતાના શ્ર્લોકો, અન્ય શ્લોકોની પ્રસ્તુતી કરી ત્યારે સમગ્ર સંવાદગ્રહ શાસ્ત્રીય સંગીતના સ્વરોથી સભર થઇ ગયો હતો. એટલું જ નહીં પણ કથામાં ઉપસ્થિત શાસ્ત્રીય સંગીતના સમર્થ ગાયક મુરલીબાબા (રૂખડ) વારકરી-અભંગ-પરંપરાના મરાઠી ગાયક શિવમ મહારાજ અને આ કથામાં બાપુના સંગીત-ગાયકવૃંદ સાથે સહગાયક તરીકે બેઠેલો મરાઠી બાળ ગાયક રાઘવ પાસે ચોપાઇઓનું ગાન કરાવ્યું હતું. ત્યારે સૌ કથાપ્રેમીઓ આનંદથી ઝૂમી ઉઠયાં હતાં.
ઓશોએ જયારે આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા હતાં ત્યારે દ્વારકામાં એક શિબિર કરેલી તેમાં વિષય હતો મેં મૃત્યુ શિખાતા હું પણ તુલસીદાસજી રામચરિત માનસમાં મૃત્યુ દેખાડે છે. રજનીશ મૃત્યુની થિયરી કહે છે જયારે તુલસીદાસ પ્રેકટીકલ બતાવે છે. મૃત્યુ લોકમાં મૃત્યુ ધન્ય થાય એના રસ્તા તુલસીજી દેખાડે છે અને મૃત્યુના કેટકેટલા પ્રકારો માનસમાં બતાવ્યા છે. માનસના આધારે મૃત્યુના પ્રકાર આ પ્રમાણે છે. અલ્પમૃત્યુ કાગભુસુંડીજી મહાકાલ (ઉજ્જૈન) મંદિરમાં ગુરૂઅપરાધ કરે છે એ પ્રસંગે બાપુએ વિસ્તારથી ભીની આંખે વર્ણવ્યો હતો. અકાળ મૃત્યુ અર્ધમૃત્યુ એટલે કે યજ્ઞની જયોતિ જેમ-જેમ ઉપર-ઉપર જાય છે એમ પ્રાણ ઉર્ધ્વગમન કરે છે અને અગ્નિય મૃત્યુ પણ કહે છે. આપણને યજ્ઞ-અગ્નિય મૃત્યુ નથી થતું એટલે આપણને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અમારી પરંપરામાં સમાધી આપવામાં આવે છે. અશોક મૃત્યુ અરૂદન મૃત્યુ એટલે કે રડવાનું નહી, જો કે આંસૂ તો આવે પણ સાધુને સમાધી આપવામાં આવે છે અમોં અર્થ એ કે અમે મૃત્યુ લોક છોડવા નથી માંગતા! જે ધરતી પર અમારો જન્મ થયો, જે ભજનીય ભૂમિ પર અમે ભજન કર્યુ, ભજનીનો જોયો એ ધરતી અમે નથી છોડતા એટલે ધરતીમાં જ સમાય જઇએ. એ સમાધી એક મૃત્યુ હોય છે. શાંત મૃત્યુ, પછી અમર મૃત્યુ, અકસ્માત મૃત્યુ, અચલ-અટલ ધ્રુવ મૃત્યુ અગમમૃત્યુ, ભયમૃત્યુ આ રીતે માનસ મૃત્યુ દેખાડે છે.
સાધકો માટેની સ્થિતિ બતાવતાં કહેવાયું છે કે સાધકોને પહેલા આભાસ થાય છે ત્યાર પછી પ્રકાશની અનુભૂતિ થાય (આંતરિક પ્રકાશ) એ પછી આકારની અનુભૂતિ થાય છે. પણ સાધકને જે અનુભૂતિ થાય એ ગુરૂ સિવાય કોઇને પણ ન કહેવી. સાધક માટે કહેવાયું છે કે (૧) એકનું જ શ્રવણ કરવું (૨) એકનું જ વરણ કરવું (3) એકનું જ શરણ કરવું અને (૪) એકનું જ સ્મરણ કરવું આ શહણાગતિના માર્ગ છે, પણ શરણાગતિની નિષ્ઠામાં પછી કયારેય અહંકાર ન આવવો જોઇએ.
કથારત્નો
(૧) જીવનમાં બેખબર (અસાધવ) રહેવું એ જ બુખાર (તાવ છે)
(૨) કેટલાક લોકો જીવી લ્યો, ખાઇ-પીને મોજ કરી લ્યો એમા માને છે તો કેટલાક લોકો વાત-વાતમાં મરી ગ્યા..મરી ગ્યા એમ કરીને જીવે છે!
(3) એ કપલ હૈ હસના, એક પલ હૈ રોના, ઐસા જીવન કી ખેલા, એ કપલ હૈ મિલના, એક પલ બિછડના જીવન હૈ દો દિન કી મેલા યે ઘડી ન જાયે બીત, તુઝ-મેરે ગીત બુલાતે હૈ….આ લૌટ કે આજા મેરે મીત, તુઝે મેરે ગીત બુલાતે હૈ….
(૪) મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા….
(૫) ઓશો : મેં મૃત્યુ શિખાતા હૂ, પણ માનસમાં તુલસીદાસજી તો આપણને મૃત્યુ દેખાડે છે!


