By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

 સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ

Editor
Last updated: 2026/06/19 at 3:12 PM
1 hour ago
Share
 સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
SHARE

સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ

ખૂણો અને ધૂણો બન્ને ફળે છે

મૃત્યુલોકમાં મૃત્યુ ધન્ય થાય એના રસ્તા માનસમાં, તુલસીદાસ દેખાડે છે

શરણાગતની નિષ્ઠામાં કયારેય અહંકાર ન આવવો જોઇએ

 

પ્રાકૃતિક સૌંદર્યથી સભર કેરળ રાજયની કોચીની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી ‘માનસ મૃત્યુલોક’ રામકથાના છઠ્ઠા દિવસે ગઇકાલે કથાનો પ્રેમમય સંવાદ આગળ વધારતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, ચોપાઇઓનો ઇતિહાસ શું છે? જવાબ: માનસમાં ચોપાઇઓ છંદ-સોરઠા વગેરે છે. એનું વ્યાકરણ પણ હશે જ. તુલસીજી એ જે ચોપાઇઓ આપી છે તેની વિશેષતાએ છે કે માનસની દરેક ચોપાઇઓ દરેક રાગમાં ગાઇ શકાય છે. આપણા શાસ્ત્રીય સંગીતના ગાયકો પં.ભીમસને જશી, પં.જશરાજ, પં.અજય ચક્રવર્તી અને બીજા ઘણા બધાં સૂરસાધકો-ગાયકોએ માનસની ચોપાઇઓનું ગાન કર્યુ છે. લત્તાજીએ પણ ચોપાઇઓ ઓછી ગાઇ છે. લતાજીએ તુલસીદાસજીના પદો ગાયા છે. ચોપાઇના છંદની અસર ત્રિભુવનીય છે એ મલબાર-જગદગુરૂ શંકરાચાર્યજી સુધી પહોંચી છે. શંકરાચાર્ય મલબારથી કેદારનાથ સુધી ફર્યા છે અને માનસની ચોપાઇઓનો છંદ પોતાના સ્ત્રોતોમાં ગાયા છે. ભજગોવિન્દમ, ભજગોવિન્દમ, ભજગોવિન્દમ મૂઢમતે.

શંકરાચાર્યજી ભજગોવિન્દમ મંત્રને કેન્દ્રમાં રાખીને પ્રિય બાપુએ પછી તો જુદા-જુદા રાગમાં માનસની ચોપાઇઓ, ભગવદગીતાના શ્ર્લોકો, અન્ય શ્લોકોની પ્રસ્તુતી કરી ત્યારે સમગ્ર સંવાદગ્રહ શાસ્ત્રીય સંગીતના સ્વરોથી સભર થઇ ગયો હતો. એટલું જ નહીં પણ કથામાં ઉપસ્થિત શાસ્ત્રીય સંગીતના સમર્થ ગાયક મુરલીબાબા (રૂખડ) વારકરી-અભંગ-પરંપરાના મરાઠી ગાયક શિવમ મહારાજ અને આ કથામાં બાપુના સંગીત-ગાયકવૃંદ સાથે સહગાયક તરીકે બેઠેલો મરાઠી બાળ ગાયક રાઘવ પાસે ચોપાઇઓનું ગાન કરાવ્યું હતું. ત્યારે સૌ કથાપ્રેમીઓ આનંદથી ઝૂમી ઉઠયાં હતાં.

