પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું ફરજીયાત ધર્માંતરણ અને હિન્દુઓ ઉપર અત્યાચાર મુખ્ય સમસ્યા
પાકિસ્તાનમાં ૪પ લાખ હિન્દુઓ વસે છે : સિંધ પ્રાંતમાં હિન્દુઓના ફરજીયાત ધર્માંતરણ સામે વિધાનસભાએ ઠરાવ લાવ્યો પણ ગવર્નરે ઉડાવી દીધો હતો
કોઇ પણ દેશની વય માટે ૭પ વર્ષની વય ખાસ વધુ ન કહેવાય. ભારત અને પાકિસ્તાન એક જ દેશના બે ભાગલા થયા. ૧૯૪૭માં ટુ નેશન થિયરી ઉપર બ્રિટીશરોએ લુચ્ચાઇ કરી અને બન્ને દેશોના ભાગલા કર્યા. વિશ્વના ઇતિહાસમાં કદી ન ભુલાય એવા દંગાઓ,બળાત્કાર અને પ્રતાડનના એ લોહિયાળ દિવસોના જખમ સમયે સમયે યાદ આવી જાય છે. ખાસ કરીને બન્ને દેશની જે તે સમયની સરહદના વિસ્તારો પંજાબ વગેરેની મહિલાઓ અને બાળકોએ આ દંગાઓમાં ખુબ યાતના અને લાચારી ભોગવી હતી. ૧૯પ૧માં ભારત પ્રજાસતક બન્યુ. ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્રની થિયરી ઉપર આગળ વધ્યુ. પાકિસ્તાન પણ બંધારણીય રીતે તમામ નાગરિકોના સમાન અધિકાર ઉપર આગળ વધ્યુ. આજે પણ પાકિસ્તાનનું બંધારણ તમામ નાગરિકો માટે સમાન અધિકારની જોગવાઇ ધરાવે છે. પરંતુ ઇસ્લામ પાકિસ્તાનમાં પ્રાધાન્ય ધરાવે છે. આથી સમયાંતરે બિન ઇસ્લામી લઘુમતી એટલે કે હિન્દુ,શીખ,સિંધી તથા અન્ય લઘુમતી ધર્મનુ પાલન કરતી જાતીઓ માટે પાકિસ્તાનમાં સમાનતાને બદલે અસહિષ્ણુતા વધતી ગઇ.
આ બાબત પ્રજા પુરતી મર્યાદીત રહેવાને બદલે શાસનમાં પણ જોવા મળી સિંધ પ્રાંત,બલુચિસ્તાન,પંજાબ અને પખ્તુન પ્રાંતમાં જયાં હિન્દુઓની વસતિ નોંધ પાત્ર છે. સિંધના ઉમરકોટ,થરપારકર,મીરપુરખાસ,બદીન વગેરે પ્રાંતમાં હિન્દુઓની વસતિ રર ટકાથી પર ટકા સુધી છે. છતાં આ પ્રાંતમાં હિન્દુ સગીર દિકરીઓના અપહરણ કરી તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની પ્રવૃતિની ખુબ ફરિયાદો રહી છે. સિંધ એસેમ્બલીએ ધર્માંતરણ રોકવા કાનુની ઠરાવ પણ કર્યો હતો. પરંતુ સિંધના ગવર્નરે આ ઠરાવને ખાસ સતાથી રોકી દીધો હતો.
