By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    4 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    5 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/06 at 2:50 PM
2 hours ago
Share
મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
SHARE

મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ

મારી વ્યાસપીઠ તમને રડતાં શીખવે છે, આંસુ અમૃત છે.

વિયોગમાં માણસ જીવી પણ જાય પણ વિરહમાં મરી જવાય છે!

પૃથ્વી અમૃત છે, એમાં ભારત માતા પરમ અમૃત છે

 

ઉત્તરાખંડની તીર્થભૂમિ-દેવભૂમિ હરિદ્વારમાં ગંગા મૈયાના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ અમૃતમગમય’ના પાંચમા દિવસે શનિવારે કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતાં પ્રિયબાપુએ કહ્યું કે એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, ધરામૃત અને અધરામૃત શબ્દ સમજાવો. જવાબ: ધરામૃત-અધરામૃત એક જ છે. પૃથ્વી-ધરા-અમૃત છે. આપણે પૃથ્વીને વિષાકત ઝેર જેવી કરી છે. એ અલગ વાત છે. અધરામૃતનો અર્થ હોઠનું અમૃત. જીભ-કંઠ-દાંત કે ગલોફા ય હોય પણ હોઠ ન હોય તો સ્પષ્ટ બોલી ન શકાય. બૃધ્ધપુરૂષના હોઠથી નીકળેલા વચનો અધરામૃત છે. અહીં અધર એ કેવળ લૌકીક નથી. શ્રોતા માટે આ જ્ઞાન છે., વકતા માટે ગાન છે. મારા માટે આ ગાન છે. જો કે જ્ઞાનને પણ અમૃત કહ્યું છે પણ અમે તો ગાઇએ છીએ.

જ્ઞાનમાં અખંડ એકાગ્રતા ન રહે પણ ગાનમાં એકાગ્રતા રહે છે. તો આ પૃથ્વી-ધરા-એ અમૃત છે. એમાંય ભારત માતા પરમ અમૃત છે. ભગવદગીતા અમૃત છે. કેમ કે ગીતા ભારતમાં અવતરીત થઇ છે. રામચરિત માનસમાં કેટકેટલા અમૃત છે. મને હરિશભાઇએ મહુવાથી યાદી મોકલી છે. એના સ્વાધ્યાય સાર્થક કરૂ, કઇ-કઇ ચોપાઇઓમાં અમૃત શબ્દ આવે છે એની યાદી છે. માનસમાં પંદર જેટલા અમૃતની ચર્ચા છે. જેમ કે નયનામૃત, સાધુરૂપ અમૃત, સંતામૃત, ગિરામૃત (વાણીનું અમૃત), કૃપામૃત, સરિતામૃત, છબીઅમૃત, સૌંદર્યામૃત, પ્રેમામૃત, સુખામૃત, નામામૃત અને વચનામૃત વગેર…. પંચામૃતમાં દુધ, દહીં, ઘી, સાકર અને મધ હોય છે. આ પંચામૃતનું એક આધ્યાત્મિક છે

રામકથાના છઠ્ઠા દિવસે ગઇકાલે રવિવારે કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું કે શ્રવણ મોટામાં મોટું અમૃત છે. શ્રવણના સોપાન છે. શ્રવણ, ચિંતન-મનન, નિદીધ્યાસન અને છેલ્લું પગથિયું સાક્ષાત્કાર છે. કોઇપણ સૂત્ર, મંત્ર કે વિચારના શ્રવણ કરતાં કરતાં એ શ્રવણનો તંતુ સહજ રહે, એનું સાતત્ય ન તૂટે તો શ્રવણ સાર્થક, કથામાતા આપણને એના ખોળામાં ગોદમાં સુવડાવીને પંખો નાંખે છે. ગાંધીજી-સરદાર પટેલનો એક સરસ પ્રસંગ છે. બંને જેલમાં હતા ગાંધીજી રોજ સવારે દસ ખજૂર ખાતા હતાં. સરદારને ચિંતા થઇ કે બાપુ વધારે ખજૂર ખાય તો સારૂ, એનું શરીર કેટલું દૂબળું છે અને દેશની ચિંતા છે. તો સરદારે એવું વિચાર્યુ કે કાલથી હું ખજૂર પંદર મૂકી દઇશ, ગાંધીજીને દસ કે પંદરની ખબર નહીં પડે! બીજે દિવસે પંદર ખજૂર પ્લેટમાં આવતા તરત ગાંધીજી બોલ્યા કે સરદાર, કેમ પંદર-પાંચ ખજૂર વધારે કેમ છે? તો સરદાર બોલ્યા કે બાપુ, દસ-પંદરમાં શું ફેર? તરત ગાંધીજી બોલ્યા-સરદાર તમે આજે મને ગુરૂમંત્ર આપ્યો છે સાચી વાત છે દસ-પંદરમાં શું ફરક પડે! તો કાલથી પાંચ જ ખજૂર આપજો. પાંચ કે દશમાં શું ફરક? આ છે ગાંધીજી બીજા દિવસથી પાંચ-પાંચ ખજૂર જ ખાતા હતા…!!!

