- પરશોત્તમ રૂપાલા દિલ્હી જવાના છે એવી કોઇ વાત નથી
- રૂપાલાના નિર્ધારિત ચૂંટણી પ્રચારના કાર્યક્રમ ચાલે છે: રાજુ ધ્રુવ
- ક્ષત્રિય સમાજના અભિગમ પર કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરશે
રાજકોટમાં ઉમેદવાર બદલવા અંગે ભાજપ પ્રવક્તાએ નિવેદન આપ્યું છે. જેમાં રાજુ ધ્રુવએ જણાવ્યું છે કે આ બધી અફવાઓ છે, આ વાતમાં તથ્ય નથી. પહેલી એપ્રિલ હોવાથી કોઇએ અફવા ફેલાવી લાગે છે. પ્રદેશની અનુમતિ સાથે હું આપને જવાબ આપું છુ.
રૂપાલાના નિર્ધારિત ચૂંટણી પ્રચારના કાર્યક્રમ ચાલે છે: રાજુ ધ્રુવ
રૂપાલાના નિર્ધારિત ચૂંટણી પ્રચારના કાર્યક્રમ ચાલે છે. પરશોત્તમ રૂપાલા દિલ્હી જવાના છે એવી કોઇ વાત નથી. તેમજ ડમી ઉમેદવાર તરીકે વ્યક્તિ ફોર્મ ભરતો હોય છે. તેમજ રામ મોકરિયાએ જણાવ્યુ છે કે પરશોત્તમ રૂપાલાને બદલવાની હાલ કોઇ વાત નથી. હું આ અંગે નિવેદન આપવા માટે ઓથોરિટી નથી. ડમી ફોર્મ ભરવા માટે કુંડરિયાએ વિગતો એકઠી કરી છે. કુંડારિયા ડમી ફોર્મ ભરવાના છે.
ક્ષત્રિય સમાજના અભિગમ પર કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરશે
તેમજ રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારને લઈ સમીકરણ બદલાઈ શકે છે. જેમાં ક્ષત્રિય સમાજના અભિગમ પર કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરશે. શહેર કોંગ્રેસના એક જૂથના ડો.હેમાંગ વસાવડા માટે પ્રયાસ છે. ત્યારે હેમાંગ વસાવડા, હિતેશ વોરા, ગોપાલ અનડકટનું નામ ચર્ચામાં છે.