પાકિસ્તાનમાં ર૦૧૭ની વસતિ ગણતરી મુજબ ૪પ લાખ હિન્દુઓ વસે છે. જેમાંના મહતમ સિંધપ્રાંત,બલુચિસ્તાન અને પખ્તુનઘાટમાં વસે છે. પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીનું મંદિર ખુબ પ્રખ્યાત છે. પરંતુ સતા આશ્ચીત ઇસ્લામી ધર્મમાં હિન્દુઓનું પ્રતાડન વધ્યુ છે. વરસે એક હજાર હિન્દુ છોકરીઓના અપહરણ કરી તેને ઇસ્લામ ધર્મ ફરજીયાત અંગીકાર કરાવ્યાનું સિંધી સંગઠને જાહેર કર્યુ છે. અફઘાનિસ્તાન અને બંગ્લાદેશમાં પણ આ સમશ્યા છે. આથી ભારતે પાકિસ્તાન,બંગ્લાદેશ અને અફાઘાનિસ્તાનમાં વસતાં લઘુમતી નાગરિકો માટે જે ભારતમાં શરણાર્થી તરીકે આવે છે તેમને માટે સી.એ.એ. લાગુ પાડયો. છે. આ કાનુન પસાર તો ર૦૧૯ની સાલમાં થઇ ગયો હતો. પરંતુ જયાં સુધી કાયદાના અમલનું નોટિફિકેશન બહાર ન પડે ત્યાં સુધી તેનો અમલ ન થઇ શકે. દેશમા આ કાયદાના વિરોધને કારણ તેના અમલનું નોટિફિકેશન બહાર પાડવામાં નહોતું આવતું પરંતુ અંતે ગઇ કાલે મોદી સરકારે આ કાયદાના અમલનું નોટિફિકેશન જારી કરી દીધુ.
સી.એ.એ. પાકિસ્તાન,બંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં આવેલા શરણાર્થી લઘુમતી એટલે કે બિનમુસ્લીમ હિન્દુ,શીખ,જૈન,પારસી,સીંધી,બૌધ,જૈન નાગરિકોને ભારત સન્માન સહિત નાગરિક અધિકાર આપશે. જેને સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એકટ (ર૦૧૯) કહેવાય છે.
વિધિની વક્રતા એ છે કે મૂળ ભારતિય કે હિન્દુ જે પાકિસ્તાન સહિતના ત્રણ ઇસ્લામિક દેશમાં પ્રતાડિત થયેલા હિન્દુ સહિતના લઘુમતીને ભારતમાં શરણ આપવામાં દેશની ભારતની લઘુમતી વિરોધ કરે છે. દેશના કેટલાંક લઘુમતી બહુમુલક પ્રાંતોમાં તો અર્ધલશ્કરી દળ તહેનાત કરવુ પડયુ છે. બે દેશ વચ્ચે આ જ ફરક છે. પાકિસ્તાનમાં લઘુમતી પ્રતાડિત છે. ભારતમાં બહુમતીનો પણ વિરોધ થઇ શકે છે.
જો કે હવે પરિસ્થિતિ પલટાઇ છે. જે રીતે પાકિસ્તાન દેવાળિયુ થઇ રહયુ છે અને પાકિસ્તાનીઓ બહુમતી ઇસ્લામિક નાગરિકો ભારતની પ્રગતિ જોઇને તેમના ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ નેતાઓની બુરાઇ કરવા માંડયા છે. ભારતની વિશ્વમાં જે શાખ બંધાઇ રહી છે તેની સામે ધર્માંધ પાકિસ્તાની શાસકનોની વિશ્વમાં બેઇજજતી થઇ રહી છે તેથી સરેરાશ પાકિસ્તાની ગિન્નાયો છે. છેલ્લા દસ વર્ષમાં ભારતમાં જે બદલાવ આવ્યો છે. એ જોઇને હવે પાકિસ્તાનીઓને અફસોસ થઇ રહયો છે. પાકિસ્તાન પરસ્તો માટે પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે.
ખુદ પાકિસ્તાનમા એક એવો વર્ગ ઉભો થઇ રહયો છે કે જે ખુલ્લે આમ ભારતના પી.એમ. મોદીના વખાણ કરી રહયો છે. ભારતની પ્રગતિના દાખલા આપી રહયો છે. એ સમય દૂર નથી કે પાકિસ્તનના સિંધ સહિતના પ્રાંતમાંથી ફરી એક વખત વિભાજનનો અવાજ ઉઠે. ભારત સાથે આવા પ્રાંતની પ્રજાને જોડાવાની માગણી બુલંદ થશે.