વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
પ્રત્યેકની ‘મા’ મહાન હોય છે
જ્ઞાનમાં જાણવાનું હોય છે, પ્રેમમાં માનવાનું હોય છે
મનથી રાગ, ચિત્તથી યોગ પણ હૃદયથી અનુરાગ નીકળે છે
કેરળના પાટનગર કોચીની ધરતી પર પ્રવાહિત થઇ રહેલી ‘માનસ મૃત્યુલોક’ રામકથાના ચોથા દિવસે, ગઇકાલે કથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ તમે મૃત્યુ લોકનો મહિમા ગાવ છો પણ એનો સ્વીકાર નથી થતો તો શું કરવું? જવાબ: મૃત્યુના ઊંડાણને જાણવું એને બાંધવું, મૃત્યુતત્વને ઓળંગી જવું અને એને પી જવું. તમને પુછું કે તમે શ્રીકૃષ્ણને રામને, મહાદેવ-શંકરને પરમાત્મા માનો છો? અને શ્રીકૃષ્ણ તમારે ઘેરે આવે, કોઇપણ સ્વરૂપે કૃષ્ણ તમારે ત્યાં આવે તો એને સ્વીકારો કે નહીં? કૃષ્ણ, રામ, મહાદેવ મૃત્યુ લોકમાં આવ્યા છે. કૃષ્ણ મૃત્યુ છે પણ કૃષ્ણકથા અમૃત્ય (અમૃત) છે, રામજી મૃત્યુ છે, રામકથા અમૃત છે. શંકર મૃત્યુ છે. શિવકથા અમૃત છે. રામ, કૃષ્ણ, મહાદેવને પરમાત્મા માનીએ છીએ આ ત્રણેય પરમાત્મા મૃત્યુ લોક-પૃથ્વીલોકમાં આવ્યા છે.
રૂમી અને કબીર તો કહે છે કે મૃત્યુ એક સુંદર શણગાર સજેલી સ્ત્રી છે, એનું સ્વાગત કરો, એનો સ્વીકાર કરો. એનો સ્વીકાર કરો. મૃત્યુ દુલ્હન છે. અમારે સાધુઓમાં કોઇનું મૃત્યુ થાય તો વાજતે-ગાજતે ગાતાં ગાતાં એને લઇ જવામાં આવે છે. મૃત્યુને મહોત્સવ બનાવો. વિનોબાજી એ કહ્યું છે કે સનાતન વૈદિક ધર્મ માટે આજથી પાંચ હજાર કૃષ્ણએ જે કામ કર્યુ છે. એવું કામ કોઇએ નથી કર્યુ અને એના પછી જગદગુરૂ શંકરાચાર્યજીએ જેટલું જેવું કામ અન્ય કોઇએ નથી કર્યુ. આ કાલડીમાં જન્મેલા આદી શંકરાચાર્યજી ઉત્તરપ્રદેશ જઇ રહ્યાં હતાં. અચાનક એને એની મા યાદ આવી, પાછા ફર્યા, કાલડી આવે છે. માના મૃત્યુની ક્ષણ નજીક છે. શંકરાચાર્યજીનો વિરોધ ખૂબ થયો છે એને નાત બહાર કાઢવામાં આવે છે. કારણ એણે કહેવાતા ધર્મનું પાલન નથી કર્યુ! પંડિતો-કહેવાતા ધર્મગુરૂઓ, વિદ્વવાનોએ શંકરાચાર્યને ખૂબ હેરાન કર્યા છે. કેમ કે શંકરાચાર્યએ બાલ્યાવસ્થાથી સીધી બ્રહ્મચર્યાવસ્થામાં છલાંગ મારી હતી. આઠ વર્ષથી ઉંમરે તો એણે સન્યાસ ગ્રહણ કરી લીધો હતો. માનું મૃત્યુ થયું ત્યારે કોઇપણ વ્યકિત એની પાસે ન્હોતો. વિરોધ કર્યો હતો. લોકોએ શંકરાચાર્યએ એકલા એની માને