ઓશોએ જયારે આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા હતાં ત્યારે દ્વારકામાં એક શિબિર કરેલી તેમાં વિષય હતો મેં મૃત્યુ શિખાતા હું પણ તુલસીદાસજી રામચરિત માનસમાં મૃત્યુ દેખાડે છે. રજનીશ મૃત્યુની થિયરી કહે છે જયારે તુલસીદાસ પ્રેકટીકલ બતાવે છે. મૃત્યુ લોકમાં મૃત્યુ ધન્ય થાય એના રસ્તા  તુલસીજી દેખાડે છે અને મૃત્યુના કેટકેટલા પ્રકારો માનસમાં બતાવ્યા છે. માનસના આધારે મૃત્યુના પ્રકાર આ પ્રમાણે છે. અલ્પમૃત્યુ કાગભુસુંડીજી મહાકાલ (ઉજ્જૈન) મંદિરમાં ગુરૂઅપરાધ કરે છે એ પ્રસંગે બાપુએ વિસ્તારથી ભીની આંખે વર્ણવ્યો હતો. અકાળ મૃત્યુ અર્ધમૃત્યુ એટલે કે યજ્ઞની જયોતિ જેમ-જેમ ઉપર-ઉપર જાય છે એમ પ્રાણ ઉર્ધ્વગમન કરે છે અને અગ્નિય મૃત્યુ પણ કહે છે. આપણને યજ્ઞ-અગ્નિય મૃત્યુ નથી થતું એટલે આપણને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અમારી પરંપરામાં સમાધી આપવામાં આવે છે. અશોક મૃત્યુ અરૂદન મૃત્યુ એટલે કે રડવાનું નહી, જો કે આંસૂ તો આવે પણ સાધુને સમાધી આપવામાં આવે છે અમોં અર્થ એ કે અમે મૃત્યુ લોક છોડવા નથી માંગતા! જે ધરતી પર અમારો જન્મ થયો, જે ભજનીય ભૂમિ પર અમે ભજન કર્યુ, ભજનીનો જોયો એ ધરતી અમે નથી છોડતા એટલે ધરતીમાં જ સમાય જઇએ. એ સમાધી એક મૃત્યુ હોય છે. શાંત મૃત્યુ, પછી અમર મૃત્યુ, અકસ્માત મૃત્યુ, અચલ-અટલ ધ્રુવ મૃત્યુ અગમમૃત્યુ, ભયમૃત્યુ આ રીતે માનસ મૃત્યુ દેખાડે છે.

સાધકો માટેની સ્થિતિ બતાવતાં કહેવાયું છે કે સાધકોને પહેલા આભાસ થાય છે ત્યાર પછી પ્રકાશની અનુભૂતિ થાય (આંતરિક પ્રકાશ) એ પછી આકારની અનુભૂતિ થાય છે. પણ સાધકને જે અનુભૂતિ થાય એ ગુરૂ સિવાય કોઇને પણ ન કહેવી. સાધક માટે કહેવાયું છે કે (૧) એકનું જ શ્રવણ કરવું (૨) એકનું જ વરણ કરવું (3) એકનું જ શરણ કરવું અને (૪) એકનું જ સ્મરણ કરવું આ શહણાગતિના માર્ગ છે, પણ શરણાગતિની નિષ્ઠામાં પછી કયારેય અહંકાર ન આવવો જોઇએ.

 

કથારત્નો

(૧) જીવનમાં બેખબર (અસાધવ) રહેવું એ જ બુખાર (તાવ છે)

(૨) કેટલાક લોકો જીવી લ્યો, ખાઇ-પીને મોજ કરી લ્યો એમા માને છે તો કેટલાક લોકો વાત-વાતમાં મરી ગ્યા..મરી ગ્યા એમ કરીને જીવે છે!

(3) એ કપલ હૈ હસના, એક પલ હૈ રોના, ઐસા જીવન કી ખેલા, એ કપલ હૈ મિલના, એક પલ બિછડના જીવન હૈ દો દિન કી મેલા યે ઘડી ન જાયે બીત, તુઝ-મેરે ગીત બુલાતે હૈ….આ લૌટ કે આજા મેરે મીત, તુઝે મેરે ગીત બુલાતે હૈ….

(૪) મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા….

(૫) ઓશો : મેં મૃત્યુ શિખાતા હૂ, પણ માનસમાં તુલસીદાસજી તો આપણને મૃત્યુ દેખાડે છે!

 

You Might Also Like

હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ

વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ

સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ

જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ

કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કુવાડવા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા મોલડીના 4 હતભાગીઓની એક સાથે અર્થી નીકળી
રાજકોટ

કુવાડવા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા મોલડીના 4 હતભાગીઓની એક સાથે અર્થી નીકળી

Editor By Editor 4 days ago
પુસ્તકો નહીં આવતા QR કોડ સ્કેન કરી ગબડાવાતુ ગાડુ
રાજકોટ એસ.ટી બસપોર્ટ પર ફરિયાદ બુક ન અપાતા છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ
વિરપુર પોલીસે રૂ.56 હજારથી વધુ કિંમતના મોબાઇલ શોધી માલિકોને પરત કર્યા
ગામ કે શહેર? હવે વસ્તી નહીં, વિકાસ નક્કી કરશે ઓળખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?