- બાળકને સ્તનપાન કરાવવુ છે જરૂરી
- ઑગષ્ટમાં ઉજવાય છે બ્રેસ્ટ ફિડીંગ વીક
- બ્રેસ્ટ ફિડીંગને લઇને જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય
દુનિયાભરમાં દર વર્ષે 1થી 7 ઑગષ્ટે વર્લ્ડ બ્રેસ્ટ ફિડીંગ વીક 120થી વધારે દેશોમાં ઉજવવામાં આવે છે. લોકો બ્રેસ્ટ ફિડીંગને લઇને જાગૃત બને તે માટેનો ઉદ્દેશ્ય છે. નિષ્ણાંતો કહે છે કે માતાનું દૂધ બાળકને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે. બાળકમાં કુપોષણનું જોખમ ઘટાડે છે. બ્રેસ્ટ ફિડીંગથી બાળકમાં અસ્થમા, સ્થૂળતા અને પ્રકાર 1 ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘટે છે. માતાનું દૂધ બાળકને કાનનું ઇન્ફેક્શન અને પેટના રોગોથી પણ બચાવે છે.
સ્તનપાનથી બાળક બને છે સ્વસ્થ
બાળકને સ્તનપાન કરાવવાથી કેન્સર અને ટાઈપ-2 જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે. એક નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યાનુસાર બાળકને સ્તનપાન કરાવવું એ પોસ્ટપાર્ટમ રિકવરીમાં પણ મદદ કરે છે. આ સાથે સ્ત્રી સ્તન કેન્સરના જોખમથી પણ બચી શકે છે. બાળક માટે માતાનું દૂધ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ યોગ્ય સમયે ન મળે તો બાળકને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સમયસર સ્તનપાન કરાવવુ જરૂરી
જ્યારે બાળક હાથ ચુસતું હોય અથવા ખૂબ હલનચલન કરતું હોય તો સંકેત છે કે બાળકને ભૂખ લાગી છે. બાળકને સ્તનપાન કરાવવા માટે આરામદાયક પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે જેથી બાળકને યોગ્ય રીતે ખવડાવી શકાય. માતા અને બાળક બંનેને અગવડતા ઓછી થાય. સ્તનપાન કરાવ્યા પછી બાળકને ઓડકાર આવવો જરૂરી છે.
આ એક નિશાની છે કે તેનું પેટ ભરાઈ ગયું છે.
બાળકને કેટલા સમય સુધી સ્તનપાન કરાવવું જોઈએ?
અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ અને ડબ્લ્યુએચઓ અનુસાર જન્મ પછી 6 મહિના સુધી બાળકને સ્તન પાન કરાવવુ જોઇએ. તે પછી બે વર્ષ કે તેથી વધુ સમય માટે પૂરક ખોરાક સાથે સ્તનપાન કરાવવુ. ધ્યાનમાં રાખો કે બાળકને ફક્ત માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ અને તેને કોઈપણ પ્રકારનું બજારનું દૂધ અથવા ગાય કે ભેંસનું દૂધ ન આપવું જોઈએ. તેનાથી બાળકનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
(Disclaimer : અહીં રજૂ કરાયેલા મંતવ્યો અને વિચારો જે તે નિષ્ણાંતે આપેલા છે સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતુ નથી.)