By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર

Editor
Last updated: 2026/04/24 at 4:27 PM
3 hours ago
Share
અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર
SHARE

અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર

ખાંભાના વિસ્તારમાં કુંવાઓ ખાલી થતા ખેતીના પાક પર ખતરો ઉભો થયો

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના લાઠી, ખાંભા વિસ્તારમાં એક દિવસમાં ૧૦-૧૨ આંચકા આવતા હોવાથી તેની સીધી અસર ભુગર્ભ જળ પર પડી છે અને કુવાના પાણી ડુકી ગયા છે. જેથી ખેતરમાં પાણી પૂરતા પ્રમાણમાં નહીં પહોંચતા ખેતીના વિવિધ પાકો પર ખતરો ઉભો થયો છે.

અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં છેલ્લા બે માસથી ધરતી ધ્રૂજી રહી છે, પરંતુ આ ભૂકંપ માત્ર ભય જ નથી લાવ્યો, પણ ખેડૂતો માટે પાયમાલીની આફત પણ લઈને આવ્યો છે. ખાંભા શહેર સહિત ભાડ, વાંકિયા, જીકયાળી, ઇંગોરાળા અને નાનુડી જેવા ગામોમાં સતત આવતા 3.6ની તીવ્રતાના આંચકાઓને કારણે જમીની હલનચલન થતા કૂવાના પાણીના સ્ત્રોત અચાનક સુકાઈ ગયા છે.

ખેડૂતોએ ઉનાળુ પાક તરીકે બાજરી, તલ, જુવાર અને ડુંગળીનું વાવેતર કર્યું હતું. પાક હવે તૈયાર થવાના આરે છે અને છેલ્લા બે-ત્રણ પાણની જ જરૂર છે, બરાબર એ જ સમયે કૂવાઓ ખાલીખમ થઈ ગયા છે. ભૂકંપના કારણે જમીનમાં તિરાડો પડવાથી કે સ્તર બદલાવાથી પાણીના તળ ઊંડા જતા રહ્યા હોવાનું મનાય છે. નાનુડી ગામના ખેડૂત રતિભાઈ વોરા જણાવે છે કે, જે કૂવામાં 8 કલાક પાણી ચાલતું હતું, તે હવે સાવ સુકાઈ ગયું છે, પરિણામે તેમની 5 વીઘાની બાજરી નજર સામે સુકાઈ રહી છે.

બાજરી અને ડુંગળી જેવા પાકો તૈયાર હોવા છતાં છેલ્લા સમયે પાણી ન મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને કરેલી મહેનત અને મોંઘા બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભૂકંપના ડર વચ્ચે હવે આર્થિક પાયમાલીના ભયથી ગીરનો ખેડૂત ફફડી રહ્યો છે. તંત્ર દ્વારા આ મામલે સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

You Might Also Like

અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ

લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત

અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો

જાફરાબાદના બાબરકોટ ગામે દરીયા કિનારે મહાકાય વ્હેલ માછલી મૃત હાલતમા મળી આવી….

રાજુલાના અમુલી ગામમાં મર્ડર કરનાર આરોપી ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાહિત્ય સેતુ અને મથુરદાસ નરભેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
રાજકોટ

સાહિત્ય સેતુ અને મથુરદાસ નરભેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

Editor By Editor 3 days ago
 ચૂંટણીઓમાં સો ટકા મતદાન કરવા ‘યુથ ફોર ડેમોક્રેસી’ની અપીલ
આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક
મોદી સ્કૂલના સ્થાપના દિવસ નિમિતે રકતદાન કેમ્પમાં ૨3૭ બોટલ એકત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?