અગ્નિસંસ્કાર આપ્યો હતો. એમની માતાનું શરીર જાડુ હતું. તો માતાના મૃતદેહના ત્રણ-ત્રણ કટકા કરી પછી એક-એક કટકાના અગ્નિ સંસ્કાર એમણે કર્યા હતાં. આ સ્થિતિ શંકરાચાર્યજીની હતી પણ એણે સર્વનો સ્વીકાર કર્યો, કોઇ ફરિયાદ નથી કરી. જે જે મહાપુરૂષો ઊંચાઇ પર ગયાં છે, સમાજે લોકોએ એનો વિરોધ જ કર્યો છે. નરસિંહ મહેતા, ગાંધીજી, જીસસ આ બધાને લોકોએ ખૂબ જ પજવ્યાં છે પણ એ લોકોએ દુર્ભાવમુકત ચિત્તથી સર્વનો સ્વીકાર જ કર્યો છે. સાધુતાના ચાર લક્ષણો છે. બાપ! સાધુએ જે સર્વનો સ્થિતિ-પરિસ્થિતિનો સ્વીકાર કરે, સાધુ કોઇની સાથે કદી તકરાર ન કરે, અરે! તકદી સાથે પણ એ તકરાર ન કરે, સાધુ સૌને પ્યાર કરે એને ચોથું એ ક્ષણ ક્ષણ ઇશ્વરનો આભાર માને, આ છે સાધુતા
પ્રેમનું મૂળ કયું? પ્રેમથી પરમાત્મા પ્રગટે છે પણ પ્રેમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી, શકિતપાતથી નહીં પણ ભકિતપાત-પ્રેમમાતથી પ્રેમ પ્રગટ થાય છે. મનથી રાગ અને ચિતથી યોગ પ્રગટ થાય છે પણ હૃદયથી અનુરાગ પ્રગટ થાય છે.
કૌશિક મહેતા (પૂર્વ તંત્રી, ફૂલછાબ)એ એક કાવ્ય મોકલ્યું છે..
સુનો, આઓ મૈં તુમ્હે મૃત્યુ સિખાઉં
કોઇ ગુઢ રહસ્ય યા કોઇ શાસ્ત્ર નહીં
બસ ઇસ સફરકા એક અનુભવ સુનાઉ
અરે, મેં કોઇ રજનીશ નહીં હું
ન હી કોઇ જ્ઞાની, ન કોઇ સંન્યાસી હું,
પરહાં જીવન સે મૃત્યુ કી તરફ બઢતે
ઇસ રાહ કા એક અદના પ્રવાસી હું
જો જી લિયા પૂરે હોશ કે સાથ,
ઉસને જીને કા હક્ક પા લિયા
ઔર જિસને અપની હી અર્થી કો
જીતેજી કાંધા દેના સિખ લીયા,
ઉસને મૌત કો ભી અપના મીત બના લીયા
તો આઓ ઇસ સફર કે પડાવ પર બૈઠે
થોડી ધૂપ સમેટે, થોડી છાંહ બાંટ લે
મેં રજનીશ તો નહીં પર એક રાહી હું
આઓ ઇસ વિદાય કી કલાકો સાથ કાટ લે
કથારત્નો
(૧) આંધળુ, અપંગ લોભીયું દેવલોકનું વૃક્ષ!
મારા સંત તો દયાળુ ને દેખતા જેનો ઉદારતાનો પક્ષ, કલ્પતર, કી મહિમા યહી, જો માંગે વો હી દેત! સદગુરૂ સંત અનુપ ભલા, બીન માંગે બહુ દેત! – અનુભાઇ હરિયાણી
(૨) છોડના ચાહો તો કમજોરીયાં મુજ મેં બહોત હૈ,
મગર દેખો તો ખુબીયાં ભી મુજ મેં બહોત હૈ!
(3) મૃત્યુલોક પાઠશાળા છે અને એનાં ત્રણ સૂત્રો : સત્ય, પ્રેમ, કરૂણા
(૪) વ્યાસપીઠ વકતાઓની જીવનપીઠ છે, આ ન હોત તો અમે મરી જાત!
(૫) દુર્ભાવમુકત ચિત્તથી સર્વનો સ્વીકાર એ સાધુતા છે