મને વિયોગ કરતા વિરક વધારે ગમે છે. વિયોગ તો થોડીક પ્રતિક્ષા કરાવે પણ વિરહ તો મારી નાખે છે. વિયોગમાં માણસ આકુળ થાય છે વિરહમાં વ્યાકુળ થાય છે. વિયોગના આંસુમાં ખારાશ હોય છે, વિરહના આંસુ અમૃત છે. માનસના મોટાભાગના પાત્રો રડે છે. મારી વ્યાસપીઠ તમને સૌને રડતા શીખવે છે રૂદન રડવું એ પરમ ધામ છે. ભાગવદમાં ઉઘ્ધવ આકુળ છે પછી એ વ્યાકુળ થયા છે. માનસમાં રામજી ગંગા પાર કરે છે ત્યારે ત્રણ પાત્રો વ્યાકુળ થયા છે. વિરહી થયા છે એક તો ગંગા પોતે રામજી જતાં વ્યાકુળ થયા છે, બીજા સુમંતજી વ્યાકુળ થયા છે અને ત્રીજા રથના ઘોડા પણ વ્યાકુળ થયા છે. બાપ વિયોગમાં માણસ જીવી જાય પણ વિરહમાં મરી જાય છે. વિભૂ અમૃત છે તો વિભૂતિ પણ અમૃત છે.

માનસમાં પાંચ જલાશ્રય-જળાશય છે. (૧) માનસ સરોવર-માનસ જળાશય (૨) જનકપુરની પુષ્પવાટિકામાં સરોવર (3) પંપા સરોવર, સમુદ્ર સરોવર, સમુદ્ ભલે પોતે અમૃત નથી પણ એમાં અમૃત છે (સમુદ્રમંથન વખતે એમાંથી અમૃત નિકળે છે) (૪) સ્વયંપ્રભાનું સરોવર અને (૫) એક સરોવર શ્રીલંકામાં પણ છે જળના ત્રણ લક્ષણો (૧) શીતલ (૨) મધુર (3) સ્વચ્છ. એ જ રીતે સાધુતા-સાધુના પણ આ ત્રણ લક્ષણો છે. સાધુ શીતલ હોય, મધુર હોય અને ભીતર-બહાર સ્વચ્છ હોય. અમૃત ઉષ્ણ નથી, ઝેર ઉષ્ણ હોય પણ અમૃત શીતલ છે. જળાશય અમૃત છે એમાં ઉગતું કમળ પણ અમૃત છે.

બાલકાંડમાં યજ્ઞ, દાન, તપની ‘તિહાઈ’ (તાલની ભાષામાં) છે તો અયોઘ્યા કાંડમાં પણ સત્ય (રામ-દસરથ) પ્રેમ (ભરત-રામનો) અને કરૂણા (છેવાડાના માણસ સુધી રામ ગયા છે) એમ તિહાઈ છે. માનસ સત્યામૃત, પ્રેમામૃત અને કરૂણામૃત છે.

કથારત્નો

(૧) ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં કરે! કોગ બાપુ

(૨) ભજન વધારો તો વજન ધીમે-ધીમે ઘટી જાય!

(3) યોગ અમૃત છે, વિયોગ પણ અમૃત છે.

(૪) ‘આકુળ’ એ વિયોગ છે, ‘વ્યાકુળ’ વિરહ છે.

(૫) એક પરિવારમાં ઘરની કામવાળી બાઈ ટુવાલ ચોરીને ભાગી ગઈ! જે ટુવાલ આ લોકો હિલ્ટન હોટેલમાંથી લાવ્યા હતા! મૃગાંક શાહ (વડોદરા)

You Might Also Like

મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ

રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ

પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ

કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ

 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા  કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું
રાજકોટ

કણસાગરા  કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું

Editor By Editor 5 days ago
 મોરબી રોડનો ક્રેઝ વધ્યો, સૌથી વધારે ૧૭૮૮ દસ્તાવેજ
આરપીએફે મુસાફરનો અંદાજે ₹1.12 લાખની કિંમતનો સામાન પરત કર્યો
રાજ્યમંત્રી પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને વિધાનસભા લડાવવાની રણનીતિ
દરિયાઇ પ્રવાસન સ્થળોના વિકાસથી ગુજરાતના અર્થતંત્રને વેગ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?